________________
અને તેજસ શરીરની અપેક્ષાએ તેઓ ગુરુલઘુ હોય છે, તથા જીવ અને કાર્મણ શરીરની અપેક્ષાએ તેઓ અગુરુલઘુ હોય છે, એમ સમજવું તથા– પૃથિવીકાયના જી, અપ્લાયના છે, તેજસ્કાયના જીવ અને વનસ્પતિકાયના છે, એ બધાં જ ઔદારિક અને તૈજસ શરીરની અપેક્ષાએ ગુરુલઘુ હોય છે, કારણ કે તે અને શરીર ગુરુલઘુ છે. તેથી તે બે શરીરથી યુક્ત હેવાને કારણે તે જીવોમાં પણ ગુરુલઘુપણું સંભવી શકે છે. તથા જીવ અને કામણ શરીરની અપેક્ષાએ તેમનામાં અગુરુલઘુપણું હોય છે, કારણ કે તે બન્ને અરૂપી છે. વાયુકાયિક છમાં ઔદારિક શરીર, વૈકિય શરીર અને તેજસશરીરની અપેક્ષા ગુરુલઘુતા હોય છે, પણ જીવ અને કામણ શરીરની અપેક્ષાએ તેમનામાં અને ગુરુલઘુતા હોય છે. એ જ પ્રમાણે જે પંચેન્દ્રિય તિર્યંચ જીવે છે તેમનામાં પણ વાયુકાયની જેમ જ ગુરુલઘુતા અને અગુરુલઘુતા હોય છે, કારણ કે પચેન્દ્રિય તિર્યંચને ઔદારિક, વૈક્રિય અને તૈજસ અને કામણ શરીર હોય છેઆહારક શરીર હોતું નથી. તેથી ઔદારિક, તૈજસ અને ક્રિય એ ત્રણ શરીરની અપેક્ષાએ તેમનામાં ગુરુલઘુતા હોય છે અને જીવ તથા કાર્મણ શરીરની અપેક્ષાએ તેમનામાં અગુરુલઘુતા હોય છે, એમ સમજવું. મનુષ્યમાં પાંચે શરીરે હોઈ શકે છે તેથી ઔદારિક, તિજસ, વિકિય અને આહારક શરીરની અપેક્ષાએ તેમનામાં ગુરુલઘુતા હોય છે અને જીવ તથા કાર્મણ શરીરની અપેક્ષાએ મનુષ્યમાં અગુરુલઘુતા હોય છે એમ સમજવું. આ રીતે અસુરકુમારેથી લઈને વૈમાનિક દેવ સુધીના શરીરની અપેક્ષાએ ગુરુલઘુતા અને અગુરુલઘુતા પ્રકટ કરવામાં આવી છે. ( ઘમ્મસ્થા , વાવ, વતિથg a૩રથggoi) ધર્મા સ્તિકાયથી જીવાસ્તિકાય સુધીનું ચોથું પદ ગ્રહણ કરવું. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કાળ અને જીવાસ્તિકાયમાં શરૂઆતના ત્રણ ભાંગ નથી પણ એથી ભાંગે છે. એટલે કે તેઓ ગુરુ નથી, લઘુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે, કારણ કે તે બધા દ્રવ્ય અરૂપી છે. (પોmતિથવાણ મેતે ! $િ , અંદુ, વિદુર જુદુp?) હે ભગવન્ ! પગલાસ્તિકાય ગુરુ છે? લઘુ છે ? અથવા ગુરુલઘુ છે? કે અગુરુલઘુ છે ? (જોયા નો ગુણ, જો ઋgs, Tયદુ વિ, બrge fક) હે ગૌતમ! પગલાસ્તિકાય ગુરુ પણ નથી, લઘુ પણ નથી. પણ ગુરુલઘુ છે અને અમુરુલઘુ છે. આ રીતે અહીં પહેલા અને બીજા ભાગાને સ્વીકાર કર્યો નથી. પણ ત્રીજા અને ચોથા ભાંગાને સ્વીકાર કર્યો છે. પુદ્ગલાસ્તિકાયના વિષયમાં જે ઉત્તર આપ્યો છે તે નિશ્ચયનયના મતાનુસાર સમજવો. નિશ્ચયનયની માન્ય. તાનુસાર કોઈ પણ પદાર્થ એકાન્તપણે ગુરુ પણ નથી અને એકાન્તપણે લઘુ પણ નથી. (હે ળળ મંતે !૦) હે ભગવન્ ! આપ શા માટે એવું કહે છે કે પુદગલાસ્તિકાય ગુરુ નથી, લઘુ નથી પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨