SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પ્રાણાતિપાતથી-જીવોની વિરાધના કરવાથી (૨) મૃષાવાદથી–અસત્ય (૩) અદત્તાદાનથી દેવ, ગુરુ, રાજા, ગાથાપતિ, તેમજ સાધર્મીિ વગેરે મારફત ન અપાયેલી વસ્તુ ગ્રહણ કરવાથી, ચેરી કરવાથી. (૪) મિથુન–અબ્રહ્મચર્યકુશીલ સેવનથી (પ) પરિગ્રહથી-ધર્મોપકરણ સિવાયની વસ્તુઓને ગ્રહણ કરવાથી તેમજ તેમાં માલીકીપણું રાખીને આસક્તિ રાખવાથી (૬) કોધથી આત્મામાં સારા નરસાના વિવેકને જડમૂળથી ઉખેડી નાખનાર ઉગ્રતારૂપ જે પરિણામ ઉત્પન્ન થાય છે તેનાથી (૭) માનથી–ગર્વથી (૮) માયાથી-કપટથી, (૯) લોભથી -લાલચથી, આશા-તૃષ્ણાથી (૧૦) રાગથી–પૌગલિક વસ્તુઓમાં આસક્તિ રાખવાથી. (૧૧) શ્રેષથી–અપ્રીતિ-વેરઝેર (૧૨) કલહથી-વિરોધ રાખવાથી, કજીયા કંકાસથી, (૧૩) અભ્યાખ્યાનથી–મેઈના ઉપર આળ ચડાવવાથી (૧૪) પિશુન્યથી–ચાડી ચુગલીથી (૧૫) પર પરિવાદથી એક બીજાની નિંદા કરવાથી, (૧૬) રતિથી વિષયમાં અનુરાગ રાખવાથી, અરતિથી-ધર્મમાં અભિરૂચિ ન રાખવાથી, (૨૭) માયા મૃષાથી માયા સહિત જૂઠું બોલવાથી અને (૨૮) મિથ્યાદર્શનશલ્યથી-મિથ્યાત્વને મિથ્યાદર્શન કહે છે. મિથ્યાદર્શનને શલ્ય કહેવાનું કારણ એ છે કે જેમ કાંટો (શલ્ય ) વાગવાથી શરીરમાં અનેક પ્રકારની પીડા થાય છે એ જ પ્રમાણે મિથ્યાદર્શન શલ્ય જીવને ચારે ગતિઓમાં બ્રમણ કરાવીને અનેક પ્રકારની પીડા પહોંચાડે છે. તેના પ્રભાવથી જીવ કુદેવ, કગુરુ અને કુધર્મને સુદેવ, સુગુરુ અને સુધર્મ માનતે થાય છે. ઉપરોકત ૨૮ પાપના સેવનથી જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને સંચય કરીને ગુરુત્વ પ્રાપ્ત કરે છે. એ જ વાત (gવ વસ્તુ જેમા ! નવા ચિત્ત દુર્જ ભારÚતિ) આ સૂત્ર પાઠથી ગૌતમને સમજાવવામાં આવી છે. પ્રશ્ન-(ળ મતે ! નીવા દુાં હૃદયં વાનરસિ?) હે ભગવન ! ગુરુત્વના અભાવરૂપ લઘુત્વ- હલકાપણું જીવ કેવી રીતે પ્રાપ્ત કરે છે ? ઉત્તર–(નોરમા ! પાળારૂવારમi નાવ મિચ્છાવાળાસ્ત્રવિરમi ) હે ગતમપ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપસ્થા નેના ત્યોગથી જીવ લઘુત્વ પ્રાપ્ત કરે છે. અહીં “ચાવહૂ” પદ વડે મૃષાવાદથી લઈને માયામૃષા પર્યન્ત પાઠ ગ્રહણ કર્યો છે. તાત્પર્ય એ છે કે પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપોનો ત્યાગ કરવાથી જીવ લઘુતા હલકાપણું પ્રાપ્ત કરે છે. એ જ વાત પ્રભુએ “gવં વહુ જોયમા ! નવા દૂચત્ત ધ્રુવં મારુંતિ સૂત્રપાઠ વડે ગૌતમને સમજાવી છે. (ga સંસાર મારી રત) પૂર્વોક્ત અભિલાપમાં દર્શાવેલા પ્રાણાતિપાત વગેરેના સેવનથી જીવ સંસાર વધારે છે. અહીં જે “ઘ” પદ મૂકયું છે તે પૂર્વોક્ત અભિલાપનું સૂચક છે. તે અભિશાપ આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૭૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy