SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ લીધે લઘુતા હોય છે? એવો પ્રશ્ન-ઉત્તર–પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન સુધીના ૧૮ પ્રકારનાં પાપસ્થાને ત્યાગ કરવાથી જીવેમાં લઘુતા આવે છે. પ્રાણાતિપાત વગેરેના સેવનથી જીવ સંસાર વધારે છે, અને પ્રાણાતિપાત વગેરે ના વિરમણથી જીવ સંસારને સીમિત કરે છે–ઘટાડે છે. આ રીતે જીવ પ્રાણ તિપાત વગેરે પાપના સેવનથી સંસારમાં રહેવાને કાળ વધારે છે અને તેમના ત્યાગથી સંસારમાં રહેવાને કાળ ઘટાડે છે. પ્રાણાતિપાત વગેરેના સેવનથી જીવને વારંવાર સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, પણ તેમના ત્યાગથી જીવ સંસાર સાગર તરી જાય છે. આ રીતે ગુરુત્વ, લઘુત્ર, આકુલીકરણ (સંસાર વધાર) પરીતત્વ ( સંસાર ઘટાડ) દીર્ઘ વ, હત્ય, પર્યટન અને વ્યતિવ્રજન, તેમના ગુરુત્વ, આકુલીકરણ (સંસાર વધારી દીર્ઘત્વ અને પર્ય ટન, એ ચાર સંસારનાં કારણરૂપ હોવાથી અપ્રશસ્ત છે. તથા લઘુત્વ, પરીતત્વ, હસ્તૃત્વ અને વ્યતિવ્રજન, એ ચાર મેક્ષના કારણરૂપ હોવાથી પ્રશસ્ત છે. આ રીતે પ્રશસ્ત અને અપ્રશસ્ત, એ બન્નેને વિચાર કર્યો છે. પ્રશ્ન-સાતમું અવકાશાન્તર ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છે? આ પ્રકારને -ચાર ભાંગાઓને અનુલક્ષીને–પ્રશ્ન પૂછયો છે. તે લઘુ નથી, ગુરુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે, એ પ્રકારને ચોથા ભાંગાને સ્વીકાર કરતે ઉત્તર આપે છે. પ્રશ્ન-શું સાતમું તનુવાત ગુરુ છે? કે લઘુ છે? અથવા ગુરુલઘુ છે ? અથવા અગુરુલઘુ છે? આ પ્રમાણે ચાર ભાંગાની અપેક્ષાએ તતુ વાતના વિષયમાં પણ પ્રશ્ન પૂછયા છે ઉત્તર–સાતમું તનુવાત ગુરુ પણ નથી. લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી, પરન્તુ ગુરુલઘુ છે. આ રીતે ત્રીજા ભાંગાને સ્વીકાર કર્યો છે. સાતમાં અવકાશાન્તર પ્રમાણે જ ઘનવાત, સાતમું ઘનેદધિ, સાતમી પૃથ્વી, દ્વીપ, સાગર અને વર્ષક્ષેત્રના વિષયમાં પણ સમજવું, આ રીતે અતિદેશથી ઘનવાત વગેરે માં ગુરુત્વ, લઘુત્વ વગેરેને વિચાર કરવામાં આવ્યું છે. નરયિક જીવ શું ગુરુ હોય છે? અથવા લઘુ હોય છે? અથવા ગુરુલઘુ હોય છે? અથવા અગુરુ લઘુ હોય છે? આ રીતે નારકના વિષયમાં પણ ગુરુતત્વ લઘુત્વ વગેરે, વિષયક પ્રશ્નો પૂછયા છે. અને તેને આ પ્રમાણે ઉત્તર આપે છે-નારક જીવે ગુરુ હોતા નથી, લઘુ પણ હોતા નથી, પરંતુ ગુરુલઘુ હોય છે અને અગુરુલઘુ હોય છે. પ્રશ્ન-નારકોમાં શા કારણે ગુસ્તા અથવા લઘુતા હોતી નથી, પણ ગુરુલઘુતા અને અગુરુલઘુતા હોય છે ? ઉત્તર–શૈક્રિય શરીર અને તૈજસ શરીરની અપેક્ષાએ તેમનામાં ગુરુતા હોતી નથી, લઘુતા હોતી નથી. અને અગુરુલઘુતા પણ હોતી નથી. પરંતુ ગુરુલઘુતા જ હોય છે. તથા જીવ અને કાર્માણ શરીરની અપેક્ષાએ તેઓ ગુરુ હોતા નથી, લઘુ હોતા નથી, ગુરુલઘુ પણ હોતા નથી, પરંતુ અગુરુલઘુ જ હોય છે. પુદ્ગલાસ્તિકાય શું ગુરુ હોય છે, લઘુ હોય છે, ગુરુલઘુ હોય છે કે અગુરુલઘુ હોય છે? આ પ્રકારને પ્રશ્ન પૂછો છે. - ઉત્તરપુલાસ્તિકાય ગુરુ હેતું નથી, લઘુ હોતું નથી, પરંતુ ગુરુલઘુ હોય છે અને અગુરુલઘુ હોય છે. પ્રશ્ન–શા કારણે પુલાસ્તિકાય ગુરુ હોતું નથી, લઘુ હોતું નથી, પણ ગુરુલઘુ હોય છે અને અગુરુલઘુ હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૨ ૭૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy