SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અવયવોને ગ્રહણ કરે છે? અથવા તે નારક જીવ પિતાના સમસ્ત અવયવો વડે આહારને ચગ્ય દ્રવ્યના એક ભાગ (દેશ)ને ગ્રહણ કરે છે? કે તે જીવ પિતાના સમસ્ત પ્રદેશ દ્વારા આહારને યોગ્ય દ્રવ્યના સમસ્ત પ્રદેશને ગ્રહણ કરે છે? આ ચાર પ્રશ્નોના જવાબમાં ભગવાને પહેલા બે પ્રશ્નોના જવાબ નકારમાં આપ્યા છે. એટલે કે તે નારક જીવ પિતાના એકદેશથી આહારને વેગ્ય દ્રવ્યના એકદેશને ગ્રહણ કરતો નથી, અને પોતાના એક જ દેશથી આહારને ગ્ય દ્રવ્યના સમસ્ત પ્રદેશને પણ તે આહાર માટે ગ્રહણ કરતું નથી. ત્રીજા અને ચોથા પ્રશ્નોને જવાબ હકારમાં આવે છે એટલે કે તે નારક જીવ પિતાના સમસ્ત પ્રદેશ વડે આહારને ચગ્ય પદાર્થના એકદેશને પણ ગ્રહણ કરે છે, અને પોતાના સમસ્ત પ્રદેશ વડે આહાર કરવા યોગ્ય દ્રવ્યના સમસ્ત અવયને પણ આહાર કરવા માટે ગ્રહણ કરે છે. તે નારક જીવ પિતાના સમસ્ત પ્રદેશ (અવયે) વડે આહારને યોગ્ય દ્રવ્યના એકદેશ (ભાગ) ને આહાર માટે ગ્રહણ કરે છે, એવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે–તે નારક જીવ નરકગતિમાં ઉત્પન્ન થયા પછી તરત જ પિતાના તમામ અવય વડે આહાર કરવા યોગ્ય પદાર્થનાં પુલોને ગ્રહણ કરે છે. તેમાનાં કેટલાંક પુલનો તે તે આહાર કરે છે પણ કેટલાંક પુદ્ગલેને તે એમ ને એમ છેડી દે છે જેવી રીતે ઉકળતા ઘી તેલ વગેરેના તાવડામાં નાખેલ માલપૂવા ઘી તેલ વગેરેના અમુક ભાગને જ ગ્રહણ કરે છે અને અમુક ભાગોને છોડી દે છે, અર્થાત્ ગ્રહણ કરતા નથી, એ જ પ્રમાણે નારક પણ આહારને ગ્ય દ્રવ્યના કેટલાક ભાગોને આહારના કામમાં લે છે અને કેટલાક ભાગોને આહારના કામમાં લેતે નથી–છોડી દે છે. એ જ કારણે સૂત્રકારે કહ્યું છે કે “સર્વે ના હિં આકાર ” આ કથન વડે તેમણે આહારના વિષયમાં ત્રીજા ભાંગાને સ્વીકાર કર્યો છે તે સિદ્ધ થાય છે. સર્વેમાં વા સર્વે મા”િ અથવા તે જીવ પિતાના સમસ્ત પ્રદેશ વડે આહારને યોગ્ય તમામ દ્રવ્યને આહાર માટે ગ્રહણ કરે છે. એ થનનું તાત્પર્ય આ પ્રમાણે છે–જીવ પિતાની ઉત્પત્તિને સમયે તમામ આત્મપ્રદેશ વડે તમામ આહારના પુદ્ગલેને ગ્રહણ કરે છે. જેવી રીતે ઘી વગેરેથી છેડા ભરેલા અત્યંત તપેલા તાવડામાં સૌથી પહેલાં નાખવામાં આવેલ પુડલે ઘી વગેરેના તમામ ભાગેને પોતાના તમામ ભાગે વડે ગ્રહણ કરે છે એવી રીતે જીવ પણ પિતાના તમામ પ્રદેશો વડે આહારને યોગ્ય દ્રવ્ય પુલના તમામ અવયને પિતાના આહાર માટે ગ્રહણ કરે છે. તેથી જ કહ્યું છે કે “વલ્વે સઘં કgg” તેમના આ કથન વડે આહારના વિષયમાં સૂત્રકારે ચોથા ભાંગાને પણ સ્વીકાર કર્યો છે, એ વાત સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આ રીતે ચાર ભાગમાંના પહેલા અને બીજા ભાંગીને અસ્વીકાર કરીને ત્રીજા અને ચોથા ભાંગાને સૂત્રકારે સ્વીકાર કર્યો છે. હવે ઉત્પાદથી વિપરીત એવી ઉદ્વર્તનના વિષયનું સૂત્રકાર નિરૂપણ કરે છે-“ોરણg મંતે ? ” હે ભગવન! નારક જીવ “નેતૃહંત સુરદા ” નારકમાંથી ઉદ્વર્તિત થતી વખતે નીકળતી વખતે “વં તેણે રેવં ૩૬?” શું પિતાના એકદેશથી-એક અવયવથી–ઉત્પત્તિસ્થાનના એકદેશને આશ્રિત કરીને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy