SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ પક્ષને અસ્વીકાર કર્યો છે. ઉપરના કથનનો સારાંશ એ છે કે નારક પર્યા યમાં ઉત્પન્ન થનારે કઈ જીવ એવી રીતે ઉત્પન્ન નહીં થાય કે તેના એક પ્રદેશ (અવયવ) સિવાયના બાકીના પ્રદેશ તે પૂર્વ પર્યાયરૂપે જ પ્રતિબદ્ધ (બંધાયેલા રહે અને માત્ર એક પ્રદેશથી જ તે નારક પર્યાયના એક દેશ રૂપે કે સર્વદેશ રૂપે નારકમાં ઉત્પન્ન થઈ જાય પરંતુ એવું બનતું નથી. એટલે કે પૂર્વપર્યાયમાંથી મરીને નરકમાં નારક જીવની પર્યાયના એક અંશે ઉત્પન્ન થાય એવું પણ બનતું નથી. ચોથા પ્રશ્નના જવાબમાં કયે સિદ્ધાંત છે તે પૂર્વે બતાવ્યું છે કે પૂર્વ પર્યાયને છોડીને જે જીવ નરકાદિ ગતિમાં ઉત્પન્ન થાય છે તે જીવ તે પર્યાયમાં પિતાના સમસ્ત પ્રદેશથી જ પૂર્ણરૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે તે પૂર્વપર્યાયગત જીવનું કાર્ય છે. તેથી તે જીવ તે પર્યાયનું ઉપાદાન કારણ છે અને એ વાતનું અમે આગળ પ્રતિપાદન કરી ગયા છીએ કે જે કાર્યનું જે ઉપાદાન કારણ હોય છે તે ઉપાદાન કારણ સંપૂર્ણ રીતે જ કાર્ય રૂપે પરિણમે છે, આ રીતે ઉત્પદ્યમાન નારક જીવ નરકમાં સંપૂર્ણ અવયથી જ સંપૂર્ણ અવ રૂપે ઉત્પન્ન થાય છે. ( વહૂ જેરા, પર્વ વાવ માળિ) ઉત્પત્તિના વિષયમાં જેવું કથન ના રકોના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન અસુરકુમારથી લઈને વૈમાનિકે સુધીનાર૩ દંડકના વિષયમાં પણ સમજવું. ઉત્પત્તિ થયા પછી આહારની આવશ્યકતા રહે છે. તેથી હવે સૂત્રકાર આહાર સંબંધી સૂત્રનું કથન કરે છે (नेरइए णं भंते ! नेरइएसु उववज्जमाणे किं देसेण देस आहारेइ, देसेणं સર્વ બાજે, સવે શાણા, સોળે સંડ્યું માહારૂ?) હે પૂજ્ય ! નરકગતિમાં ઉત્પન્ન થયેલ જીવ શું એકદેશથી આહાર કરવા લાયક દ્રવ્યના એકદેશને આહાર કરે છે ? અથવા એકદેશથી આહાર કરવા લાયક દ્રવ્યના સમસ્ત દેશને આહાર કરે છે? અથવા સમસ્ત દેશથી તેના એકદેશને આહાર કરે છે? અથવા સમસ્ત દેશની આહાર કરવાલાયક દ્રવ્યના સમસ્ત દેશને આહાર કરે છે? ભગવાન કહે છે (જોમા) હે ગૌતમ! (જો તેણે સિં ગાજે, નો મેળે ભણા, સર્વે વા કિ સદા, જળ જા સર્વ કરે છે તે એકદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરતા નથી, તે એકદેશથી સમસ્ત દેશને આહાર કરતો નથી, પરંતુ સવદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે તથા સર્વદેશથી સમસ્ત દેશને આહાર પણ કરે છે, હવે આ સૂત્રોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-“ળેિ રે લા આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે નરકગતિમાં ઉત્પન્ન થતા નારક જીવ જે આહાર કરે છે તે શું પિતાના એક પ્રદેશથી આહારને ચગ્ય પદાર્થના એક પ્રદેશને જ આહાર કરે છે? એટલે કે આહાર કરવા યોગ્ય દ્રવ્યના એક દેશરૂપ અવયવને જ પિતાના એક અવયવ વડે આહાર માટે ગ્રહણ કરે છે ? કે તે નારક જીવ પિતાના એક અવયવ વડે આહારને યોગ્ય દ્રવ્યના સમસ્ત શ્રી ભગવતી સૂત્ર : ૨ હર
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy