SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલ છે. જેમ કે દહીંનું ઉપાદાન કારણ દૂધ છે. તે ઉપાદાન કારણ રૂપ ધ પિતાના તમામ અંશથી તમામ અંશે સહિત દહીં રૂપે પરિણમે છે. એવું નથી હોતું કે દૂધના એકદેશથી દહીંને એકદેશ બને. ઉપાદાન કારણની મહત્તા એજ છે કે તે પિતાને સમસ્ત રૂપે જ કાર્ય રૂપે પરિણુમાવે છે. જેમ વસ્ત્રના એકદેશરૂપ તંતુથી ( તાંતણાથી ) આખું વસ્ત્ર તૈયાર થતું નથી એવી જ રીતે પૂર્વની તિર્યંચ વગેરે લેનિના જીના એકદેશ (અવયવ)થી નારકને એકદેશ (અવયવ) નિષ્પન્ન થતું નથી. તાત્પર્ય એ છે કે તાણાવાણાઓથી બનતાં વસ્ત્રના ઉપાદાન કારણરૂપ તંતુએ છે. અને વસ્ત્ર તેમનું કાર્ય છે. હવે તંતુઓના એકદેશથી વસ્ત્રનું નિર્માણ થતું નથી, એટલું જ નહીં પણ તંતુઓના એકદેશથી વસ્ત્રના એકદેશનું નિર્માણ થતું નથી. માટે કહ્યું છે કે “નો તેને તે વન્ન” પરંતુ બધા તંતુઓ વડે જ સંપૂર્ણ વસ્ત્રનું નિર્માણ થાય છે. અવયવીના એકદેશને પૂર્ણ અવયવી કહેવાતું નથી. વસ્ત્રને એ કોઈ પણ ભાગ તંતુઓના એકદેશથી–એક ભાગથી તૈયાર થતો નથી કે જે વસ્ત્રથી જુદો હોય. ઉપાદાન કારણ પિતાના કાર્ય સાથે જોડાયેલું જ હોય છે–એટલે કે પોતાને જ તે કાર્યરૂપે પરિણાવે છે તેથી તેને કઈપણ ભાગ એવો હોતો નથી કે જે પોતાના કાર્યના એકભાગને ઉત્પન્ન કરતો હોય, પણ પૂર્ણ ઉપાદાનજ તેના પૂર્ણ કાર્યનું નિર્માણ કરે છે. આ પ્રકારને સિદ્ધાંત નિશ્ચિત હોવાથી ઉત્પદ્યમાન નારકજીવ પોતાના એકદેશથી નારક જીવની પર્યાયના એકદેશરૂપે ઉત્પન્ન થતો નથી. તથા “નો રેળે સર્વે કરવામાં નો ભાવાર્થ એ છે કે જેવી રીતે એક તંતુમાંથી પૂરું વસ્ત્ર તૈયાર થતું નથી એવી જ રીતે ઉત્પદ્યમાન (ઉત્પન્ન થનાર) નારક જવ એકદેશથી પૂર્ણ નારક રૂપ પર્યાયમાં ઉત્પન્ન થતું નથી. તથા “નો સવેળ તેલં વવાઝ” ને ભાવાર્થ આ પ્રમાણે છે-જેમ ઘડાનાં સંપૂર્ણ કારણથી ઘડાને એકદેશ તૈયાર થતો નથી. જેમ માટીરૂપ ઉપાદાન કારણ એક ભાગ રૂપે ઘડાનું નિર્માણ કરતું નથી. એ જ પ્રમાણે જીવના પોતાના સંપૂર્ણ અવયવે નારકાદિ રૂપના એક દેશને ઉત્પન્ન કરી શકતા નથી, કારણ કે જે પરિણામી કારણ હોય છે તે પિતાના સમસ્ત રૂપથી જ કાર્યના રૂપે પરિણમતું જોવામાં આવે છે. “ i aa saacs” નું તાત્પર્ય આ પ્રમાણે છે-ઉત્પદ્યમાન (ઉત્પન્ન થનાર) નારાજીવ પિતાના સમસ્ત અવય વડે જ સંપૂર્ણ અવયવી રૂપે ઉત્પન્ન થાય છે. પૂર્ણકારણ કલાપ મળવાથી જ ઘડાની ઉત્પત્તિ થાય છે–એટલે કે ઘડાનું ઉપાદાન કરણ માટી છે તે માટી સમસ્તરૂપે સંપૂર્ણ ઘડાના રૂપે જેમ પરિણમે છે તેમ ઉત્પન્ન થનાર નારક જીવ પિતાના સમસ્ત અવય વડે નારક જીવ રૂપ સમસ્ત પર્યાયમાં બદલાય છે. આ ચેથા પક્ષને જ તીર્થંકર પ્રભુએ સ્વીકાર કર્યો છે. બાકીના શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy