SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન–અહીં વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એ બને કાળમાં અભેદને ઉપચાર (આરે પણ) કરવામાં આવેલ છે. તે અભેદ ઉપચારની અપેક્ષાએ નરકમાં ઉત્પન્ન થવાને સન્મુખ થયેલા જીવને નારક કહેવામાં આવ્યો છે. નરકમાં જે ઉત્પન્ન થવાનો છે એવા જીવને નારક કહેવામાં કોઈ વધે જણાતું નથી. કારણ કે તે સમયે જીવના નરક પ્રાગ્ય (5) આયુષ્યને ઉદય થઈ ગયે હોય છે. ગતિ, આનુપૂવી અને આયુષ્યનો ઉદય એક સાથે જ થાય છે. વળી નરકગતિમાં ઉપજવાને સન્મુખ થયેલા જીવના તિર્યંચાયુ, મનુષ્યાયું અને દેવ આયુ, એ ત્રણેમાંથી એક પણ આયુને ઉદય હેતું નથી. ફક્ત નરકાયુને જ ઉદય હોય છે તે એવી સ્થિતિમાં તેને “નારક” ન કહી શકાય તે બીજું શું કહી શકાય? તેથી નારકમાં ઉત્પદ્યમાન ( ઉત્પન્ન થવાને સન્મુખ થયેલા) જીવને માટે “નારક” શબ્દને જ પ્રયોગ કરે જોઈએ. આમ કરવામાં કઈ પણ પ્રકારને સિદ્ધાતિક વાંધો નથી. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (mu of મેતે ggg saHકનમાળે નારકમાં ઉત્પન્ન થનારો નારક જીવ ( રેળે રેવં વાવાઝ) શ પિતાને એકદેશથી નારકના એકદેશ રૂપે ઉત્પન્ન થાય છે, (દેશ એટલે અવયવ અથવા અંશ) (રેસે સર્વ રવવંs?) પિતના એક દેશથી નારકના સર્વ દેશ રૂપે ઉત્પન્ન થાય છે ? કે (સર્વે નં વનરૂ?) પોતાના સમસ્ત અવયવોથી નારકના એક અવયવ રૂપે ઉત્પન્ન થાય છે કે સરવે સર્વ ?) કે પિતાના સમસ્ત અવયથી નારકના સમસ્ત અવયવરૂપે ઉત્પન્ન થાય છે? અહિં ચાર વિક૯પ ગૌતમસ્વામીએ પૂછ્યા. ભગવાન કહે છે-(જોયા ! નો રેળે રેવં કવન્ન, તો રેજો ગર્વ વવ , તો દવે રે વવજ્ઞ, સર્વેમાં સર્વે ૩વવા) હે ગૌતમ ! નારકમાં ઉત્પન્ન થતે જીવ પોતાના એકદેશથી નારકના એકદેશ રૂપે ઉત્પન્ન થતું નથી, તથા પોતાના એકદેશથી નારકના સર્વદેશ રૂપે પણ ઉત્પન્ન થતું નથી, તેમજ પોતાના સર્વદેશથી નારકના એકદેશ રૂપે પણ ઉત્પન્ન થતું નથી, પરંતુ તે પોતાના સર્વદેશથી નારકના સર્વદશ રૂપે જ ઉત્પન્ન થાય છે. ઉપરના ચાર પ્રકમાંથી ત્રણ પ્રકનોના જવાબ નકારમાં અને ચોથા પ્રશ્નનો જવાબ હકારમાં આપતા મહાવીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! જે ન જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે તે પિતાના તમામ અંશોથી નરકગતિમાં તમામ અંશે સાથે–પૂર્ણ અવયવી રૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે પરિણામી કારણ એક અંશથી પોતાના કાર્યોના એક અંશ રૂપે ઉત્પન્ન થતું નથી. તેનું તાત્પર્ય એ છે કે જે પરિણામી કારણ એટલે કે ઉપાદાન કારણ હોય છે તેના એક અવયવથી કાર્યના એક અવયવની ઉત્પત્તિ સ્વીકારવામાં આવી નથી. પરંતુ તેના સર્વ અવયથી જ કાર્યના સર્વ અવયવોની ઉત્પત્તિ સ્વીકારવામાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy