SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ લેકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે. (૪) તે આઠ પ્રાકાર આ પ્રમાણે છે(आगासपइट्ठिए वाए, वायपइदिए उदही, उदहीवइट्टिया पुढवी, पुढवीपइट्ठिया तसा थावरा पाणा, अजीवा जीवपइट्ठिया, जीवा कम्मपइट्ठिया, अजीवा जीवसंगहिया, जीवा wiાફિયા) (૧) આકાશપ્રતિષ્ઠિતવાયુ, (૨) વાયુપ્રતિષ્ઠિત ઉદધિ, (૩) ઉદધિપ્રતિષ્ઠિત પૃથ્વી, (૪) પૃથ્વીપ્રતિષ્ઠિત ત્રસ સ્થાવર પ્રાણિઓ, (૫) જીવ પ્રતિષ્ઠિત અજીવ, (૬) કપ્રતિષ્ઠિત જીવ, (૭) જીવસંગૃહીત અજીવ અને (૮) કર્મસંગૃહીત જીવ. આકાશના આધારે જેની સ્થિતિ છે એવા જે તનુવાત અને ઘનવાત તેનું નામ આકાશપ્રતિષ્ઠિત વાયુ છે. તે વાયુ અવકાશાન્તર ઉપર રહેલ છે. શંકા–જેવી રીતે વાયુને આકાશના આધારે પ્રતિષ્ઠિત (રહેલો) કહ્યો છે, એજ પ્રમાણે આકાશને પણ કોઈ બીજા પદાર્થના આધારે પ્રતિષ્ઠિત બતાવવું જોઈએ. જે તેના જવાબમાં એમ કહેવામાં આવે કે આકાશને કોઈ આધાર નથી. તે તેની સામે એ દલીલ કરી શકાય કે જેવી રીતે આધાર વગર વાયુનું અસ્તિત્વ સંભવી શકતું નથી. તેવી રીતે આધાર વિના આકાશનું અસ્તિત્વ પણ સંભવી શકતું નથી ? તેના જવાબમાં જે એમ કહે કે આકાશને આધાર પણ કોઈ અન્ય પદાર્થ છે, તે સૂત્રકારે અહીં શા માટે તેને ઉલ્લેખ કર્યો નથી? અથવા તે તેનો ઉલ્લેખ અવશ્ય થવે જોઈતો હતો. ઉત્તર–આકાશરૂપ વસ્તુ બીજી કઈ પણ વસ્તુના આધાર વગર પણ રહી શકે છે, એ વસ્તુના સ્વભાવની વિચિત્રતા દર્શાવે છે. એ કેઈ નિયમ નથી. કે એક પદાર્થને જે સ્વભાવ હોય તે જ સ્વભાવ બીજા પદાર્થને પણ હે જોઈએ. જે એવું જ બનતું હોય તે જુદી જુદી વસ્તુઓમાં જે જુદી જુદી વિચિત્રતા જોવા મળે છે તે વિચિત્રતા સંભવત જ નહી. વસ્તુ સ્વભાવની જ એ વિચિત્રતા છે કે કઈ વસ્તુ જીહા ઇન્દ્રિય વડે ગ્રાહ્ય હોય છે તે કોઈ વસ્તુ ચક્ષુઈન્દ્રિય વડે ગ્રાહ્ય હોય છે. જે એવું બનતું ન હોત તે ખાટામીઠા રસને ચક્ષુઈન્દ્રિય વડે ગ્રહણ કરી શકાત અને રૂપને છઠ્ઠા ઇન્દ્રિય વડે જાણી શકાત પણ એવું બનતું નથી. તેનું કારણ વસ્તુસ્વભાવની વિચિત્રતા જ છે. તે તેવી જ રીતે અહીં વસ્તુસ્વભાવની વિચિત્રતા જાણી શકાય છે તેવી જ રીતે આકાશ દ્રવ્ય પણ પિતાના સ્વભાવની વિચિત્રતાને કારણે જ અન્ય દ્રવ્યના આધાર વગર પણ પ્રતિષ્ઠિત રહે છે. આ રીતે આકાશ કઈ પણ અન્ય પદાર્થના આધાર વિના જ રહેલું હોવાથી અધિકરણ (આધાર) રહિત હોવાથી તેના અધિકરણનો વિચાર કરવાની આવશ્યકતા રહેતી નથી. તે કારણે જ શાસ્ત્રમાં આકાશના અધિકરણને વિચાર કરવામાં આવ્યું નથી. “વાત પ્રતિષ્ઠિત ઉદધિ"નું તાત્પર્ય એ છે કે તનુવાત અને ઘનવાતના આધારે ઘનોદધિ પ્રતિષ્ઠિત (રહેલી છે. એટલે કે જેવી રીતે વાયુનું અધિકરણ (આધાર) ગગન છે એવી જ રીતે ઉદધિનો આધાર વાયુ છે. “પાષ્ટ્રિય પુત્રવી” ઉદધિપ્રતિષ્ઠિત પૃથ્વી નું તાત્પર્ય એ છે કે ઘને દધિના આધારે રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ (નરકે). પ્રતિષ્ઠિત (રહેલી) છે. મૂળમાં જે “કવિરૂથ્રિયા પુઢવી” કહેલ છે. તે બાહુલ્યની અપેક્ષાએ સમજવું. કારણ કે ઈત્માશ્મારા નામની જે સિદ્ધશિલા શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy