SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું છે, જેવી રીતે મસ્યાદિક જલચર જેને ચાલવામાં જળ ઉદાસીનરૂપે કારણરૂપ બને છે, એ જ પ્રમાણે ગતિપરિણત જીવાદિકેની ગતિ થતી નથી, કારણ કે ત્યાં આ દ્રવ્ય (ધર્માસ્તિકાય) નો અભાવ છે, લોકાકાશના અન્ત સુધી જ આ દ્રવ્યનો સદુભાવ (અસ્તિત્વ) છે તેથી ત્યાં સુધી જ જીવાદિક દ્રવ્યોનું ગમન થઈ શકે છે, (શરિથ#Iણ ા રેવ) અધર્માસ્તિકાય પણ એવું જ છે, દ્રવ્ય, કાલ, ક્ષેત્ર આદિની દષ્ટિએ ધર્માસ્તિકાયનું જેવું સ્વરૂપ બતાવ્યું છે, એવું જ સ્વરૂપ અધર્માસ્તિકાયનું પણ સમજવું, દ્રવ્યની અપેક્ષાએ અધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, ક્ષેત્રની અપેક્ષાએ તે લોકપ્રમાણ છે, કાળની અપેક્ષાએ ત્રણે કાળમાં તેને સદૂભાવ (અસ્તિવ) હોય છે. તે શાશ્વત અને નિત્ય છે ભાવની અપેક્ષાએ તે વર્ણ ગંધ, રસ અને સ્પર્શથી રહિત હોય છે. શકા–ઉપરના કથકથી તે એવું લાગે છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ અને દ્રવ્ય તદ્દન સમાન છે, પરંતુ એ વાત તે સંભવિત નથી, કારણ કે ધર્મ દ્રવ્યથા અધર્મ દ્રવ્ય વિરુદ્ધ છે અને અધર્મ દ્રવ્યથી ધર્મદ્રવ્ય વિરુદ્ધ છે, આ રીતે બન્ને વચ્ચે અસમાનતા રહેલી હોય તે તેમની વચ્ચે બધી રીતે સમાનતા કેવી રીતે સંભવી શકે ? કારણ કે બે વિરુદ્ધ દ્રવ્યમાં સંપૂર્ણ સમાનતા અન્યત્ર જોવામાં આવતી નથી, જે પરસ્પર વિરુદ્ધ દ્રવ્યમાં સંપૂર્ણતઃ સમાનતા હોય તે તેમનામાં વિરોધકેવી રીતે માની શકાય ? આ શંકાનું નિવારણ કરવા માટે સૂત્રકાર કહે છે કે ( નવરં' Tળો કાન) ધર્માસ્તિકાય ગમન ગુણવાળું છે. પણ અધમસ્તિકાય સ્થાન ગુણવાળું છે. જેવી રીતે ધર્માસ્તિકાય ગમન કરતાં છે અને પુતલેને ગમન કરવામાં સહાયક બને છે, એજ પ્રમાણે અધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિતિ પરિણુત છો અને પુદ્ગલેને સ્થિતિની બાબતમાં (ભવામાં) સહાથક બને છે. પથિકને જેમ છાંયડે થંભવામાં સહાયન થાય છે તેમ આ દ્રવ્ય પણ અને પુદ્ગલેને ભવામાં સહાયરૂપ થાય છે. જેવી રીતે ધર્મદ્રવ્ય ચાલવામાં સહાયક બને છે એજ રીતે અધમ દ્રવ્ય છે ભવામાં સહાયક બને છે એક ગતિમાં સહાયક બને છે, બીજુ સ્થિતિમાં સહાયક બને છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વચ્ચે ઉપરક્ત ભેદ હોય છે. ( સ્થિre f g ) આકાશસ્તિકાયનું સ્વરૂપ પણ ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય જેવું જ છે. (નજર વેરો નં થTIત્રિકા ચાહોયgHT ) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કરતાં આકાશાસ્તિકાયમાં શી વિશેષતા છે. તે આ સૂત્રમાં સૂત્રકારે પ્રકટ કરી છે ક્ષેત્રની અપેક્ષાએ આકાશાસ્તિકાય લેક અને એક પ્રમાણે છે પરંતુ ધમાં સ્તિકાય અને અધમસ્તિકાય ક્ષેત્રની અપેક્ષાએ લેક પ્રમાણ છે. એટä કે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy