SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ-(તારં બં મરે !) તે પ્રકારનું છે રૂપ જેનું તેને (તથારૂપ) કહે છે. એટલે કે સદેરક મુહપત્તિ, રજોહરણ આદિ મુનિવેષને તથારૂપ કહે છે. તે તથારૂપ વાળા મુનિજનની--શ્રમણની–તપથી યુક્ત સકલ સંયમીની એટલે કે મૂલગુણ, ઉત્તરગુણધારી મુનિની, તથા માહનની-પતે એની વિરાધના કરતા નથી અને (મા હન, મા દુર) બીજાને હત્યા ન કરવાને ઉપદેશ આપે છે, એવા મૂલત્તરગુણધારી સાધુની (ઘgવારમાળરસ) પર્યું પાસના કરનારા શ્રમણોપાસકોને (Tsgવાળા રહ્યા!) તેમની પત્યું પાસના કેવું ફળ આપે છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ શ્રમણની અથવા માહનની સેવા કરે છે તેને કેવું ફળ મળે છે? મહાવીર પ્રભુ કહે છે (લોચમ) હે ગૌતમ(સવા ) શ્રમણની સેવા કરનાર વ્યક્તિને સત્ શાસ્ત્રના શ્રવ ગુરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. વળી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે–“ aો દિ ” હે ભદન્ત ! સત શાસ્ત્રના શ્રવણથી જીવને કેવું ફળ મળે છે ? મહાવીર પ્રભુ જવાબ આપે છે-“સવને જાળસ્કે ” હે ગૌતમ ! સત શાસ્ત્રના શ્રવણથી જીવને અજીવ આદિ તત્ત્વ વિષયક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે જ્ઞાનનું શું ફળ મળે છે ? “વિન્ના કહે ” હે ગૌતમ ! જ્ઞાનનું ફળ જે વિજ્ઞાન છે તેની તેને પ્રાપ્તિ થાય છે. શાસ્ત્ર સાંભળવાથી સામાન્ય જ્ઞાન મળે છે. અને સાધારણ જ્ઞાનમાંથી વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેનાથી જીવને હિય અને ઉપદેયને બોધ થઈ શકે છે તેનું નામ જ વિજ્ઞાન છે. અહીં વિવેકરૂપ જ્ઞાનને જ વિજ્ઞાન પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે-હેય અને ઉપાદેય સમજવાને વિવેક આવે તેનું નામ જ વિજ્ઞાન પ્રાપ્તિ છે. એવું વિજ્ઞાન શ્રતજ્ઞાન દ્વારા જ ઉત્પન્ન થાય છે. “તે જ મરે! વિશાળ છે? ” હે ભદન્ત! વિજ્ઞાનનું શું ફળ મળે છે ? ત્યારે મહાવીર પ્રભુ જવાબ આપે છે-“gવરિયાળ જે” વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે આત્માની અંદર હાપાયદેયના વિવેક રૂપ વિશિષ્ટ જ્ઞાન ( વિ જ્ઞાન) ઉત્પન્ન થાય છે. તે આત્મા પ્રણાતિપાત આદિ પાપને પરિત્યાગ કરે છે. એટલે કે તે પ્રાણાતિપાત આદિ ક્રિયાઓ કરતું નથી, વિજ્ઞાનનું એ ફળ તેને મળે છે. “તે છ મંતે દવલાને 1 છે?” હે ભદન્ત! પ્રત્યાખ્યાનનું શું ફળ મળે છે? મહાવીર પ્રભુ કહે છે કે “સંઘમ શ?” પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિને સંયમની પ્રાપ્તિ થાય છે–પાપ પ્રવૃત્તિને પરિત્યાગ કરનાર વ્યક્તિને સંયમરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પાપપ્રવૃત્તિથી દૂર રહેવું એનું નામ જ સંયમ કહેવાય છે. એવા આત્માને સ્વાભાવિક રીતે સંયમ પ્રાપ્ત થાય છે. “a vi મંતે ! સામે છે ” હે ભદન્ત! સંયમનું કેવા પ્રકારનું ફળ સંયમી આત્માને મળે છે? મહાવીર પ્રભુ તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy