SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ (નિરા) છે. એટલે કે તપથી કર્મરૂપ વનને વિધ્વંસ થાય છે કર્મોની નિર્જરા થાય છે, “ રેવ જ્ઞાવ પુવતવે પુગલંક મિશ્રા સળિયા અરજો! તેવા રેવહોણુ વન્નતિ” આ રીતે સૂત્ર માં આવતા પ્રશ્નોત્તરેને સૂત્ર પાઠ અહીં ગ્રહણ કરવાનું છે. આ રીતે પૂર્વતપથી, પૂર્વ સંયમથી કમિતાથી અને સંગિતાથી દેવ દેવલેકમાં ઉત્પન્ન થાય છે” ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. અનેક સ્થવિર ભગવંતેએ વિભિન્ન મતે ઉપર મુજબ જવાબ આપ્યા છે, “a vi ga ” તથા તેમણે એમ પણ કહ્યું છે કે અમારું આ કથન અમારી કલ્પનાથી ઉપજાવી કાઢેલું નથી, પણ પાનાથ પ્રભુનું જ તે કથન છે. પાર્શ્વનાથ પ્રભુદ્વારા પ્રતિપાદિત હોવાથી તે સત્ય છે તેમાં શંકા સેવવા જેવું નથી અમારી મહત્તા માટે આ ઉત્તર આપ્યા નથી. પણ અહંત પ્રતિપાદિત ઉત્તર આપ્યો છે. “ મેચંગo gવ” રાજગૃહ નગરના શ્રાવક આ પ્રમાણે વાત કરતા હતા અને કહેતા હતા કે તે સ્થવિરેનું કથન કેવી રીતે માની શકાય ? “રાજગૃહ નગરના શ્રાવકેની આ પ્રકારની ચર્ચા ગૌતમસ્વામીને કાને પડી. “ત” ત્યારે રે મા ગોચ” તે ભગવાન ગૌતમ “મીરે જાણ ઢઢ મળે ” તે ચર્ચાથી પરિચિત થઈને “કાચા નાવ સમુન્નો ” તે વાત જાણવાને શ્રદ્ધાયુક્ત થયા, તે સ્થવિરનું કથન સત્ય છે કે નહીં તે ભગવાન મહાવીરને પૂછીને નકકી કરવાની શ્રદ્ધા તેમનામાં જન્મી અને તે જણવાનું કુતૂહલથયું. જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય તે જાતશ્રદ્ધ કહેવાય છે. ગૌતમ સ્વામીએ જ્યારે શ્રાવકના મુખેથી પૂર્વોકત વાત સાંભળી ત્યારે તેમને આ પ્રકારની સામાન્ય શ્રદ્ધારૂપ વાંછા ઉત્પન્ન થઈ કે તપ અને સંયમના સ્વરૂપને નિર્ણય થ જોઈએ. આ પ્રકારની વાંછાં તેમના હૃદયમાં પહેલાં ઉત્પન્ન થઈ ન હતીશ્રાવકેની વાત સાંભળીને જ હવે તે વાંછા ઉત્પન્ન થઈ હતી. તેથી તેમને જાતશ્રદ્ધ કહ્યા છે. આ પ્રકારની વાંછા ઉત્પન્ન થવાનું બીજું કારણ એ પણ હતું કે સંયમ અને તપને વિષે દેવગતિમાં જવાની વાતને અનુલક્ષીને જુદા જદા સ્થવિરોએ જુદો જુદે અભિપ્રાય દર્શાવ્યા હતા. તેથી ગૌતમને સંશય થયે કે વાસ્તવિક પરિસ્થિતિ શી છે! આ રીતે જાતશ્રદ્ધ હવામાં તેમને સંશય કારણરૂપ થયે તેથી તેમને “જાતસંશય ” કહ્યા છે. તેમને જાતકુતૂહલ કહેવાનું કારણ એ છે કે તપ, સંયમ અને દેવકગમનના વિષયમાં ભગવાન મહા વીરને પૂછવામાં આવતાં તેઓ શે ઉત્તર આપશે તે જાણવાને તેઓ ઉત્સુક થયા હતા. “quળણ” પઢ એમ બતાવે છે કે તપ, સંયમને નિર્ણય કરવાને માટેની વાંછા પહેલાં સામાન્ય રૂપે તેમનામાં જાગી હતી. હવે તે વાંછા તેમનામા વિશેષરૂપે ઉદ્ભવી હતી, અથવા જ્યાં સુધી શ્રદ્ધાનું સ્વરૂપ તિરહિત રહે છે ત્યાં સુધી તે શ્રદ્ધાને (નાના) કહે છે, પણ જ્યારે શ્રદ્ધાનું સ્વરૂપ પ્રકટ થઈ જાય છે ત્યારે તે શ્રદ્ધાને “વજ્ઞા” કહે છે, કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૮
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy