SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને સંયમના વિષયમાં તે શ્રમણોપાસકેએ બે પ્રશ્નો પૂછડ્યા. (ર) ત્યારે (તે થેરા માવતો તે સમળીયાર પર્વ શારી) તે સ્થવિર ભગવતેએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે જવાબ આપે-(સંકળ સજ્જો! માત્ર છે) હે આર્યો! સંયમનું ફળ અનાસ્ત્રવ હોય છે. આસવ એટલે નવીન કર્મોનું આગમન. તે આસ્રવ ન થવો તેનું નામ અનાસવ છે. એટલે કે નવીન કર્મોનું આગમન બંધ થવું તેનું નામ અનાસવ છે. તે સંયમને કારણે બને છે. માટે સંયમનું ફળ અનાસ્ત્રવ કહેલ છે. (તવો વોરા ) તપનું ફલ વ્યવદાન છે. પૂર્વે સંપાદિત કર્મરૂપ ગહન વનને કાપવું તેનું નામ વ્યવદાન છે. અથવા અન્ય ભવમાં સંપાદિત કર્મરૂપ મલનું સંશોધન કરવું તેનું નામ વ્યવદાન છે. આ રીતે પૂર્વકૃત કર્મોના નાશરૂપ તપનું ફળ બતાવ્યું છે. ( agi તે મળવારા થેરે માવંતે વાણી) સંયમનું ફળ અનાસવ અને તપનું ફળ વ્યવદાન હોય છે, એવે તે સ્થવિર ભગવન્તને જવાબ સાંભળીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો-(કા મતે ! રંકને અખાષ્ટ્ર તરે વાળ છે) હેભદન્તા જે સંયમનું ફળ અનાસવ હોય અને તપનું ફળ વ્યવધાન જ હેય તે ( પત્તિ મતે ! રેવા દેવહુ જાતિ ) શા કારણે દેવે દેવલોકમાં ઉત્પન્ન થાય છે? પ્રશ્ન પૂછવાને આશય એ છે કે સંયમનું ફળ અનાસ્ત્રવ જ હોય અને તપનું ફળ વ્યવદાન જ હોય તે સંયમ અને તપની આરાધના કરનારને સીધી મુક્તિની જ પ્રાપ્તિ થવી જોઈએ. દેવકની પ્રાપ્તિ થવી જોઈએ નહીં, કારણ કે સંયમ અને તપનું આરાધન કરનારને દેવેલેકમાં ઉત્પન્ન થવાનું કારણ જ રહેતું નથી. આપના કહેવા પ્રમાણે તે સંયમ અને તપ સિદ્ધિગતિ પ્રાપ્ત કરાવનાર ગણવા જોઈએ. પરતુ એવું જ કાયમ બનતું નથી. કારણ કે એવા જ દેવકમાં પણ ઉત્પન્ન થાય છે. તે તેઓ શા કારણે દેવકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રકારને તે શ્રમણે પાસકેને પ્રશ્ન સાંભળીને (તી સ્ટિયપુરે નામં જે તે સઘળોવાણg gવું વચારી) તે સ્થવિરેમાંના કાલિપુત્ર નામના સ્થવિરે તે શ્રમણોપાસકેને આ પ્રમાણે ઉત્તર આપે- (પુત્રવેગકનો સેવા જેવો પ્ત કaષત્તિ) છે આ ! પૂર્વ તપસ્યાના પ્રભાવથી દેવ દેવલેકમાં ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તપ અને સંયમ કઈ પણ આયુબંધને માટે કારણરૂપ હતાં નથી, પણ તે તે નિર્જરાનાં કારણરૂપ બને છે. છતાં પણ જે છે તેમના પ્રભાવથી દેવલેકના આયુને બંધ કરીને ત્યાં દેવપણે ઉત્પન્ન થાય છે, તેનું કારણ રાગ છે–રાગયુક્ત તપ અને સંયમ દેવગતિનાં કારણભૂત બને છે. વીતરાગનાં તપ અને સંયમ દેવગતિનાં કારણભૂત નહીં બનતાં મુક્તિ નાં કારણરૂપ બને છે, પૂર્વતપ એટલે સરાગાવસ્થામાં કરાતી તપસ્યા કારણ કે તે વીતરાગાવસ્થા કરતાં પૂર્વકાલભાવિની હોય છે. (તસ્ય હિ રામ રે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૮
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy