________________
એજ વાત “સાગર” પદ વડે બતાવી છે. એટલે કે જેમના મનમાં જીવાદિક પદાર્થો વિષે કોઈ જાતની શંકા જ ન હતી તાત્પર્ય એ છે કે તેઓ અત્યંત શ્રદ્ધાળ હતા. એવા તે રોહ અણગાર હતા. અહીં “જાવત' પદ વડે, “ જાતરાય, નાતાત્િરઉન્નશ્રદ્ધ, રવજ્ઞiાયા, ૩રવન્નૌત્ર: સંજ્ઞાતશ્રદ્ધ, સંજ્ઞાવાયા, संजातूकौतूहलः, समुत्पन्नश्रद्धः, समुत्पन्नसंशयः, समुत्पन्नकौतूहलः, उत्थया उत्तिष्ठति उत्थया उत्थाय यत्रैव श्रमणो भगवान् महावीरः तत्रत्र उपागच्छति, उपागत्य श्रमणं भगवन्तं महावीर त्रिःकृत्वः आदक्षिणप्रदक्षिणं करोति, कृत्वा वन्दते नमस्यति, वन्दित्वा नमस्यित्वा नात्यासन्ने नातिदूरे शुश्रूषमाणो नमस्यन् अभिमुखः विनयेन प्राञ्जलिपुट:" આ પાઠને સંગ્રહ થયે છે. તેનો અર્થ આ પ્રમાણે છે–લેક અલોકના તથા જીવ અજીવ આદિ પદાર્થોના પૂર્વ પશ્ચાતુભાવવિષયક સંદેહ તેમને ઉત્પન્ન થયો છે. એટલે કે પહેલાં લોક છે કે એલેક? અથવા પહેલાં અલેક છે કે લેક? પહેલાં જીવ છે કે અજીવ ? અથવા પહેલાં અજીવ છે કે જીવ? એ પ્રકારનો પૂર્વપશ્ચાતુ ભાવ રૂપ સંશય તેમના મનમાં ઉત્પન્ન થયે. તે કારણે તેમને “જાત સંશય” કહ્યા છે. મારા વડે પૂછાયેલા પ્રશ્નોને ભગવાન તરફથી કે જવાબ મળશે? તે જાણવાની જિજ્ઞાસા તેમના મનમાં વધી ગઈ હતી, તેથી તેમને “જાતકૌતૂહલ” કહ્યા છે. એટલે કે પિતે પૂછેલા પ્રશ્નોનાં જવાબ સાંભળવાની ઉત્કંઠા તેમને થઈ હતી. તેમને “ઉત્પન્નશ્રદ્ધ” એ કારણે કહ્યા છે કે વિશેષ રૂપે તત્વ નિર્ણય કરવાની અભિલાષા તેમના મનમાં જાગી ચુકી હતી. અથવા જ્યાં સુધી તત્ત્વનિર્ણય વાંછા રૂપ શ્રદ્ધાનું સ્વરૂપ તેમના ચિત્તની અંદર જ તિરોહિત (દબાયેલું) રહ્યું ત્યાં સુધી તે તેઓ જાતશ્રદ્ધ હતા. પણ જ્યારે તત્વનિર્ણયવાછા રૂપ શ્રદ્ધાનું સ્વરૂપ તેમના ચિત્તમાં પ્રકટ થયું ત્યારે તેઓ ઉત્પન્નશ્રદ્ધ થયા. “વષvoriag” ઉપર દર્શાવેલી બાબતમાં તેઓ વિશેષ વાંછાવાળા હતા તે કારણે તેમને “ઉત્પન્નસંશય” કહ્યા છે. અને તેમને પિતે પૂછેલા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની વિશેષરૂપે ઉત્સુક્તા હતી. તેથી તેમને “ઉત્પન્નકૌતૂહલ” કહ્યા છે. તેમને “સંજાતશ્રદ્ધ” કહેવાનું કારણ એ છે કે પોતે પૂછેલાં તને નિર્ણય કરવાની વાંછા તેમનામાં અધિકતર પ્રમાણમાં ઉત્પન્ન થઈ હતી. તેમને “સંજાત સંશય” કહેવાનું કારણ એ છે કે જીવાદિક પદાર્થોને નિર્ણય કરવાની અભિલાષા તેમના ચિત્તમાં પહેલાં કરતાં હવે અધિકતર પ્રમાણમાં ઉત્પન્ન થઈ ચૂકી હતી. અને એજ કારણે તે પ્રશ્નના ઉત્તર સાંભળવાની ઉત્સુક્તા હવે પહેલાં કરતાં પણ અધિક્તર પ્રમાણમાં જાગૃત થઈ હતી. તેમને “સમુત્પન્નશ્રદ્ધ” કહેવાનું કારણ એ છે કે તેમના ચિત્તમાં તત્ત્વનિર્ણય કરવાની જે વાંછા અત્યારે ઉત્પન્ન થઈ હતી તે વિશેષતમ (સૌથી વિશેષ) રૂપે ઉત્પન્ન થઈ હતી તે હવે સામાન્ય
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૪