SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોની ભરસ્થિતિ એક બે આદિ સાગરોપમની હોય છે. એવા દેવલોકમાંના કોઈ એક દેવલોકમાં તે નિગ્રંથ સાધુને જીવ દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. તે દેવની ત્રાદ્ધિ કેવી હોય છે તે બતાવવાને માટે પ્રભુ ગૌતમને કહે છે કે (૨ of 70 જે મવા રઢિા જાવ મgge) ત્યાં તે એવા દેવ બને છે કે જેની વિમાન પરિવાર આદિ રૂપ ઋદ્ધિ ઘણું જ સારી હોય છે, જેની ઘતિ ઘણુ જ વધારે હોય છે, જે વિશિષ્ટ બળસંપન્ન હોય છે, જે વિશિષ્ટ કીતિ અને વિશિષ્ટ સુખસંપન્ન હોય છે, અને જે અચિત્ય પ્રભાવવાળો હોય છે. જેનું વક્ષસ્થળ સદા હારથી શોભતું હોય છે. જેની બને ભુજાઓ વલય અને ત્રુટિત (બાહુ રક્ષક આભૂષણો ) થી વિભૂષિત હોય છે, જેના બને હાથ અંગદ (અભૂષણ વિશેષ) થી સદા વિભૂષિત હોય છે, જેમના ગાલ કુંડળોની કાન્તિથી સદા ચમકતા રહે છે, અને કર્ણપીઠ ( કણુના આભ ષણ) થી જેમના બન્ને કર્ણ સદા વિભૂષિત રહે છે, જેનાં વસ્ત્ર અને અભૂષણ વિવિધ પ્રકારના હોય છે, જેમના મસ્તક પર વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ અને મુગટ રહે છે, માંગલિક અને શ્રેષ્ઠ વસ્ત્રોને જે સદા ધારણ કરે છે કલ્યાણકારી પુષ્પમાળાઓથી તથા ચન્દન આદિન સુગંધિત લેપથી જેઓ સદા શોભતા હોય છે, જેનું શરીર સદા દેદીપ્યમાન હોય છે, (૪વવUTHI ) પગ સુધી લટકતી અને ઝોલા લેતી વનમાળાથી જે યુક્ત હોય છે, એવું તે દેવ પિતાના દિવ્ય વર્ણથી દિવ્યગંધથી-દેવસંબંધી સુરભિગંધથી, દિવ્ય આકારથી, દિવ્ય સ્પર્શથી–સુકુમાર આદિરૂપ સ્પર્શથી દિવ્ય સંઘાતથી, દિવ્ય સંહનનથી, દિવ્ય સંરથાનથી, વિમાન પરિવાર આદિરૂપ દિવ્ય અદ્ધિથી, દિવ્ય હુતિથી-શારીરિક દીતિથી, દિવ્ય વિમાનના પ્રભાવથી દિવ્ય શરીર સૌંદર્યથી, શરીરે પહેરેલાં રત્નાદિની દિવ્ય કાન્તિથી, તથા શરીરની કાંતિ અને દેહ સૌદર્યથી (ાર વિના) દસે દિશાઓને (પૂર્વાદિ ચાર દિશા, અગ્નિ આદિ ચાર ખૂણા, તથા ઉપરની અને નીચેની દિશાઓ) (૩ માળે) પ્રકાશિત કરતા (મામાણે) પ્રભાયુક્ત કરતા, (નાવ વણિક) જેનારના ચિત્તને પ્રસન્ન કરતા-તેમનું રૂપ એટલું બધું મનોશ હોય છે કે તેમને જોનારની આંખ તેમનું રૂપ જોતાં તૃપ્તિજ અનુભવતી નથી. તેઓ જેનારની નજરે ક્ષણે ભો નવીન રૂપ ધારણ કરતા હોય એવું લાગે છે. (તે બં સરળ અને રે અનૈહિ વાળ તેવી મિઝુનિય મજુનિચ પરિચ) ઉપરોક્ત સમૃદ્ધિ આદિથી યુક્ત દેવલોકમાંના કેઈ પણ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલે તે દેવ, અન્ય દેવોને તથા અન્ય દેવની દેવીઓને વારં વાર પિતાને વશ કરીને તેમની સાથે વિષયસુખ ભોગવે છે. તથા (અગિરિરથમ તેવો અનિંનિર મિનિ રિચારૂ) પિતાની દેવીઓને વશ કરીને વારં વાર તેમની સાથે વિષયસુખ ભેગવે છે. (અવળાવ લg ) પિતે જ પોતાની જાતને ( વિકરિનાં વિદિવય ) વૈકિય શક્તિથી દેવ અને દેવી રૂપે ઉત્પન્ન કરીને ( નો પરિચારૂ ) વિષયસુખ ભોગવતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે( 1 કિ ૨ ૬ નવે) એક જીવ ( gi' સમM) એક સમયે (ા રેચ વે) એક જ વેદનું વેદન કરે છે. (સંહા-થિયરો વા કુરિચ તા). કાંતે તે સ્ત્રીવેદનું વેદન કરે છે, કાંતે પુરુષવેદનું વેદન કરે છે અને વેદનું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy