SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) કે એક જ જીવ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદનું વેદન કરે છે. ( અહી ગૌતમના પ્રશ્નમાં આવતું સમગ્ર કથન ગ્રહણ કરવું જોઈએ) ( જે તે gવું થાય) અન્ય મતવાદીઓએ એવું જે કહ્યું છે તે (મિ તે વંકાય). તેમણે મિથ્યા કહેલું છે. એટલે કે તેમનું કથન સાચું નથી. કારણકે તે દેવ જ્યારે સ્ત્રીનું રૂપ ધારણ કરે છે ત્યારે પણ પિતે પુરુષ હોવાથી તે સમયે તેના પુરુષવેદને જ ઉદય સંભવી શકે છે–સ્ત્રીવેદને નહીં. સ્ત્રીવેદનું પરિવર્તન કરવામાં આવે ત્યારે સ્ત્રીવેદને જ ઉદય રહે છે, પુરુષવેદને નહીં, કારણ કે સ્ત્રીવેદ અને પુરુષવેદ એક બીજાથી વિરૂદ્ધ જ હોય છે કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ પિતાના મૂળ શરીરમાં રહેવા છતાં પણ એક સમયે અનેક રૂપ બનાવી શકે છે. એક જ સમયે તે સ્ત્રી અને પુરુષ બની જઈ શકે છે. પણ જ્યારે તેણે પુરુષ અને સ્ત્રી બનનું રૂપ ધારણ કર્યું હોય ત્યારે પણ તે કૃત્રિમ સ્ત્રી રૂપમાં એકલા પુરુષવેદને જ ઉદય હાય છે, કારણકે પુરુષવેદને જેનામાં ઉદય છે એવા જીવનું તે એક રૂપાંતર જ હોય છે. તેથી એક જ સમયે બે વેદોને ઉદય માનવો તે ન્યાયસંગત લાગતું નથી. કારણકે એક જ સમયે એક જ જગ્યાએ બે વેદનો ઉદય થવો શક્ય નથી. જેમની વચ્ચે પરસ્પર વિરોધ હોય છે તેમનું એક જ જગ્યાએ એક જ સમયે અસ્તિત્વ જોવામાં આવતું નથી. જેમકે જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય. કુદરતી રીતે જ. સ્ત્રીવેદ અને પુરુષવેદ એક બીજાના વિરોધી હોવાથી એક જ સમયે અને એક જ જગ્યાએ તે બનેનું અસ્તિત્વ સંભવી શકતું નથી. તેથી “એક જ જગ્યાએ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બનેનો ઉદય થાય છે,” એવી પરતીથિકની માન્યતા મિથ્યા છે. આ વિષયને વિસ્તારથી સમજાવવા માટે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે (શ કુળ નોરમા | gવું સારવવામિ, માતામિ, પરામિ, હોમિ) હે ગૌતમ! હું તે એવું કહું છું, એવું ભાષણ કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું, અને એવી પ્રરૂપણા કરું છું કે (gવં વહુ નિયંઠે ૪રપ સમા) નિગ્રંથ સાધુ કાલધર્મ પામીને સામાન્ય દેવલોકમાં ઉત્પન્ન થતો નથી, પણ તે તે (મઢિપુ ના માજુમાવેલુ રાજૂgણ નિદિgતેવો અન્ન તેવોug વવવત્તા મg એવા કેઈ દેવલેકમાં ઉત્પન્ન થાય છે કે જ્યાં વિશિષ્ટ વિમાન પરિવાર આદિ રૂપ રુદ્ધિ હોય છે. જે દેવલેકે પિતાના અચિત્ય પ્રભાવથી સદા યુક્ત હોય છે અહીં (શાસ્ત્ર ) ( પર્યન્ત) પદ દ્વારા (મગુરૂજતું, મ હુ, માનસેતુ, મારો ) આ પદે ગ્રહણ કરાયાં છે તેમને અર્થ આ પ્રમાણે છે-જે દેવલોક પિતાની વિશિષ્ટ પ્રભાથી સદા ચમકતા રહે છે, જે વિશિષ્ટ બળથી યુક્ત હોય છે. જ વિશાળ કીર્તિને ભંડાર હોય છે, જે વિશિષ્ટ સુખોના ભંડાર હોય છે. તથા દૂર દૂર ગમન કરનારા દેથી જે સદા ભરેલા રહે છે અને જ્યાં રહેનારા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૦
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy