SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ वेयण कसाय मरणे वेउव्वियतेउयआहारे ॥ केवलिए चेव भवे, जीवमणुस्साण सत्तेव ॥ १ ॥ આ ગાથામાં જણાવ્યા પ્રમાણે જીવપદ અને મનુષ્યપદમાં સાત સમુહૂઘાત હોય છે. નારકાદિ જેમાં તે તે સાતમાંથી યોગ્યતા અનુસાર સમુદઘાતે જ થાય છે, સાતે સમુદ્રઘાત થતા નથી, વેદના સમુદાઘતવાળે જીવ વેદનીય કર્મોનાં પતિને નાશ કરે છે. કષાય સમુદુઘાત વાળે જીવ કષાયનાં પુદ્ગલેને નાશ કરે છે. મારણાન્તિક સમુદ્દઘાતવાળો જીવ આયુષ્કકર્મોના પુલને નાશ કરે છે. વૈક્રિય-સમુદ્રઘાતવાળે જીવ પિતાના આત્મપ્રદેશને શરીરની બહાર કાઢીને તેને એક મેટે, સંખ્યાત જન પ્રમાણુ લાંબે દંડ બનાવે છે, તે દંડની પહોળાઈ તે દંડ બનાવનાર વ્યક્તિના શરીર જેટલી જ હોય છે. દંડ બનાવ્યા પછી તે આત્મા યથાસ્થૂલ વૈકિય શરીર નામ કર્મનાં પુદ્રલે કે જેમને તેણે પહેલેથી બાંધી રાખ્યાં હોય છે, તેમને નષ્ટ કરે છે. અને તેમને નાશ કર્યા પછી તે આત્મા યથાસૂમ વૈક્રિય શરીર નામકર્મનાં પુલેને ગ્રહણ કરે છે. કહ્યું પણ છે- (વેરદવા મુવા સમો, સરગારું ગોચાહું છું ને , અાવા રે જોજે પરિણાહેરૂ મહાસુદુ પામ સારૂતિ) જીવ વૈકિય સમુદુઘાત કરે છે. તે સમુદ્દઘાતમાં તે પિતાના આત્મપ્રદેશોને દંડાકારે સંખ્યાત જન સુધી લંબાવે છે, યથા બાદર પુદ્ગલેની તે પરિશાટના કરે છે અને યથાસૂમ પદ્રલેને તે ગ્રહણ કરે છે એજ પ્રમાણે તિજસ સમુદ્દઘાત અને આહારક સમુદ્દઘાત વિષે પણ સમજવું. તે બધા સમુદ્યામાં આત્મપ્રદેશનું શરીરમાંથી બહાર નિર્ગમન ( નીકળવાની ક્રિયા) થાય છે. તે બધા સમુદ્દઘાતને સમય અન્તર્મુહૂર્તને હોય છે. ફક્ત કેવલિ સમુદ્દઘાતન કાળ આઠ સમયને કહ્યો છે, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય છ શરૂઆતના ત્રણ–એટલે કે વેદનીય, કષાય અને મારાન્તિક–સમુદ્રઘાત કરે છે. વાયુકાયિક છે તથા નારક છેશરૂઆતના ચાર સમુદ્રઘાત કરે છે–એટલે કે પૂર્વોક્ત ત્રણ સમદઘાત અને થે વૈક્રિયસમુદ્દઘાત કરે છે. દેવ અને પંચેન્દ્રિય તિર્યંચ શરૂઆતના પાંચ-પૂર્વોક્ત ચાર અને તૈજસ–સમુદ્દઘાત કરે છે. મનુષ્ય સાતે સાત સમુદુઘાત કરે છે. એકેન્દ્રિયથી લઈને મનુષ્ય પર્યન્તના જે સમુદઘાતે કહ્યા છે તેમાં અલ્પ બહુર્વ બતાવવા માટે સૂત્રકાર કહે છે-(વાવ માળિયા) તેનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિયથી લઈને વૈમાનિક દેવે સુધીના જીવનું સમુદુઘાતનું પ્રકરણ પ્રજ્ઞાપના સૂત્રમાં આપેલું છે. તે અહીં તે પ્રકરણમાં આપ્યા પ્રમાણે કથન સમજવું. (સાય સમુપાયા રાણાવદુ) કષાય સમુઘાત તથા અલ્પબહુત્વ કહેવું જોઈએ. સમુદ્રઘાત સાત છે, તેમાંથી વેદના સમુદુઘાતના વિષયમાં આગળ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૬
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy