SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ તાત્પર્ય એ છે કે જેમ ઘટ (ઘડે) ને જાણનારે આત્મા ઘડાને જાણતી વખતે તે ઘટને જાણે છે- એ જ પ્રમાણે વેદના આદિ સમુઘાત કરનારો આત્મા પણ જ્યાં સુધી વેદના આદિ સમુદ્દઘાત વિષયક જ્ઞાન વાળો નહીં થાય, ત્યાં સુધી તે વેદનાદિ સમુદ્દઘાતને જાણી શકશે નહીં. જે તે તેને જાણશે તે તે વાત નિશ્ચિત છે કે તે તેના વિષેના જ્ઞાનના આકારમાં પરિણત થઈ ગયો છે. ત્યારે જ તે તેને જાણી શકે છે. એ જ પ્રમાણે વેદના આદિના અનુભવ-જ્ઞાનની સાથે આત્માનું જે તદાકાર રૂપે પરિણમન થાય છે તેને જ આત્મા અને વેદના આદિ અનુભવ જ્ઞાનને એકીભાવ કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સમુદઘાતમાં આત્મા એકમેક થઈને તેની સાથે સંબંધ રાખનારા કર્મોને આત્મપ્રદેશથી અલગ કરે છે, એનું નામ જ સમુદ્દઘાત છે–એજ સમુદુઘાતને શબ્દાર્થ છે, અને જયારે આત્મા વેદના આદિ સમુઘાતરૂપે પરિણમે છે ત્યારે તે કાલાન્તરે અનુભવવાને યોગ્ય કર્મપ્રદેશને ઉદીરણું દ્વારા ખેંચીને ઉદયમાં લાવે છે-ઉદયમાં લાવીને તેમનું વેદન કરે છે, અને ત્યાર બાદ તેની નિર્ભર કરે છે. એટલે કે આમપ્રદેશોની સાથે સંકિલષ્ટ ( લાગેલાં) તે વેદનીય આદિ કર્મ પ્રદેશની તે આત્મા પરિચાહના કરે છે, એનું નામ જ પ્રબળતા પૂર્વક ઘાત ( નિર્જર) –છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વેદનીય આદિ કર્મના જે પ્રદેશ કાળાન્તરે ઉદયમાં આવવા લાગ્યા હતા, તેમને વેદનીય આદિ સમુદ્દઘાત યુક્ત થયેલે આત્મા ઉદીરણાકરણ રૂપ પ્રબળતા દ્વારા ઉદયમાં લાવીને ખપાવી નાખે છે-દૂર કરી નાખે છે- એ પ્રમાણે તેને દૂર કરવાની અથવા ખપાવવાની ક્રિયાને જ “ પ્રબળતા પૂર્વક ઘાત” કરે છે. આ પ્રમાણે સમુદ્દઘાતને અર્થ સ્પષ્ટ કરીને હવે સૂત્રકાર ગૌતમસ્વામીના પ્રશ્નોને ભગવાન મહાવીરે શો ઉત્તર આપ્યો તે સમજાવે છે (જોયા!) હે ગૌતમ! (સત્તરમુઘાયા વળા ) સમુદ્દઘાત સાત કહ્યા છે. વેદના સમુદૂઘાત આદિના ભેદથી તેના સાત પ્રકાર પડે છે. તેનું પ્રજ્ઞાપના સૂત્રમાં જે વર્ણન કર્યું છે તે અહીં ગ્રહણ કરવાનું છે, એમ સમજાવવા માટે સૂત્રકારે કહ્યું છે કે (ga સાચા છ૩મરથયસમુ વાચક માચિત્ર) છદ્મસ્થક સમુદ્દઘાતને છોડીને આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–(વળ મરે! છાપમfથી સગુણાચા પત્તા ?) હે ભદન્ત ! છાઘસ્થિક સમુદુઘાત કેટલા છે? તે તેને લગતા પ્રકરણને અહીં છોડી દેવાનું છે તે પ્રકરણ અહીં પ્રહણ કરવાનું નથી, કારણ કે છાઘસ્થિક સમુદ્રઘાત છ હોય છે અને અહીં સાત સમુદ્દઘાતનું પ્રકરણ ચાલી રહ્યું છે પ્રજ્ઞાપના સૂત્રમાં સાત સમુદ્દઘાતોનું જે પ્રકરણ છે તે પ્રકરણ જ અહીં સમુદુઘાત પદથી ગ્રહણ કરવાનું છે, છ સમુદ્દઘાતનું વર્ણન કરનાર પ્રકરણ અહીં ગ્રહણ કરવાનું નથી. કારણ કે સમુદ્દઘાત તે સાત છે. (રમુજાચપચં) તે પ્રજ્ઞાપના સૂત્રનું છત્રીસમું પદ છે. તેમાં સમુદ્રઘાતોનું વર્ણન કર્યું છે. તે તે છત્રીસમું પદ અહીં ગ્રહણ કરવાનું છે. તે પદ આ પ્રમાણે છે ( મતે કુવારા ! સત્તત મુવઘાચા પત્ત, તે હારેવનામુઘાણ, સાયણમુઘાર) ઈત્યાદિ ! સમુદ્દઘાત વિષે આ ગાથા પણ છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy