SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તે તે દિશાઓને છોડીને બાકીની ત્રણ, ચાર વગેરે દિશાઓમાં જ જીને પ્રાણાતિપાત કિયા થતી રહે છે. ક્યારેક તે ત્રણ દિશાઓમાં જીવોને થાય છે, ક્યારેક ચાર દિશાઓમાં જીને થાય છે અને ક્યારેક પાંચ દિશામાં અને પ્રાણાતિપાત ક્રિયા થાય છે. વ્યાઘાત એટલે અવરોધ અથવા પ્રતિબંધક વસ્તુ. જે કંઈ જીવને જ્યારે અલેક પ્રતિબંધક હોય છે ત્યારે તે જીવને ત્યાં કિયા થતી નથી. જ્યારે ત્રણ દિશામાં અલકની વ્યાપ્તિ હોય છે ત્યારે દિફકેણમાં જીવને પ્રાણાતિપાત ક્રિયા બાકીની ત્રણ દિશાઓમાં જ થાય છે. જયારે એ દિશામાં જ એક વ્યાપ્ત હોય છે. ત્યારે ચાર દિશાઓમાં જ પ્રાણાતિપાત કિયા થાય છે જ્યારે એક જ દિગ્વિભાગમાં અલકાત્મક અવરોધ હોય છે ત્યારે પાંચ દિશાઓમાં જીવની પ્રાણાતિપાત ક્રિયા થાય છે. અવરોધના અભાવે છએ દિશાઓમાં થાય છે. આ રીતે ત્રણ, ચાર, પાંચ અને છ દિશાઓમાં જીવને પ્રાણાતિપાત ક્રિયા થાય છે. પ્રશ્ન-(સ મંતે ફ્રિ શe as we m) હે ભગવન ! તે પ્રાણાતિપાતરૂપ ક્રિયા કૃત હોય છે કે અકૃત હોય છે ? જે ક્રિયા જીવ વડે થાય છે તે ક્રિયાને કૃત કહે છે અને જે કિયા જીવ વડે નથી થતી તેને અમૃત કહે છે. ઉત્તર– mોચમા ! શા શરૂ નો જવા શકાર) હે ગૌતમ ! પ્રાણાતિપાતરૂપ કિયા કૃત જ હોય છે, અકૃત હતી નથી. જે અકૃત હેત તો તેને ક્રિયા જ ન કહી શકાત. જે ક્રિયા છે તે તે કત જ હોય છે, અકૃત હોતી નથી. જે કરવામાં આવે તેનું નામ ક્રિયા અથવા કર્મ છે. કર્મ તે મૃત જ હોય છે, અકૃત હેતું નથી. અકૃતમાં કર્મ પણાને અભાવ જ હોય છે. જે ક્રિયામાં અકૃતપણું માની લેવામાં આવે તે તે કર્મરૂપે જ સંભવી શકે નહીં પ્રશ્ન-(ા મંતે અત્તર ઝ, પરા ઝરૂ, તમા જ શરું?) હે ભગવન શું તે ક્રિયા આત્મકૃત હોય છે, કે પરકૃત હોય છે, કે તદુભયકૃત–આત્મા અને પર બને મારફત કૃત હોય છે? અહીં “બ” પર મારિ” ના અર્થમાં બધે વપરાયું છે ઉત્તર–( જય ! અરજી કર્યું, જે જs 7, જે તામય )હે ગૌતમ! તે પ્રાણાતિપાતરૂપ કિયા જે કૃત છે તે આત્મકૃત જ હોય છે, પરકત હોતી નથી. અને ઉભયકૃત પણ હોતી નથી. તાત્પર્ય એ છે કે જે ક્રિયા જે જીવને હોય છે, તે ક્રિયાને કર્તા તે જીવ પોતે જ હોય છે, બીજે કંઈ જીવ હતું નથી. કારણ કે અન્ય છ વડે કરાયેલી ક્રિયાને પિતાની સાથે કઈ સંબંધ જ હેત નથી. તે કારણે તે ક્રિયા પરકૃત કે ઉભયકૃત પણ હેતી નથી. (ા મેતે ! ( કાળુપુત્રિ થsઝ, કાજુ, િવ ા વગર?). હે ભગવન ! તે આત્મકૃત કિયા આનુપૂર્વીથી થાય છે કે આનુપૂર્વી વિના થાય છે? ઉત્તર-હે ગૌતમ ! કિયા આનુપૂર્વીથી થાય છે અનાનુપૂર્વીથી નહિ. જ્યાં પૂર્વાપરના કમથી વ્યવસ્થા થાય છે ત્યાં કિયા અનુપૂર્વીથી થઈ ગણાય છે. કિયા પૂર્વ અને પશ્ચિાતુરૂપ વિભાગથી જ થાય છે. આનાનુપૂવીમાં પૂર્વ કે પછી ક્રમ રહેતો નથી. પૂર્વ અને પછીને ક્રમ આનુપૂર્વીમાં જ હોય છે. म० ५ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy