________________
અને ત્રીજી પ્રતિમા, એટલે કે દસમી ભિક્ષુ પ્રતિમા કે જેની આરાધના પણ સાત દિનરાત કરવો પડે છે, તેનું પણ સ્કન્દક અણગારે વિધિ પૂર્વક “નાજ્ઞયા ગારધો માત” શાસ્ત્રજ્ઞા પ્રમાણે આરાધન કર્યું. આ ત્રણ પ્રતિમામાની પહેલી ( આઠમી ભિક્ષુપ્રતિમા ) નું આરાધન કરનારે ચાર પ્રકારના અહારને ત્યાગ કરીને એકાન્તર ઉપવાસ કરવા જોઈએ. ગામની બહાર કાન્સર્ગ કરવો જોઈએ. ઉત્તાનક, પાર્થિક અને નૈષધિક, એ ત્રણમાંના કોઈ પણ એક આસને બેસવું જોઈએ સૂવે ત્યારે ચત્તા અથવા એક પડખે સૂવે. બેસે ત્યારે નૈષધિક આસને બેસે “નિષ” એ બેસવાની એક રીત છે. તે દ્વારા બનતાં આસ નને નૈષધિક કહે છે. તે નિષદ્યા પાંચ પ્રકારની કહી છે-(૧) સમપાદપુત, (૨) નિષધિકા, (૩) હક્તિશુંડિકા, (૪) પર્યકા અને (૫) અર્ધપર્યકા.
જે પાસનમાં બન્ને પગ અને પુત ( કુલા) બેસવાની ભૂમિને સ્પર્શ છે, તે આસનને (સમપાદપુત નિષઘા) કહે છે. જે આસનમાં ગાયની જેમ બેસવું પડે છે તે આસનને ”જોનિવૃશ્ચિા ' કહે છે. જે નિષદ્યામાં બને પગ અને બને પુતથી સમાન બેસીને એક પગને હાથીની સૂંઢની જેમ લંબાવીને બેસવામાં આવે છે તે આસનને (હસ્તિ શુંડિકા) કહે છે પદ્માસને બેસવાની રીતને (પર્ય કાનિષદ્યા) કહે છે. જે આસનમાં એક પગને બીજા પગ પર રાખીને બેસવામાં આવે છે તે આસનને “અર્ધ પર્યકા નિષદ્યા” કહે છે. - નવમી ભિક્ષુ પ્રતિમામાં પણ ચાર પ્રકારના આહારનો પરિત્યાગ કરીને એકાન્તર ઉપવાસ કરવા પડે છે જેમાં આસનની જ વિશિષ્ટતા હોય છે. તેમાં (૧) દંડાસન, (૨) લગંડાસન અને (૩) ઉકુટુકાસન એ ત્રણ આસને હોય છે. જે આસનમાં પગના અગ્રભાગ આદિને ફેલાવીને દંડની જેમ પડી જવાય છે તે આસનને દંડાસન કહે છે. “લગંડ '' એટલે વકકાષ્ઠ લગડા સનમાં મસ્તક અને એડી આદિ ભાગ ભૂમિને સ્પર્શે છે પણ પીઠનો ભાગ ભૂમિને સ્પર્શતું નથી. જે આસનમાં બેસતી વખતે પુત “ કુલા ' જમીનથી અદ્ધર જ રહે છે તે આસનને ઉકુટુકાસન કહે છે.
દસમી ભિક્ષુપ્રતિમામાં પણ પહેલી બે-આઠમી અને નવમી-પ્રતિમા પ્રમાણે જ સાત દિનરાતની તપસ્યા કરાય છે. પણ દસમી પ્રતિમામાં આ ત્રણ આસને થાય છે-(૧) વીરાસન, (૨) ગોહિકાસન અને (૩)આમ્રકુન્શાસન, ખુરશી પર બેઠેલા માણસની નીચેથી ખુરશીને ખસેડી લેવામાં આવે છતાં પણ ખુરશી પર બેઠા હોય એજ રીતે જે આસનમાં બેસવામાં આવે છે તે આસનને વીરાસન કહે છે. તેને વીરાસન કહેવાનું કારણ એ છે કે તે આસન વીર પુરુષો દ્વારા આચરણીય છે. ગાયને દોહતી વખતે જે રીતે દેહ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૨૧