SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કન્દ,ચરિત્રની ઉત્પત્તિ પછી ભગવાન સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય જંબુસ્વામીને સંબોધીને આ પ્રસ્તુત વાચનામાં સ્કન્દકના ચરિત્રની પ્રરૂપણ કરી છે. આ રીતે તેમાં વિરોધાભાસ જેવું કંઈ રહેતું નથી. સ્કન્દકે ભગવાનને શું કહ્યું ? સૂત્રકાર તે બતાવે છે-“છમિ મંત ! તુહિં અમgoore સનાળે માસિ મિgવ વર્ષવનિત્તાઇ વિકિરણ” હે ભગવન્ ! જો આપની આજ્ઞા હોય તે માસિક ભિક્ષુ પ્રતિમાની આરાધના કરવાની મારી ઇચ્છા છે. ત્યારે ભગવાન મહાવીરે તેમને જવાબ આપે- “ સુિ રેવાનુfપચા! માં વિંધે ” તમારી ઇચ્છા પ્રમાણે સુખેથી કરે પરંતુ શુભ કાર્યમાં વિલંબ કરે નહીં. “ત તે વંશા મારે” ત્યારે તે સકન્દક અણગારને “અદમણુન્નાઇ સમાને ” “તમનમાયા મહાવીરે ” શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મળવાથી “ જાવ મંપિત્તા ” ઘણે હર્ષ તથા સંતેષ પામ્યા અને તેઓએ ભગવાન મહાવીર ને વંદન નમસ્કાર કર્યો. વંદન નમસ્કાર કરીને “મા િfમgવણિમે વાંનિત્તા વિરૂ” તેમણે માસિય ભિક્ષુપ્રતિમાની આરાધના કરવા માંડી આ પહેલી ભિક્ષુપ્રતિમા એક માસમાં પૂર્ણ થાય છે. તેની આરાધના કરનાર શિક્ષ અમુક પ્રકારના અભિગ્રહનું પાલન કરે છે.તેની આરાધના ગ૭ની બહાર રહીને કરાય છે. તેની આરાધના કરનાર એક માસ સુધી દરરોજ એક દત્તિ આહારની અને દક્તિ પાણીની લે છે. દક્તિ એટલે ધારાવલી તૂટયા વિના જેટલું વહોરાવવામાં આવે તેટલા ભાગને એક દત્તિ કહેવાય છે. કહ્યું પણ છે "गच्छा वि णिक्वमित्ता, पडिवज्जइ मासियं महापडिमं॥ दत्तेग भोयणस्स य, पाणस्स वि एग जा मासं ॥ १ ॥ આ ગાથા વડે ઉપરોક્ત વાત જ સમજાવવામાં આવી છે. દશાશ્રુતસ્ક ધ સૂત્રના સાતમાં અધ્યયનના ત્રીજા સૂત્રથી લઈને બાવીસમાં સૂત્ર સુધીમાં તેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. તે જિજ્ઞાસુઓએ ત્યાંથી વાંચી લેવું. તે સૂત્રોની વ્યાખ્યા પણ તેમાંજ આપેલી મુનિહર્ષિણી નામની ટીકામાંથી વાંચી લેવી શંકા–ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન તે વિશિષ્ટ શ્રુતજ્ઞાન વાળા જ કરી શકે છે. એવું સિદ્ધાંતમાં કહ્યું છે જેમ કે – "गच्छे च्चिय निम्माओ, जा पुन्या दसभवे असंपुण्णा । नवमस्स तइय वत्थू , होइ जहष्णो सुयाहिगमो” ॥ १ ॥ ભિક્ષુપ્રતિમાની આરાધના એજ મુનિ કરી શકે છે કે જે ગચ્છમાં કુશલ હેય, જે વધારેમાં વધારે દસ પૂર્વથી કંઇક ઓછા જ્ઞાનને ધારી હોય અને ઓછામાં ઓછો નવમાં પૂર્વની ત્રીજી વસ્તુને (વલ્થને ) જ્ઞાતા હોય. જ્યારે સ્કન્દક અણગાર તે પૂર્વના ધારક ન હતા તેઓ તે અગિયાર અંગના જ પાઠી (ધારક) હતા. તો આ પ્રકારના વિશિષ્ટ તપની આરાધના કરવાને અધિકાર તેમને કેવી રીતે હોઈ શકે? ઉત્તર–શાસ્ત્રનો એ નિયમ બીજી વ્યક્તિઓને માટે છે પણ સ્કન્દક અણગારને તે નિયમ લાગુ પાડી શકાય નહીં, કારણ કે તેમણે સાક્ષાત્ સર્વજ્ઞ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૮
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy