SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સમાવેશ થતો હોય એવા ધર્મને આપ પોતે જ મને ઉપદેશ આપે એવી મારી ઈચ્છા છે. આ રીતે જ્યારે ભગવાન મહાવીરે સ્કન્દકને પ્રવજ્યા દીક્ષા ગ્રહણ કરવાનો ઉત્સાહ જોયે અને તેનું પાલન કરવાનું તેમનું સામર્થે પોતાના કેવળજ્ઞાનરૂપ પ્રકાશથી જાણું લીધું, ત્યારે ભગવાને પોતેજ તેને દીક્ષા આપી. હવે એજ વાતનું સ્પષ્ટીકરણ કરવાને માટે સૂત્રકાર કહે છે કે (79) સ્કદકની ઉપરોક્ત વિનંતિ સાંભળીને (સમળે માવ માવી) શ્રમણ ભગવાન મહાવીરે (રયં વાચનસોત્ત) કાત્યાયન ગોત્રીય સ્કન્દકને (સથવ વાવેફ) પોતાના હાથે જ દીક્ષા આપી (નાઘ ધબ્બે કાવ) અને ઉપરોક્ત જે પ્રકારની ઈચ્છા તેમણે પ્રકટ કરી હતી તે રીતે મુનિધર્મ તેમને સમજાવ્યો, હવે સૂત્રકાર એ બતાવે છે કે ભગવાન મહાવીરે સ્કન્દકને મુનિધર્મ કેવી રીતે સમજાવ્યો. (ાવે તેવાણુજિયા તર) હે દેવાનું પ્રિય, સ્કન્દક આ પ્રમાણે ચાલવું જોઈએ તાત્પર્ય એ છે કે મુનિએ, મુનિ ધર્મનું પાલન કરવાને માટે જે માગે ચાલવાનું હોય તે માગે બરાબર સામે નજર નાખીને ચાલવું જોઈએ આ પ્રમાણે સાવધાની રાખવાથી જીવની હિંસા થતી નથી આ પ્રમાણે ચાલનાર સાધુ ઈર્યાસમિતિનું પાલન કરનાર ગણાય છે. મુનિ ધર્મનું નિર્દોષપણે પાલન કરવા માટે ઈર્યાસમિતિનું પાલન કરવું આવશ્યક ગણાય છે. એમ કરવાથી અન્ય જીના પ્રાણનું રક્ષણ થાય છે એટલું જ નહીં પણ અહિંસારૂપ મહાવ્રતનું પણ સારી રીતે પાલન થાય છે | (gવં રિદ્રિયવં) હે દેવાનુપ્રિય ! જે જગ્યાએ ઘણુ માણસોની અવર જવર થતી હોય એવી જગ્યામાં, સંયમના પાલનમાં કઈ મુશ્કેલી ન પડે, તથા પિતાના તરફથી અન્ય જીને કેઈ જાતની મુશ્કેલી ન પડે, એ રીતે ઉભા રહેવું જોઈએ. ( નિરરૂચ) મુનિની એ ફરજ છે કે જ્યાં તે બેસવા માગતા હોય તે જગ્યાને પહેલાં રજોહરણથી સાફ કરવી જોઈએ, ત્યારપછી ત્યાં બેસવું જોઈએ, ( gધે તક્રિયવં) પડખું બદલતી વખતે પણ મુનિએ સાવધાની રાખવી જોઈએ-સૂતી વખતે પડખું બદલવાની જરૂર પડે ત્યારે મુનિએ જે બાજુ પડખું બદલવું હોય તે ભાગને રજોહરણથી સાફ કરીને પડખું ફેરવવું જોઈએ, (gવ મુનિવરચં) આ પ્રમાણે ભોજન કરવું જોઈએ મૂનિ એ નિર્દોષ આહાર ગ્રહણ કરે જોઈએ-આહાર સંબધી દેશે રાખીને આહાર લે જોઈએ (પર્વ મારિચા) બેલતી વખતે ભાષા સમિતિનું પાલક કરવું જોઈએ. સાધુએ સાવદ્ય (દેષ યુક્ત) ભાષાને સદા પરિત્યાગ કરવે જોઈએ હિત, મિત વચને જ બોલવા જોઈએ. " (gવં ઉદ્ગા ફૂા) પિતાની આત્મ શક્તિથી ઉઠીને-એટલે કે પ્રમાદ તથા નિદ્રાને ત્યાગ કરીને, સાવચેતી પૂર્વક-વિવેકયુક્ત થઈને (ા, મઉિં, જ્ઞોટું ) મુનિએ પ્રાણ, ભૂત, જીવ અને સની યતના પૂર્વક રક્ષા કરવી જોઈએ. એજ વાત (સંકળ સંમિચ4) આ સૂત્ર પાઠ. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૭
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy