SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછા વજનની પણ ભારે મૂલ્યની વસ્તુઓ (પછી પુરાણ ) હવે પછીના સમયમાં મને (ચાર) હિતકારક, (સુ) સુખકારક, (માફ) કલ્યાણ કારક, (નિયા ) અને ભાગ્યોદય કારક બનશે, (બાજુનિયા) અને મારી ભાવી પેઢીને માટે પણ ઉપગી (મવિરપટ્ટ) થઈ પડશે. આ રીતે વિચાર કરીને, તે ગૃહસ્થ પિતાના સળગતા મકાનમાંથી ઘણા ઓછા વજનની પણ કીમતી વસ્તુઓ (રત્ન, મણિ વગેરે) લઈને સુરક્ષિત સ્થાનમાં જઈને રહે છે. આ પ્રમાણે દૃષ્ટાંત આપીને હવે સ્કન્દક પિતાની સરખામણું પણ તે ગૃહસ્થની સાથે કરતાં કહે છે. કે ( મેર) એજ પ્રમાણે, (વાઇrfજા ). હે દેવાણુપ્રિય મારી પાસે પણ આત્મા રૂપી રત્ન મોજુદ છે. જેવી રીતે પિલા ગૃહસ્થ એવો વિચાર કર્યો કે ઓછા ભાર વાળી પણ કીમતી વસ્તુને જે સળગતા ઘરમાંથી બહાર કાઢી લેવામાં આવશે તે તે પોતાને માટે ઉપયોગી, તથા કલ્યાણકારી થઈ પડશે, એવી જ રીતે મારી પાસે પણ એક રત્ન મેજૂદ છે કે જેની પણ બળતા ઘરમાંથી રક્ષા કરવા લાયક વસ્તુની જેમ-રક્ષા કરવાની જરૂર છે. એજ વાત આ રીતે પ્રગટ કરવામાં આવી છે- (મક વિ ભાયાને મં) હે ભગવાન મારે આત્મા પણ એક અતિશય કીમતી વસ્તુ છે. તે એક ભાંડ (પાત્ર) ના સમાન છે. (૨) તે મારે માટે વાંછિત–અર્થને પૂરક હોવાથી ઈષ્ટ રૂપ છે, (તે) તે હિતની પ્રાપ્તિ કરનાર હોવાથી કાન્ત છે, (વિ) તે અવ્યાબાધ સુખ દેનાર હોવાથી મને પ્રિય છે, (મgom) તે શુભગતિ અપાવનાર હોવાથી મનેઝ છે, (મારે) અક્ષય સુખનો દાતા હેવાથી મનેમ છે, (થેકને ) અવિનાશી હોવાથી સ્થિરરૂપ છે, (વેક્ષife) મોક્ષની પ્રાપ્તિ માટે વિશ્વાસ પાત્ર હોવાથી વૈશ્યાસિક છે. (સં૫) તેની મારફત કરાયેલાં કાર્યો સાથે સમંત હોવાથી સંમત છે, (ાજુમe(વિપરીત આચરણ કરવા છતાં પણ માનનીય હેવાથી–અનુકૂલ પ્રવૃત્તિ ન કરવા છતાં પણ માન્ય હોવાથી અનુમત છે.) (વઘુમg ) તમામ આત્મવાદી સિદ્ધાંતકારે વડે સ્વીકૃત કરાયેલ હોવાથી બહુમત છે. (મંડલવરમાણે) આભરણે (ઘરેણાં) થી ભરેલા કરંડિયા સમાન અથવા કીમતી વસ્તુથી ભરેલી પિટી જેવો છે. અહીં કે એવી શંકા કરે કે આત્માને ભાંડ ( વાસણ) સાથે સરખાવ તે એગ્ય નથી, ઉપરોક્ત કથનમાં દોષ જણાય છે કારણ કે આત્માને નિત્ય માનવામાં આવેલ છે, જ્યારે ભાંડ (વાસણ) ની અનિત્યતા તે પ્રત્યક્ષ અનુભવી શકાય છે. માટે આ ઉપમા બરાબર જણાતી નથી. આ રીતે જે આત્માને ભાંડ-પાત્રની સાથે સરખાવવામાં આવે તે આત્માને પણ અનિત્ય માનવે પડશે. તે પછી મોક્ષની પ્રાપ્તિ કોને થશે? આ જાતની શંકાનું નિવારણ કરવા માટે આત્મામાં નિત્યપણાનું પ્રતિપાદન કરવા માટે કહ્યું છે કે ( મા શી) મારા આ આત્માને ઠંડી કષ્ટ ન પહોંચાડે ( માળે ૩૬) તેને ગરમી કષ્ટ ન પહોંચાડે, ( માળે યુ ) તેને સુધા સહન કરવી ન પડે, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy