________________
હે ભગવન્! આ જીવલોકમાં એવું કેઈ પણ સ્થાન નથી કે જે આદીત થઈ રહ્યું ન હોય. તેને સળગાવનાર આ વસ્તુઓ છે- “ગરણ મળે ” તેનું કારણ જરા અને મરણ છે. વૃદ્ધાવસ્થાને જરા કહે છે. અને એક પર્યા યમાંથી બીજી પર્યાયમાં ઉત્પન્ન થવું તેનું નામ મરણ છે. એટલે કે જે ગતિમાં જન્મ થયેલ હોય તે ગતિનું આયુષ્ય પૂરું થતા પ્રાણત્યાગ રૂપ જે અવસ્થા આવે છે તેને મરણ કહે છે, જરા અને મરણ એ બંને પ્રદીપ્ત અગ્નિસમાન છે. જેવી રીતે અગ્નિથી બની ગયેલી વ્યક્તિને અત્યંત કષ્ટ થાય છે એવી જ રીતે જરા અને મરણ પણ જીવને મહાદુઃખ રૂપ થઈ પડે છે. આ રીતે અગ્નિ જેવી રીતે અતિશય કષ્ટ કારક છે તેવી જ રીતે જરા, મરણ પણ અતિશય કષ્ટ કારક છે. બનેમાં કષ્ટકારકતાની સમાનતા હોવાથી જરામરણને પ્રદીપ્ત અગ્નિની ઉપમા આપવામાં આવી છે. જેવી રીતે અગ્નિથી ઘર વગેરે બળી જાય છે, એજ રીતે જરા અને મરણથી આ જીવલેક રાત દિવસ અતિશય રૂપે બળતું રહે છે. જેવી રીતે અગ્નિથી સળગતા ઘરનું રક્ષણ કરવાને માટે હાથમાં પાછું લઈને અગ્નિને બુઝાવનાર કેઈ વીર પુરુષની જરૂર પડે છે તેવી જ રીતે જરામરણ રૂપ અગ્નિથી અવિરતપણે સળગી રહેલા જીવની રક્ષા માટે આપના સિવાય કઈ પણ એ વીર નથી કે જે સમર્થ હોય આપજ એવા વીર છે કે જે જરામરણ રૂપ અગ્નિથી અમારું રક્ષણ કરવાને સમર્થ છે. તેથી હે નાથ ! જરા અને મરણરૂપ અગ્નિથી બચવાને માટે હું આપને શરણે આવ્યો છું આપ આપના સદુપદેશ રૂ૫ વચનનામૃતનું પાન કરાવીને આ સંસાર રૂપી વનમાંથી મને પાર ઉતારે એજ વાતની પુષ્ટિ માટે સ્કન્દક એક દષ્ટાંત આપે છે-(સે નાણામણ જાણાવ) જેમ કે કોઈ એક ગાથાપતિ ધનિક (ગૃહ) છે. (શTiffણ ક્ષિામાનંતિ) તેના ઘરમાં આગ લાગે છે. તે (છે ત€ મં? મવા કપમારે મોrg) તેના ઘરમાં જે ઉપકરણે વજનમાં હલકાં પણ મૂલ્યવાન હોય છે તે ઉપકર
ને (મણિ રત્નાદિ રૂપ વજનમાં હલકાં પણ ભારે મૂલ્યવાળાં) લઈને (ાયા હતમાં અવમરૂ) તે કઈ સુરક્ષિત સ્થાને ચાલ્યા જાય છે. મકાનને આગ લાગે ત્યારે વજનદાર, કીમતી વસ્તુઓને બહાર કાઢવામાં ઘણું મુશ્કેલી પડે છે. તેથી ડાહ્યો માણસ વજનદાર કીમતી વસ્તુઓને બહાર કાઢવાને બદલે વજનમાં હલકી પણ ઘણી મૂલ્યવાન હોય એવી વસ્તુઓને જ બની શકે તેટલી ઝડપથી ઉપાડી ને બળતાં ઘરમાંથી બહાર નીકળી જાય છે. કારણ કે તેમાં જ તેનું શ્રેય રહેલું છે. જે આમ કરવામાં તે મેડું કરે તે તે મૂલ્યવાન વસ્તુઓને બચાવવાનું પણ મુશ્કેલ થઈ પડે છે, અને કયારેક તે તે વસ્તુ બહાર કાઢવા જનારને પિતાના પ્રાણ પણ ગુમાવવા પડે છે. તેથી બુદ્ધિમાન માણસ; હલકા વજનની, સારભૂત, અને મૂલ્યવાન રત્નાદિક વસ્તુઓ ને જ તદ્દન સુરક્ષિત સ્થાને લઈ જાય છે. કારણ કે તે એ વિચાર કરે છે કે (ાર વિસ્થારિ સાથે) બળતા ઘરમાંથી બહાર કાઢવામાં આવતી આ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૦૪