SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ તેને પંડિત મરણ કહે છે. પંડિત મરણના આ પ્રમાણે બે પ્રકાર છે- (૧) પાદપપગમન અને (૨) ભક્તપ્રત્યાખ્યાન પાદપેપગમન મરણના બે ભેદ છે– (૧) નિર્ધારિમ અને (૨) અનિહરિમ તે બને ભેદમાં પ્રતિકર્મ થતું નથી. તે કથનનું સ્પષ્ટીકરણ નીચે મુજબ છે પાદપ એટલે વૃક્ષ પાદપપગમન મરણમાં મુનિ તૂટી પડેલા વૃક્ષની જેમ જે નિષ્ક્રિય રૂપે રહે છે. જેવી રીતે જડમૂળમાંથીઉખડી પડેલું વૃક્ષ જે સ્થાને પડયું હોય તે સ્થાને એક જ સ્થિતિમાં પડયું રહે છે–સ્થાન સમ હોય કે વિષમ હોય છતાં પડતી વખતે જે સ્થિતિમાં વૃક્ષ પડયું હોય એ જ સ્થિતિમાં પડયું રહે છે. એ જ પ્રમાણે સમ અથવા વિષમ સ્થાનમાં રહેલે મુનિ જે મરણમાં જીવને અન્ત આવે ત્યાં સુધી નિષ્ક્રિય દશામાંજ પડયા રહે છે. તે મરણને પાદપોપગમન પંડિતમરણ કહે છે. આ પાદપપગમન મરણ ચારે પ્રકારના આહારના પરિત્યાગથી થાય છે, તેમાં સેવા કરવામાં આવતી નથી કારણ કે તે નિયમથી જ સેવાથી રહિત હોય છે. તેના નિહરિમ અને અનિહરિમ એવા જે બે ભેદ કહ્યા છે તે ભેદનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- જે મરણ નિહરથી થાય છે તેને નિહરિમ મરણ કહે છે નિહર” એટલે બહાર કાઢવું તે જે સાધુ ઉપાશ્રય વગેરેમાં મરણ પામે છે, અને પછી તેના મૃતશરીરને શ્રાવકે વડે બહાર કાઢવામાં આવે છે, તે સાધુના મરણને નિહરિમ પાદપપગમન મરણ કહે છે. આ રીતે મરણ પામતાં સાધુના શબને બહાર કાઢવામાં આવે છે તેથી તેને મરણને નિર્ધારિમ કહે છે. પણ જે સાધુ પ્રથમ થી જ ઉપાશ્રમ વગેરે છેડી ને વનમાં પહાડ ઉપર જઈને પાદપપગમન મરણથી વનમાં કે પહાડ ઉપર મરણ પામે છે તેના શબને બહાર કાઢવાની જરૂર રહેતી નથી. એ પ્રકારના મરણને “અનિહરિમ મરણ” કહે છે. આ બંને પ્રકારનાં મરણ સાધુઓ દ્વારા કરવામાં આવતી સેવાથી રહિત હોય છે. “તે ? વગોવામળે ” પાદપપગમન મરણનું આ પ્રકારનું સ્વરૂપ છે, પ્રશ્ન-“રે મત્ત ચરવાળે” ભક્તપ્રત્યાખ્યાન મરણનું કેવું સ્વરૂપ છે? ઉત્તર–ભક્તપ્રત્યાખ્યાનનાં પણ બે પ્રકાર કહ્યાં છે. (૧) નિહરિમ અને (૨) અનિહરિમ તે ભક્તપ્રત્યાખ્યાન મરણ પાદપેપગમન મરણની જેમ પ્રતિકમથી રહિત હોતું નથી. પ૧ “નિરમાં સકિ” તે નિયમથી પ્રતિકર્મથી યુક્ત જ હોય છે. “તે સં મત્તાકલ્લાને ” આ પ્રકારનું ભક્તપ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. "इच्चेतेणं खंदया ! दुविहेणं मरणेणं मरमाणे जीवे अणंतेहि नेरयमનાહિં જાળ વિસંગો” હે સ્કન્દક ! જે જીવ આ બે પ્રકારના પંડિત મરણથી પિતાના શરીરને પરિત્યાગ કરે છે તે અનંત નારક ભવથી પિતાની જાતને રહિત બનાવે છે એટલે કે તે પ્રકારને સાધુ મરણ પામીને નરક ગતિમાં ઉત્પન્ન થતું નથી. “તિરિયમપુરમવા ગરવા વિસંગો” શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૬
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy