SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ બિરાજમાન છે. “ ૩qનાવંત્તરે તેઓ ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાન અને દર્શનના ધારક છે (ગા) તેઓ અહત છે. એટલે કે તેઓ ઉત્પન્ન કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક એ માટે છે કે તેઓ તેને માટે એગ્ય છે ળેિ” તેઓ જિન છે. કારણ કે તેમણે રાગદ્વેષ વગેરેને જીતી લીધાં છે. જેવી છે તેઓ કેવળી છે કેવળજ્ઞાની છે. તેથી તેઓ પુuTવિચાળણ” ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની બધી વાતે જાણે છે. (ત્રિકાબળજ્ઞાની પણ એક દૃષ્ટિએ તે એવા જ હોય છે પણ અહી ત્રિકાળજ્ઞાનની વાત નથી એ બતાવવા માટે “સર્વાઇપૂ” તથા “સખ્વારિણી '' વિશેષણને પ્રયોગ કર્યો છે “સબૂ” તેઓ સર્વજ્ઞ છે ત્રિકાળ સંબંધી તમામ રૂપી અને અરૂપી પદાર્થોનું યથાર્થ જ્ઞાન ધરાવે છે. તથા “ રિસી” સર્વદશી છે હાથમાં રહેલાં મક્તા ફળની જેમ તમામ પદાર્થોને જોઈ શકતા હોવાથી તેઓ સર્વદશી છે. “ને મમ પણ કરે તવતાવ રદ્દ કહ્યા” એવા તે ભગવાને આપના તે રહસ્યકત (ગુપ્ત) વિચારો મારી પાસે તુરત જ પ્રકટ કર્યો છે એટલે કે પિંગલક નિર્ગથે તમને જ્યારે પ્રશ્નો કર્યા, અને તમે તમારા મનમાં જે વિચાર કર્યો તે ત્યારે જ દર્પણમાં જેમ પ્રતિબિંબ દેખાય તેમ તેમના જ્ઞાનમાં સ્પષ્ટ રીતે દેખાયા એજ વાત “” પર બતાવે છે. તે સ્ક-દક ! તેમની પાસેથી હું તે જાણું શક છું તાત્પર્ય એ છે કે હે સ્કન્દક ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, અહંત, જિન, કેવલી ભગવાન મહાવીર છે. તેઓ કેવળ જ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત છે. તેઓ તમારા મનની વાત પણ જાણે શકે છે, તેમણે મને એ બધી વાત કહી છે. તેથી જ હું તમારા મને ગત પ્રશ્નો જાણી શક્યો છું. “તi”ગૌતમની તે પ્રકારની વાત સાંભળીને “રે હં જવાચા જોરે કાત્યાયન ગેત્રી સ્કન્દકે “મારં ગાય પર્વ વાણી” ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું “છાનો of નો મા ” હે ગૌતમ ચાલે “ તન્ન धम्मायरिय धम्मोवएसय समणं भगव महावीर वदामो नमंसामो जाव पज्जुवाસામો ” તમારા ધર્માચાર્ય ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીર પાસે આપણે જઈએ અને તેમને વંદન નમસ્કાર કરિએ અને ત્રણ પ્રકારે (કાયિક, વાચિક અને માનસિક) એ ત્રણ પ્રકારે તેમની પયું પાસના કરિએ. અહીં જાવ (ચાર) પદથી “તિવિહાર-વાણ, વાચા, મારિચાર ઝુવાસણા” આ સૂત્ર પાઠ ગ્રહણ કરવાનું છે એટલે કે મન, વચન અને કાયાથી આપણે ભગવાન મહાવીરની પર્યાપાસનાં (સેવા) કરીએ એ સ્કન્દકને આશય પ્રકટ થયે છે સ્કન્દકની એવી હાર્દિક ઈચ્છા જાણીને તમે તેમને કહ્યું “જાણુ વિશુદિયા” હે દેવાનુપ્રિય ! આપને જેમ સુખ ઉપજે તેમ કરે. “ મા વહિવું હુ” સારા કામમાં વિલંબ કરવો નહીં. “તપvi રે માવે મોયને - બિરસ ગોળ સદ્ધિ મેળેવ સમજે માવે મહાવીરે તેવ પટ્ટાથ મળા” આ પ્રમાણે કહીને, ભગવાન ગૌતમ પોતે જ કાત્યાયન ગેત્રીય કન્ડકને સાથે લઈને શ્રમણ ભગવાન મહાવીર જ્યાં વિરાજતા હતા ત્યાં જવા ઉપડ્યા સૂ. ૧૦ મા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૭૮
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy