________________
હોવાને કારણે મોજુદ હોતા નથી, તેથી તે બંને કાળ વ્યવહારના અંગરૂપ પણ હોતા નથી. તથા “ ભાષાને સમય વ્યતીત થયા પછીની ભાષા; ભાષા છે, અભાષા નથી” આ કથન પણ ચગ્ય નથી. કારણ કે જે ભાગમાણ (બોલાતી) ભાષાને જ ભાષા રૂપે સ્વીકારવામાં ન આવતી હોય તો “માવત સમરથતિકાન્ત” ઈત્યાદિ અભિલાપ બની શકે જ નહીં જે ભાષા હોય તે તેને સમય વ્યતીત થવાને પ્રસંગ આવે–પણ ભાષાને જ અભાવ હોય તો તેને સમય વ્યતીત થવાની વાત જ ક્યાંથી ઉદ્દભવે ? તેથી આ પ્રકારને અભિલાપ જ બની શકે નહીં. તથા સમય વ્યતીત થઈ ગયા પછીની ભાષાને પ્રતિપાદિત કરવા માટે “પ્રતિય શમિ પ્રત્યચોરવાજાર” આવો જે હેતુ બતાવે છે તે પણ અનેકાન્તિક છે કારણ કે કર વગેરેના હાવ ભાવમાં પણ અભિધેય પ્રતિપાદનતા છે પણ તેમાં ભાષાત્વ નથી. તથા “અભાષકની ભાષા ભાષા છે ” આ કથન પણ ગ્ય નથી, કારણ કે એવું માનવામાં આવે તે સિદ્ધ અને અચેતનમાં પણ ભાષાની પ્રાપ્તિ થવાને પ્રસંગ ઉદ્દભવશે. એ જ પ્રમાણે ક્રિયા પણ વર્તમાન કાળમાં જ યુકત છેકારણ કે વર્તમાન કાળ જ સદ્ધપ છે- અસ્તિત્વવાળો છે. તથા અભ્યાસ અનભ્યાસ વગેરે કારણ કહેવામાં આવેલ છે તે પણ યોગ્ય નથી, કારણ કે અભ્યાસ વગેરે નહીં હોવા છતાં પણ કોઈ કિયા સુખરૂપ જ લાગે છે. તથા એવું જે કહ્યું છે કે નહીં કરવાથી ક્રિયા દુખરૂપ લાગે છે, તે કથનની પણ પ્રતીતિ થતી નથી. કારણ કે કરતી વખતે જ ક્રિયા સુખરૂપ કે દુઃખરૂપ લાગે છે -પહેલાં કે પછી નહી... કારણ કે તે ક્રિયાને પૂર્વકાળે અને પછીના કાળે અભાવ જ રહે છે. તથા યદચ્છાવાદીઓ (નિયતિવાદીઓ)નું “વિવું વરવું” ઈત્યાદિ કથન પણ અસત્ય જ છે, કારણ કે કર્યા વિના જ જે કમ સુખ દુખ રૂપ થવા માંડે તે અનેક પ્રકારનાં જે ઐહિક અને પારલૌકિક અનુષ્ઠાને કરવામાં આવે છે તે વ્યર્થ જ જાય? એવું તે બનતું નથી. નિયતિવાદીઓ પણ અનુષ્ઠાનમાં માને છે “અત્યમ્ ”. આ પ્રકાની સ્વભાવવાદીઓની માન્યતા પણ સાચી નથી. કારણ કે કાંટા વગેરેમાં રહેલી તીણુતાની જેમ તમામ વસ્તુઓ વિના કર્યો બની જતી હોય તે અનેક પ્રકારના ઐહિક અને પારલીકિક કમનો અભાવ જ માનવે પડશે પરંતુ એવું બનતું નથી. અન્ય મતવાદી ઓએ પણ કેટલાક પારલૌકિક કર્માદિકના અનુષ્ઠાન કરવાનું સ્વીકાર્યું છે. તેથી એમ જ માનવું પડશે કે અન્ય મતવાદિઓએ જે કહ્યું છે તે તેમના અજ્ઞાનને કારણે કહ્યું છે. અન્ય યુથિકે (અન્ય તીર્થિકે)ના વિર્ભાગજ્ઞાનમાં ચાર ભાંગા (વિભાગ) થાય છે, તે ચાર ભાગ આ પ્રમાણે થાય છે.– (૧) સદૂભૂતમાં અભૂત, (૨) અભૂતમાં સદભૂત, (૩) સદ્દભૂતમાં સદભૂત
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૩૮