________________
અન્તક્ષણવર્તી ચલિત કાર્ય ન કરવા છતાં અચલિત કહેવાતું નથી, ચલિત જ કહેવાય છે. તેથી ચલાયમાન કર્મને પ્રથમ ક્ષણની અપેક્ષાએ ચલિત માનીને જે તેમાં અન્ત ક્ષણવતી ચલિતના સંપાદનની ક્ષમતા પ્રથમ સમયે ન હોય તેમાં કેઈ આક્ષેપ જેવું નથી, એ તે બરાબર જ છે કે પ્રથમ ક્ષણવતી તે ચલાયમાનરૂપ ચલિત પૂર્ણરૂપે ચલિત ન હોવાથી તે સમયે ચલિતનું અન્ય ક્ષણવર્તી કાર્ય નહીં કરે. કારણ કે જુદાં જુદાં કાર્યોનું થવું તે કારણેની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પર આધાર રાખે છે.
તથા–એવું જે અન્યમતિઓનું કહેવું“ બે પરમાણુ સૂક્ષ્મ હોવાથી તેમનામાં સ્નેહકાય ને અભાવ હોય છે તેથી તેઓ એક બીજા સાથે સજન પામતા નથી” આ કથન પણ બરાબર નથી. એક પરમાણુમાં પણ સ્નેહગુણને સદ્ભાવ માનવામાં આવ્યું છે. આ વાત જૈનસિદ્ધાત જ માને છે. એવું નથી કારણ કે પરતીથિકે પણ કહે છે કે સંજન પામેલ ત્રણ પરમાણુઓના સ્કંધનું વિભાજન કરવાથી ૧-૧ પરમાણુના બે વિભાગ થાય છે. આ રીતે તેમની માન્યતા પ્રમાણે એક અને અર્થે પરમાણુ એક બીજા સાથે મળી જાય છે, તો તેમની માન્યતા વડે જ એ વાત સિદ્ધ થાય છે કે એક પરમાણુમાં પણ સ્નેહગુણ હોય છે. જે સ્નેહગુણ ન હતા તે તેમને સંગ કઈ પણ રીતે થાત નહીં “રિજિન પરમાણુમાત્રા જયો giર તે મિકઝમાળા કુ વિ છન્નતિ, કુI #મrn grગ વિવઢત્તિ ” આ કથન પ્રમાણે સાઈ પરમાણુઓનું એક બીજા સાથે સંજન પામવાનું સ્વીકારવામાં આવ્યું છે. તે પછી બે પરમાણુ પુલનું નેહકાયને અભાવે સજન થતું નથી એ કથન કેવી રીતે સાચું ગણી શકાય? આ તે પોતાની માતાને વધ્યા કહેવા જેવું લાગે છે!
વિપક્ષીએ ૧-૧ પરમાણુપુલની જે વાત કહી છે તેને જૈન સિદ્ધાંત સ્વીકાર કરતું નથી. અહીં તે તેમની માન્યતાને આધાર લઈને પરમાણુમાં રહેલ નેહ ગુણ (ચીકાશ) સિદ્ધ કરવા માટે તેમની માન્યતા પ્રગટ કરવામાં આવેલ છે. જૈન સિદ્ધાંતની માન્યતા તો એવી છે કે પરમાણુના વિભાગ પડી
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૩૫