SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાં-ભૂતકાળમાં હિંસા રૂપ ક્રિયા કરી હોય તે જ્યારે તે હિંસા જન્ય કર્મ ઉદયમાં આવશે ત્યારે જ જીવને તેનું ફળ ભોગવવું પડશે, જ્યારે તેનું ફળ તેને મળે છે તે સમયને તેને વર્તમાનકાળ કહે છે. તેના પહેલાને સમય ભૂતકાળ ગણાય છે. એ જ પ્રમાણે ભવિષ્યમાં જીવની મારફત થનારી ક્રિયાના વિષયમાં સમજવું, તેથી આ દૃષ્ટિબિંદુથી વિચાર કરીને ભૂતકાળ અને ભવિષ્યકાળની ક્રિયાને નિરર્થક બતાવી છે અને વર્તમાનકાળની ક્રિયાને સાર્થક કહી છે હવે સૂત્રકાર દુઃખના વિષયમાં કહે છે-“દિવં દુવં” વર્તમાનકાળની અપેક્ષાએ ક્રિયા વડે સંપાદ્યમાન જ દુઃખ હોય છે. ક્રિયા વિના સ્વભાવથી દુઃખ હેતું નથી. એટલે કે વર્તમાનકાળમાં જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયાથી જ દુખ ઉદ્ભવે છે. તેથી દુઃખ ક્રિયાજન્ય ગણાય છે, તે વાત સિદ્ધ થાય છે. સ્વભાવવાદીઓનું એવું કથન છે કે “દુઃખ સ્વાભાવિક જ હોય છે તેમનું તે કથન સંગત નથી. કેઈ વસ્તુ સુખરૂપ છે કે દુઃખરૂપ છે તેને નિર્ણય અન્તરાત્મામાં વેદન કર્યા વિના થતા નથી. તેથી “કલ ટુહમ્” દુઃખ વેદનથી જ જાણી શકાય છે, વેદન, વગર જાણી શકાતું નથી. “ STમા દઉં ટુર” દુઃખ ક્રિયમાણુ કૃત છે, અક્રિયમાણ કૃત નથી. “ આ ક્રિયમાણ કૃત દુઃખને કરીને પ્રાણ, ભૂત, જીવ અને સર્વ વેદના ભગવે છે. તાત્પર્ય એ છે કે જીવ ક્રિયમાણ કૃત દુઃખને વારંવાર કરીને, ફરી ફરીને દુઃખને અનુભવ કર્યા કરે છે. “રૂતિ વ fણા” એ પ્રમાણે કહી શકાય છે. આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે-પૂર્વ પક્ષ રૂપ અન્યતીથિકાએ જે કહ્યું છે તે બધું મિથ્યા જ છે. જેમ કે-વર્તમાનકાળે ચલાયમાન કમને જે પ્રથમ સમયે ચલિત માનવામાં ન આવે તે બીજા વગેરે સમયે પણ તેને અચલિત જ માનવું પડે. તેથી તે કદી પણ ચલિત થાય જ નહીં. તેથી વર્તમાનમાં પણ વિવક્ષાથી અતીતતા વિરુદ્ધ હોતી નથી. આ વિષયનું “ઇમાળે રજિ” સૂત્રમાં વિસ્તારથી સ્પષ્ટીકરણ કર્યું છે. તેથી અહીં તેનું ફરીથી પિષ્ટપેષણ કરવું મેગ્ય નથી. તથા પહેલાં એવું જે કહેવામાં આવ્યું છે કે ચલાયમાન કર્મ ચલિતનું કાર્ય સંપાદન કરવાને અસમર્થ હોય છે, તેથી ચલાયમાનને ચલિત માની શકાય નહીં, તે તે કથન પણ યુક્તિયુક્ત લાગતું નથી, કારણકે પ્રતિક્ષણે ઉત્પાદ્યમાન સ્થાસકેશકુશલ વગેરે ઘટની જે પૂર્વ અવસ્થાઓ છે તે અવસ્થાની પૂર્ણ રૂપે સમાપ્તિ થાય ત્યારે જ ઘટપર્યાયની પૂર્ણ પ્રાદુર્ભુતિ (નિર્માણ) તેની અન્તક્ષણે થાય છે એ એક નિશ્ચિત વાત છે, તે અવસ્થાઓ ઉત્પન્ન થાય ત્યારે અન્તક્ષણે ઉત્પન્ન થનારે ઘટ જે પ્રારંભકાળે પિતાનું કાર્ય ન કરે તે તે કેઈ આક્ષેપને પાત્ર વાત નથી. કારણ કે તે સમયે તે અસત્ છે-પૂર્ણરૂપે તેનું નિર્માણ થયું નથી. કાર્ય તે તે ત્યારે જ કરશે કે જ્યારે પૂર્ણરૂપે તેનું નિર્માણ થશે, એ જ પ્રમાણે પ્રથમ સમયનું ચલિત કર્મ પિતાના અન્ત સમયનું ચલિત કાર્ય ન કરે તે તેમાં શું દેષ છે ? એ તે કારણોને સ્વભાવ છે કે તેઓ પિત પિતાનું કાર્ય કર્યા કરે. તાત્પર્ય એ છે કે જેવી રીતે પ્રથમ સમયવર્તી ઘટ પિતાનું અત્ત સમયવતી કાર્ય કરતો નથી છતાં પણ તેને ઘટ જ કહેવાય છે અઘટ કહેવાતું નથી, એજ પ્રમાણે પ્રથમ ક્ષણવતી ચલિત કર્મ પિતાનું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy