SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું. કઈ પણ જીવ એવું ઈચ્છતો નથી કે મને દુઃખ ઉપજે. પરન્તુ તેને દુખ તે ઉપજે છે જ. તેથી તે દુઃખ સ્વભાવથી જ ઉપજે છે, અને તે કારણે જ તે અકૃત્ય છે. અથવા-અહીં “ દુઃખ” પદ વડે દુઃખના કારણ રૂપ “ક” ” ને જ દુ:ખ સમજવું જોઈએ. “ મજુર્વ સુકā” દુઃખ અસ્પૃશ્ય છે. એટલે કે દુઃખ અકૃત્ય હોવાથી અસ્પૃશ્ય–અબંધનીય છે. “લજનમાળ વાં ) વર્તમાનકાળમાં જે કરવામાં આવી રહ્યું છે તે કિયમાણ છે તથા ભૂતકાળમાં જે કરવામાં આવી ગયું છે તે કૃત છે. “દુઃખ કિયમાણ પણ નથી, અને કૃત પણ નથી. તેથી તે અક્રિયમાણ કૃત છે ” ત્રણે કાળમાં જીવને કર્મ નો બ ધ બાંધવો પડતો નથી. તેથી કર્મ નહીં કરવા છતાં પણ “પાળ મૂચ નીક સત્તા” પ્રાણ, ભૂત, જીવ અને સ “વેavi વેતિ” વેદના ભોગવતા રહે છે. આ જાતનું તમામ કથન સ્વભાવવાદીઓનું છે. તેઓ એવું કહે છે કે જે સુખ દુખ વગેરે પ્રાણ, ભૂત, વગેરેને ભોગવવા પડે છે તે તેમનાં કર્મોના ફળરૂપ હતા નથી, કારણ કે કોઈ પણ પ્રાણી, ભૂત વગેરે મારફત કર્મોને બંધ બંધાતો જ નથી. તેથી જે કંઈ થાય છે તે સ્વભાવથી જ થયા કરે છે. એ વાત “તિ વિચા” આ સૂત્રપાઠ વડે બતાવવામાં આવી છે. લેકમાં જે કંઈ સુખ દુઃખ વગેરે ભેગવવા પડે છે તે બીજા કેઈ કારણને લીધે ભેગવવા પડતા નથી પણ સ્વાભાવિક જ હોય છે. આ વાતને સમજા. વવાને માટે “વતતોથિત” ઈત્યાદિ પડ્યો છે. તેમની મારફત એ વાત સમજાવવામાં આવી છે કે જીવોને અનેક પ્રકારનાં જે સુખ દુઃખ અબુદ્ધિપૂર્વક (વિના વિચાર્યું) ભેગવવા પડતા હોય છે તે નિષ્કારણ જ હોય છે, કારણ હોતાં નથી. એટલે કે તેની પાછળ કેઈ કારણ હતું નથી પણ તે સ્વભાવિક જ હોય છે જેવી રીતે કાંટામાં તીણતા, પિપટમાં લીલાશ, મેરમાં વિચિત્રતા, એ બધાંનું કઈ ચેકકસ કારણ નથી–પરંતુ સ્વભાવથી જ તે હોય છે, એવી જ રીતે સુખદુઃખાદિ ભાવ પણ કઈ કારણને લીધે ઉપજતાં નથી પણ સ્વભાવથી જ ઉપ જ્યા કરે છે. વળી જેવી રીતે પતંગ વગેરેનું આકાસ માં ઉયન, અને માછલિમાં પાણીનું સંચરણ કઈ ખાસ કારણોને લીધે થતું નથી પણ સ્વભાવથી જ થયા કરે છે, એવી જ રીતે સુખદુઃખાદિ ભાવ પણ સ્વભાવથી જ થયા કરે છે. કહ્યું પણ છે– " स्वभावेन प्रवर्तन्ते सुखदुःखादया ह्यमी। यथा स्वभावतो लोके हंसादीनां हि शुक्लता॥" ઉપર મુજબને સ્વભાવવાદિને મત છે. તે વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-“રે મેયં અંતે ga” હે ભગવન્! સ્વભાવવાદી વગેરેનું પૂર્વોક્ત જે મન્તવ્ય છે તે શું સાચું છે? | સૂ–૧ છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy