SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે ચાર પરમાણુઓને વિભાગ કરવામાં આવે તો તેમના બે બેના વિભાગ થાય છે અથવા તો એક એકના ચાર ભાગ થાય છે. પરમાણુ મિલિત અવસ્થામાં દુઃખરૂપે પરિણમે છે. દુઃખ જે છે તે કર્મ છે. તે શાશ્વત છે. તેમાં ચય અને અપચય થાય છે. ઉચ્ચારણના પહેલાંની ભાષા જ ભાષા છે બોલાતી ભાષા; ભાષા નથી. અથવા ભાષણ કર્યા પછીની ભાષા; ભાષા છે. તે ભાષા અભાષકની ભાષા હોય છે, બેલનારની ભાષા; ભાષા હોતી નથી. ઉત્પત્તિના પહેલાં ક્રિયા દુઃખરૂપ છે, કરાતી ક્રિયા દુઃખરૂપ હેતી નથી. ક્રિયાસમયને વ્યતિકમ થતાં કરાયેલી કિયા દુઃખરૂપ છે. તે કિયા કરનારને દુઃખરૂપ છે, નહીં કરનારને દુઃખરૂપ નથી. અકૃત્ય દુઃખ છે. અસ્પૃશ્ય દુઃખ છે. અક્રિયમાણું, કૃત દુખ છે. કર્મ નહીં કરવાથી પ્રાણ. ભૂત, જીવ અને સર્વ વેદના ભોગવે છે. કેમ કરીને વેદના ભગવતા નથી એવી પરતીયિકોની માન્યતા છે. તે વિષયમાં મહાવીર પ્રભુનું વક્તવ્ય. અન્ય મતમાં રહેલ અસત્યપણાનું પ્રતિપાદન જે ચલમાન છે તે ચલિત થઈ ચૂકયું એવું કથન. બે પરમાણુઓને પણ પર પરમાં સંગ થઈ શકે છે, કારણ કે એક એક પરમાણુમાં પણ નેહકાયને સદ્ભાવ રહે છે, ત્રણ વગેરે અણુઓના સંગને તેમણે પણ સ્વીકાર કર્યો છે સવેગ પામેલાં બે અણુઓના બે ટુકડા કરવાથી એક એક અણુ જૂદું પડે છે. સંગ પામેલા ત્રણ પરમાણુઓના બે વિભાગ કરવાથી શાશા ને બે ભાગ થતા નથી પણ એક વિભાગ એક પરમાણુવાળ બને છે. પણ તેના ત્રણ ટુકડા કરવાથી એક એક પરમાણવાળા ત્રણ વિભાગ થાય છે. એ જ પ્રમાણે સંગ પામેલા ચાર પરમાણુના બે ટુકડા કરવાથી બે બે પ્રદેશવાળા કન્ધ થતા નથી પણ એક સ્કન્ધ એક પ્રદેશવાળે અને બીજે કંધ ત્રણ પ્રદેશવાળો થાય છે. પાંચ પરમાણુઓ સ્કન્ધ દુઃખ-કમરૂપે પરિણમતે નથી. કમ અશાશ્વત હોય છે, શાશ્વત હોતું નથી. ભાષણની પહેલાની ભાષા ભાષા હોતી નથી. જે બોલવામાં આવે છે એજ ભાષા હોય છે. ભાષણ પછીની ભાષા પણ ભાષા નથી. બોલનારની ભાષા જ ભાષા કહેવાય છે. નહી બેલનારની ભાષા; ભાષા કહેવાતી નથી. ભાષાની જેમ જ કિયા વિષે પણ સમજવું, કૃત્ય દુઃખ છે. પૃશ્ય દુઃખ છે. ક્રિયમાણ કૃત દુઃખ છે. કર્મ કરીને પ્રાણ, ભૂત, જીવ, સરવ વેદના ભોગવે છે. અકૃત્ય, અસ્પૃશ્ય, અક્રિયમાણ કૃત દુઃખ નથી, કર્મ નહીં કરી કરીને પ્રાણ, ભૂત, જીવ, સર્વ વેદના ભેગવતા નથી. આ કારણે અન્ય તીર્થિકોને મત અસત્ય છે, તથા–અન્ય તીથિકોની બીજી એક એવી માન્યતા છે કે એક જીવ એક જ સમયે ઈર્યાપથિકી સામ્પરાયિકી એ બે કિયાએ એક સાથે કરે છે. તેમની તે માન્યતા પણ અસત્ય છે, કારણ કે તે બે કિયાએ પરસ્પર વિરોધી સ્વભાવવાળી છે. ઈપથિકી ક્રિયા કષાયના ઉદયને અભાવ હોય ત્યારે જ થાય છે. પરંતુ સામ્પાયિકી કિયા તે કષાયને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૬
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy