SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ બાલક શબ્દનો અર્થ અસંયત જીવ થાય છે. તે અસંતરૂપ બાલક જીવ દ્રવ્ય રૂપે શાશ્વત (નિત્ય) જ. અને તેમાં રહેલું બાલકપણું-અસંતપણે નિશ્ચયનથી અને વ્યવહારનયથી પર્યાયરૂપ હોવાને કારણે અશાશ્વત છે “ખાતર પંદિ વંચિત્ત મારચંપંડિત શાશ્વત છે અને પંડિતપણું અશાશ્વત છે. વ્યવહારનયથી પંડિત શબ્દનો અર્થ શાસ્ત્રવેત્તા થાય છે, અને નિશ્ચયનયની અપેક્ષાએ સંયત જીવને પંડિત કહે છે. વ્યવહારનયની અપેક્ષાએ પંડિતત્વને અર્થશાસ્ત્રજ્ઞપણું થાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ તેને અર્થ સંયતપણે થાય છે તે સંતપણું પર્યાયરૂપ હોવાને કારણે અશાશ્વત છે, તે બધા પ્રશ્નોને ઉત્તર આપતાં મહાવીરપ્રભુ કહે છે કે–“દંતા જોયગથિરે પોર, ઊંચાં શાસહા, ગૌતમ ! અસ્થિર પદાર્થો પરિવર્તન પામતા રહે છે, (રાવ) પંડિતપણું અશાશ્વત છે. “ચા ” પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે-“ સ્થિર પદાર્થો પલટાતા નથી, અસ્થિર પદાર્થો ભાંગી જાય છે, સ્થિર પદાર્થો ભાંગતા નથી, બાલક શાશ્વત છે, બાલકપણું અશાશ્વત છે, પંડિત શાશ્વત છે.” આ પદને અર્થ પ્રશ્નનસૂત્રના અર્થ પ્રમાણે જ સમજ. રેવં મંતે! મરે! ત્તિ રાવ વિ ” હે ભગવન ? આપ દેવાનું. પ્રિયે જે કહ્યું તે સત્ય જ છે, હે ભગવન ! તે વાત તદ્દન સાચી જ છે, કારણ કે આમ વાક્યમાં શંકાને સ્થાન જ હોતું નથી. એવું કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદણ કરી, નમસ્કાર કર્યા વંદણ નમસ્કાર કરીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા તેઓ પિતાને સ્થાને ગયા. એ સૂ૦ ૮ છે ઈતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના પહેલા શતકનો નવમો ઉદ્દેશક સમાપ્ત ૧-લા દશવે ઉદેશેકી અવતરણિકા દશમો ઉદ્દેશકનો પ્રારંભ દસમા ઉદ્દેશામાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું ટૂંકાણમાં વર્ણન કરવામાં આવે છે અન્ય તીર્થિકોનું વક્તવ્ય તેમાં ચલમાન છે તે ચલિત થતું નથી એવું કથન બે પરમાણુઓને પરસ્પરમાં સંગ થતું નથી, કારણ કે પરમાણુઓ અતિ સૂક્ષમ હોવાથી બે પરમાણુઓમાં સ્નેહકાયને અભાવ રહે છે. પણ ત્રણ ચાર, પાંચ વગેરે પરમાણુઓને પરસ્પરમાં સંયોગ થાય છે. કારણ કે ત્રણ ચાર વગેરે પરમાણુઓને જયારે સંગ થાય છે ત્યારે તેમનામાં સ્નેહકાયને ઉદ્દભવ થાય છે. તે ત્રણ પરમાણુઓ ભેદતાં ૧-ભાગમાં વહેંચાઈ જાય છે. ત્રણ પરમાણુઓના ત્રણ ભાગ કરવાથી એક એક પરમાણુ રહે છે. એ જ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy