________________
પણું અશાશ્વત છે. (૨૨ મં! સેવં કં! ત્તિ નાર વિદg ) હે ભગવન! આપના કહેવા પ્રમાણે જ બધુય છે. હે ભગવન ! એ પ્રમાણે જ છે. એવું કહીને (ચાર) ગૌતમસ્વામી પિતાને સ્થાને ગયા.
ટીકાઈ–“રે પૂળ મં?” હે ભગવન! જે “એ” અદિયર હોય છે એટલે કે જે પદાર્થ હંમેશા એકસરખી સ્થિતિમાં રહેતું નથી તે પદાર્થને અસ્થિર કહે છે. એવા લેક્ટ (માટીનું ઢેફ) વગેરે પદાર્થો “ોદ” શું બદલાતા પરિવર્તન પામતાં રહે છે? પહેલાંની અવસ્થાને છેડીને બીજી અવસ્થાને પામતાં રહે છે? અહીં આત્માની અપેક્ષાએ અસ્થિર પદાર્થ કર્મ છે. તે કર્મો પ્રત્યેક સમયે જીવ પ્રદેશમાંથી જૂદાં પડતાં રહે છે. એને જ કર્મની અસ્થિરતા કહે છે. એટલા માટે જ કર્મ બદલતું રહે છે એવું કહ્યું છે. તાત્પર્ય એ છે કે કર્મો, બધ, ઉદય, નિર્જરા વગેરે પરિણામોથી આક્રાન્ત થતું રહે છે, તેને જ કર્મનું પરિવર્તન કહે છે. “વો: િvો” સ્થિર પદાર્થના સ્વરૂપમાં પરિ. વર્તન થતું નથી, જેમકે શિલા વગેરે પદાર્થો પિતાના સ્વરૂપને કદી પણ બદલતાં નથી, અહીં આત્માની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યો છે. તેમાં સ્થિર પદાર્થ જીવ છે, કારણ કે કર્મોનો ક્ષય થવા છતાં પણ જીવ પિતાના નિજ વરૂપમાં જ સ્થિર રહે છે, એવું ક્યારે ય પણ બનતું નથી કે જીવ અવરૂપે પરિવર્તન પામતે હેય. મેક્ષાવસ્થામાં પણ તેના ચેતનરૂપ સ્વભાવને અપાય (નાશ) થતો નથી. તથા “અસ્થિર મગજ” એવું જે કહ્યું તેનો ભાવાર્થ એ છે કે અસ્થિર સ્વભાવવાળા તૃણાદિક પદાર્થો જેવી રીતે તૂટી જાય છે, એવી રીતે જીવાત્માની સાથે લાગેલાં અસ્થિર સ્વભાવવાળાં કર્મો પણ તૂટી જાય છે–એટલે કે જીવાત્માથી અલગ થઈ જાય છે-નાશ પામી જાય છે. “જો થિર મારુ” એટલે કે સ્થિર સ્વભાવવાળી વસ્તુઓ કદી પણું ભાંગતી નથીસર્વથા નાશ પામતી નથી. જેમકે લેહશલાકા વગેરે રિશ્વર સ્વભાવવાળાં પદા
ને કદી પણ સર્વથા નાશ થતું નથી. અહીં આત્માની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો તે (જીવ) શાશ્વત હોવાથી કદી પણ નાશ પામતું નથી. જીવનું લક્ષણ ચેતના છે, ત્રણે કાળમાં એવો સમય આવ્યો નથી, આવતા નથી અને આવશે પણ નહીં કે જ્યારે જીવ ચેતના લક્ષણથી રહિત હોય. તેમાં જે કાંઈ પરિવર્તન થતું રહે છે. તે પર્યાયની દૃષ્ટિએ થતું રહે છે સ્યાદ્વાદ સિદ્ધાન્તને એક અટલ નિયમ છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કઈ પણ વસ્તુમાં કઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી, જે કાંઈ પરિવર્તન થાય છે તે પર્યાયની અપેક્ષાએ જ થાય છે. તે જ કારણે અહીં પ્રત્યેક પદાર્થને પરિણામી નિત્ય માનવામાં આવેલ છે અપરિણમી નિત્ય માનવામાં આવેલ નથી. તેથી નર, દેવ વગેરે પર્યાની અપેક્ષાએ જીવ વિનાશી હોવા છતાં દ્રવ્યની અપેક્ષાએ તો તે શાશ્વત જ છે. જે આ સિદ્ધાન્તને માનવામાં ન આવે તે મોક્ષને માટે પ્રયત્ન કોણ કરે? કોઈપણ મોક્ષને માટે પ્રયત્ન જ ન કરે, હવે સૂત્રકાર શાશ્વત અને અશાશ્વતના વિષયમાં સૂત્રનું કથન કરે છે-સાના વાઇg” બાલક શાશ્વત છે, વ્યવહારનયની અપેક્ષાએ બાલક શબ્દનો અર્થ શિશુ થાય છે અને નિશ્ચયનયની અપેક્ષા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૧૪