________________
અથવા–સમ શબ્દનો અર્થ મૈત્રી છે, તેથી તે મૈત્રીમાં અથવા તે મૈત્રી વડે જે અય-ગમન–પ્રવૃત્તિ થાય છે, તેનું નામ સમાય છે. અથવા સમનો જે લાભ થાય છે તેને જ સમાય કહે છે. એ સમાય જ સામાયિક છે.
તે સામાયિકને મૂળ ગુણોના આધારરૂપ કહેલ છે, અને તેમાં તમામ સાવદયાગનો પરિત્યાગ થતો હોવાથી તેને સાવદ્યાગ વિરતિરૂપ પણ કહેલ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયથી યુક્ત જે આત્મા છે, એ જ આત્મા વાસ્તવિક રીતે આત્મત્વ સ્વરૂપવાળો હોય છે. તેથી રાગદ્વેષથી રહિત અને આવરણોથી રહિત એવા તે આત્માને, પિતાની મારફત થતી કૃતકર્મોની નિજેરા કરવાના હેતરૂપ જે વિશુદ્ધિ છે તે વિશુદ્ધિથી યુક્ત થઈ જવાને કારણે. અને જ્ઞાન, દર્શન ચારિત્રથી યુક્ત થઈ જવાને કારણે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જવાને કારણે, પિતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આત્મા જ સામાયિક છે. કહ્યું પણ છે કે-- ___जीवो गुणपडियनो, नयस्स दबहियस्स सामाइयं "
દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ગુણવિશિષ્ટ આત્મા જ સામાયિક છે. એટલે દ્રવ્યાર્થિક નયની માન્યતાનુસાર જે આત્મા વિશુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ નિજ ગુણોને પ્રાપ્ત કરે છે. એ આત્મા જ સામાયિક છે એ વાત સિદ્ધ થાય છે. તથા નવાં કર્મોને ગ્રહણ ન કરવા અને પૂર્વકૃત સંચિત કર્મોની નિજ કરવી, એવું જે સામાયિકનું પ્રયોજન છે તે પણ આત્મા જ છે. કારણ કે નવાં કર્મો ગ્રહણ ન કરવા અને સંચિત પૂર્વકૃત કર્મોની નિર્જરા કરવી એ આત્મા જ ગુણે છે તેથી ગુણ અને ગુણમાં અભેદની અપેક્ષાએ સામાયિકના પ્રજનને આત્મારૂપ કહેલ છે ગુણ અને ગુણમાં ક્યારેક અભેદ માની લેવાનું કારણ એ છે કે આત્માના નિજ ગુણ આત્માથી ભિન્ન હોતા નથી જેમ કે “નીટો ઘટઃ” માં નીલ ગુણની સાથે ઘટ (ઘડા) રૂપ ગુણ સાથે કઈ અપેક્ષાએ અભેદ ભાવ માની લેવામાં આવે છે. એ જ પ્રમાણે પિરસી વગેરે નિયમરૂપ, અથવા સાવદ્યયોગ-નિવૃત્તિરૂપ, અથવા શ્રાવકના નવમા વ્રતરૂપ, અથવા પાપત્યાગરૂપ જે પ્રત્યાખ્યાન છે, તે આત્માના ધર્મરૂપ છે. તેથી પ્રત્યાખ્યા નને પણ આત્માના ધર્મરૂપ ગણીને ધર્મ અને ધમમાં અહીં પણ અભેદ માનીને આત્માને પ્રત્યાખ્યાનરૂપ કહેવામાં આવ્યા છે-તથા નવાં કર્મોના આગમન (આસવ) ને નિરોધ કરવાનું પ્રયે જનરૂપ જે પ્રત્યાખ્યાન છે તે પણ આત્માના ધર્મરૂપ છે. તે કારણે આત્મા પ્રત્યાખ્યાનનું પ્રયોજન પણ છે. એજ પ્રમાણે પૃવીકાયિક વગેરે ની રક્ષા કરવારૂપ અને પાપથી નિવૃત્ત થવારૂપ જે ૧૭ પ્રકારના સંયમ છે તે પણ આત્માના જ ધર્મરૂપ છે. તેથી આત્મા જ સંયમ છે, તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન વગેરેની વિરતિ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૦૦