________________
કરે છે. સામાયિકને સમભાવરૂપ કહેલ છે. સમભાવ એટલે સમતા. રાગદ્વેષથી રહિત બનીને તમામ પ્રાણીઓને, તમામ ભૂતને, તમામ જીને, અને તમામ સને પોતાની માફક ગણવા તેનું નામ સમભાવ છે. ધર્મ અને ધર્મના અભેદથી અથવા ભાવપ્રધાન નિર્દેશથી સમનો અર્થ સમત્વ છે. તથા–રાગદ્વેષથી રહિત એવા સમતારૂપ (સમભાવયુક્ત વ્યક્તિને પ્રતિક્ષણ જે વિલક્ષણ વિશુદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને જે વિશુદ્ધિ અપૂર્વ કર્મનિર્જરાના હેતુરૂપ બને છે. તે વિશુદ્ધિનું નામ જ “સમય” છે તે સમાય જ સામાયિક છે. તાત્પર્ય એ છે કે સમય સમાય. અને સમાયમાંથી જ “ સામાયિક શબ્દ બન્યો છે. રાગદ્વેષથી રહિત જે આત્મા હોય છે તેનું નામ “સમ” છે. અને
આય” એટલે “લાભ” (પ્રાપ્તિ) જીવને પ્રતિક્ષણ એવી વિલક્ષણ વિશુદ્ધિની પ્રાપ્તિ થતી રહે છે કે જે વિશુદ્ધિના પ્રભાવથી આત્મા અપૂર્વ – પૂર્વે કદી ન અનુભવી હોય એવી-કર્મનિર્ભર કરે છે. અથવા સમ શબ્દનો અર્થ જ્ઞાન દર્શન અને ચારિત્ર થાય છે. અને આયને અર્થ લાભ થાય છે જેમ શરદઋતુમાં ચન્દ્રની કળા શુકલ બીજથી શરૂ થઈને દરરોજ વધતી જ જાય છે તેમ પ્રતિક્ષણ આત્માને જે વિલક્ષણ જ્ઞાનાદિકની પ્રાપ્તિ થતી રહે છે તેનું નામ જ સમાય છે. આ સમાય જ જેનું પ્રયોજન છે તે સામાયિક કહેવાય છે. આ રીતે સમતાયુક્ત અને જ્ઞાનાદિથી યુક્ત આત્મા, પ્રતિક્ષણ સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પર્યાયોથી યુક્ત થતું રહે છે કે જેથી ભવાટવીમાં ભ્રમણ કરવા રૂપ દુખને નાશ થાય છે, જે અનુપમ સુખને અપાવનારી છે, અને જે ચિન્તામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુથી પણ અધિક ગણાય છે. એનું નામ જ સામાયિક છે. અથવા–રાગાદિથી રહિત થવું એનું નામ “સમ ” છે. તે સમની જે આય (પ્રવૃત્તિ) છે તેનું નામ “સમય” છે. તે સમાય જ સામાયિક છે, અથવા સમયમાં જે હોય તેને સામાયિક કહે છે, અથવા સમયથી જે નિષ્પન્ન થાય છે તેનું નામ સામાયિક છે, અથવા સમાયને જે અંશ છે તેનું નામ સામાયિક છે, અથવા જેનું પ્રયોજન “સમાય છે તે સામાયિક છે.
આ ગાથાઓ વડે સામાયિક શબ્દની જે વ્યુત્પત્તિ બતાવવામાં આવી છે તે પૂર્વે અર્થસહિત પ્રકટ કરવામાં આવી ગઈ છે. અથવા-સમ-જ્ઞાન વગેરેમાં અથવા જ્ઞાનાદિકવડે જે પ્રવૃત્તિ ચાલે છે તેનું નામ સમાય છે. તે સમાય જ સામાયિક છે.
અથવા--રાગાદિથી રહિત આત્મારૂપ સમને જે ગુણોને લાભ (પ્રાપ્તિ) થાય છે તેનું નામ સમાય છે. અથવા જ્ઞાનાદિકની જે આય (લાભ) તેને સમાય કહે છે. તે સમાય જ સામાયિક છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૯૯