SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મોહી વિદ્યા, રમણા નિજયા સત્યં?) લાઘશિક અલપેચ્છા, અમૂચ્છ અગૃદ્ધિ અને અપ્રતિબદ્ધતા, એ પાંચે બાબતે શું શ્રમણનિગ્નથને માટે પ્રશસ્ત (કણાણકારી) હોય છે? એ પાંચે પદના અર્થ નીચે મુજબ છે. લાઘવિક એટલે અલ્પ ઉપાધિ રાખવા રૂપ લઘુતા. અપિચ્છા એટલે આહાર વગેરેની અ૫ ઈચ્છા. અમૂચ્છા એટલે ઉપધિ વગેરેની રક્ષા કરવાની આસક્તિ ન હોવી તે. અગુદ્ધિ એટલે આહાર વગેરેમાં લાલસાના અભાવ, અપ્રતિબદ્ધતા એટલે સગા સ્નેહીઓ પ્રત્યે સનેહ (મેહ) ને અભાવ, ( હંતા જોયા !ઢાઇથી જાવ પરહ્યું) હે ગૌતમ! લાઘવ વગેરે પાંચ વાતે શ્રમણનિ માટે પ્રશસ્ત-કલ્યાણકારી ગણાય છે. “ચાવત' પદથી અપેચ્છા, અમૂચ્છ, અગૃદ્ધિ અને અપ્રતિબદ્ધતા ગ્રહણ કરાયાં છે. હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથનું કલ્યાણ કરનારી તે લાઘવાદિક પાંચ વાત છે. એમાં જ શ્રમણોની શ્રમણતા છે. ફલિતાર્થ એ છે કે નિર્ગથે શ્રમણોમાં જ એ પૂર્વોક્ત પાંચ બાબતો જોવામાં આવે છે. બીજે જોવામાં આવતી નથી. શ્રમણ નિર્ચમાં જ એ પાંચે વાતોનાં દર્શન થાય છે કારણ કે તેઓ મન, વચન, અને કાયાથી તેમનું પાલન કરે છે. તેઓને તેમનું પાલન કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે એ પાંચે વાત તેમને માટે હિતકારી છે. તેથી જ મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે તેમની લાઘવાદિક સઘળી પ્રવૃત્તિ પ્રશસ્ત જ હોય છે. શ્રમણોની શ્રમણુતા એમાં જ રહેલી છે. એ શ્રમણપણું બીજી કઈ કઈ વાત સાથે સંબંધ રાખે છે, તે વાત ગૌતમને સમજાવવા માટે, તેમના પ્રશ્નના ઉત્તર રૂપે સમજાવે છે( से गूणं भंते ! अकोहत्तं, अमाणतं, अमायत्तं, अलोभत्तं, समणाणं णिग्गंथाणं પરથં?) હે ભગવન ! અક્રોધ (ક્રોધને અભાવ) અમાન (માનને અભાવ) અમાયા (માયાથી રહિત હોવું) અને અલભ (લેભને અભાવ) એ બધા ગુણે શું શ્રમણ નિશેને માટે હિતકર હોય છે ? તાત્પર્ય એ છે કે શ્રમ માં સાચી શ્રમણતા ત્યારે જ આવે છે કે જ્યારે તેમનામાં ક્રોધાદિ કષા. યોને અભાવ હોય છે. તેથી લાઘવાદિ રૂપ પ્રવૃત્તિ જેવી રીતે શ્રમણોને માટે હિતકર છે, એ જ પ્રમાણે ક્રોધાદિકના અભાવરૂપ પ્રવૃત્તિ પણ તેમને માટે હિતકારક છે. અને તેથી તે બધી પ્રવૃત્તિ ઉપાદેય છે. રે જૂí મંતે !) હે ભગવન ! (હાગોરે સ્ત્રીને સમળે નિરાં અંતરે મા કાંક્ષાપ્રદેશ નાશ પામે ત્યારે શું શ્રમણ નિર્ચ સંસારને અંતકર નાર બને છે? બીજા પ્રદર્શન વિષયક આગ્રહ રૂપ વાંછા (અભિલાષા) નું નામ કાંક્ષા છે. અથવા બીજા દર્શન વિષયક આસક્તિ નું નામ કાંક્ષા છે. તે ઘણે માટે દોષ ગણાય છે. તે કાંક્ષાને પ્રકૃષ્ટ દેષરૂપ માનીને તેને માટે કાંક્ષાપ્રદેષ” શબ્દને પ્રવેગ કર્યો છે. (અંતિમ સરીર વા) શું તે શ્રમણ અંતિમ શરીરી હેઈ શકે ? (ા ચ of gવ વિદિત્તા, પછી શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy