SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ નારક આદિ જીવેાની અત્યંત દુઃખી હાલત આદિનું શ્રવણ કરવાંથી વિવેકી જીવાના મનમાં વૈરાગ્ય ભાવ જાગે અને તેથી તે સંસારના અને સંસારના કારણ રૂપ કર્મીના સ્વરૂપને અનિત્યાદિ ભાવા દ્વારા ખરાખર વિચાર કરે અને તેના વિચાર કરીને અનિત્ય સંસાર, શરીર અને ભાગે પ્રત્યે નિ—િવૈરાગ્યવાન બનીને ખંધ દશાથી રહિત બનવાને માટે મેક્ષના સાધનરૂપ સમ્યગ્દર્શન આદિની આરાધના કરવામાં પ્રવૃત્ત થાય, અને સમ્યગ્દનાદિની આરાધનાની પરમ્પરા દ્વારા શશ્વત ગતિરૂપ જે મેાક્ષ છે તેની પ્રાપ્તિ કરે, એ ખ્યાલથી નારકાની સ્થિતિ આદિ વિષયનું વર્ણન સાથ ક છે. તેની સાથકતાને લીધે આ વિષયનું પ્રતિપાદન કરનાર જે શાસ્ત્ર છે તે પણ સાક બની જાય છે અને તત્ત્વનું પ્રરૂપક બની જાય છે. હવે આ બાબતમાં વધુ કહેવાની આવશ્યકતા નથી. પ્રકૃત વિષયને જ સ્પષ્ટ કરવામાં આવે છે—નરકના જીવાને નૈયિક' કહે છે. ઈષ્ટ ફળની પ્રાપ્તિ કરાવનાર કર્મો જે સ્થાનેથી નીકળી ગયાં છે, તે સ્થાનને નિચ’ કહે છે. એટલે કે દુ:ખાથી વ્યાપ્ત એવા વિશિષ્ટ સ્થાનને નિચ (નરક) કહે છે. તે સ્થાનામાં જે જીવેા ઉત્પન્ન થાય છે તેમને નૈરિયેક (નારક) કહે છે. આ સ્થાનામાં પ્રાણાતિપાત આદિ પાપાનાં ફળ ભાગવવાને માટે જે જીવે ઉત્પન્ન થાય છે તેમને નૈરિયક કહે છે. એવા નૈરિયક (નારક) જીવાની સ્થિતિના વિષયમાં એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે—“ હે ભગવાન ! નારક જીવાની સ્થિતિ કેટલા કાળની હાય છે? અહી‘ સ્થિતિ’શબ્દના ભાવાર્થ આ પ્રમાણે છે—તે સ્થાનમાં, તે પર્યાય રહેવાના કાળ તેને સ્થિતિ કહી છે. એટલે કે ત્યાં તેમનું આયુષ્ય કેટલું હાય છે? તેના ઉત્તર આપતાં ભગવાન કહે છે—“ હે ગૌતમ ! જો નારક જીવ નરકાયુના ઉયથી નરકમાં ઉત્પન્ન થાય છે તે ત્યાં તેને રહેવાના કાળ ઓછામાં આ દસ હજાર વર્ષના છે. તેને ‘જઘન્ય આયુ' કહે છે. આ કથન પહેલી નરકની અપેક્ષાએ કરવામાં આવ્યુ છે. નરકમાં જે વધારેમાં વધારે કાળ છે તેને ‘ઉત્કૃષ્ટ આયુ’ કહે છે. ત્યાં તે ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરોપમનું છે. તે તેત્રીસ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાતમી નરકની અપેક્ષાએ કહેલ છે, કારણ કે ત્યાં જ એટલું બધું આયુષ્ય કહ્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન પૂછે છે‘હે ભદન્ત ! નારક જીવા કેટલા કાળને અંતરે શ્વાસેાચ્છ્વાસ લે છે? એજ પ્રશ્ન ‘બાળમંત્તિ પાળમંતિ વા’ આ ‘ત્તિ' અન્ત પદા દ્વારા વ્યક્ત કર્યો છે. ‘જ્ઞાનન્તિ” એટલે શ્વાસ લે છે. ‘ત્રાન્તિ' એટલે શ્વાસ ડે છે. એજ ‘જ્ઞાનાત્રાળ’ શબ્દોના સ્પષ્ટ અર્થ સૂત્રકારે “ઝપત્તિ વા નીસસતિ વા” એ ક્રિયાપદો દ્વારા સ્પષ્ટ કર્યો છે. “ગાનન્તિ” શબ્દના સ્પષ્ટ અર્થ “ઉછન્નત્તિ” છે અને “ત્રાન્તિ” શબ્દના સ્પષ્ટ અ “નિઃશ્વરન્તિ” છે. અથવા- જ્ઞાન્તિવા ત્રાળન્તિ વા આ ક્રિયાપદો દ્વારા આભ્યન્તરની શ્વાસ અને ઉચ્છ્વાસરૂપ ક્રિયાએ ગ્રહણ કરવામાં આવી છે એવા કઈ કઈ વિદ્વાનોના મત પડે છે. ' શ્રી ભગવતી સૂત્ર : ૧ ૭૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy