SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ચલનાદિક પદે ચલનત્વ આદિ પર્યાયથી ઉત્પન્ન સ્વરૂપ પક્ષના પ્રતિપાદક છેએટલે કે તેમનું કથન કરનારા છે. તથા “છિનાળે ઝિ ” “જે છેદાઈ રહ્યું છે તે છેદાઈ ચૂકયું” ઈત્યાદિ પાંચ પદે પણ કર્મવિષક વ્યાખ્યાન કરવા સિવાય અન્ય વિષયનું વ્યાખ્યાન કરવાને પણ સમર્થ છે, કારણ કે છેદન, ભેદન, દહન આદિ ધર્મો કર્મ સિવાયની અન્ય વસ્તુઓના પણું ધર્મરૂપે સંભવી શકે છે. તેમની વચ્ચે આ રીતે ભિન્નાર્થતા સમજવી જોઈએ. જેમકે કુહાડી આદિ બાહ્ય સાધન દ્વારા વૃક્ષાદિને કાપવું તેનું નામ છેદન છે. ભાલા આદિ દ્વારા દેહને અથવા તેના અંગેને કાપવાં તેનું નામ ભેદન છે. અગ્નિ દ્વારા કાષ્ઠને બાળવું તેનું નામ દહન છે. શરીરને છેલે શ્વાસ બંધ થવે તેનું નામ મરણ છે. અને અત્યન્ત જીર્ણતા-પુરાણુતાને નિર્જરા કહે છે. આ રીતે એ દરેક પદ જુદા જુદા અર્થ બતાવનાર છે, છતાં પણ સામાન્ય રીતે તે એક વિનાશરૂપ અર્થનું જ કથન કરે છે. શંકા–આપ ચલનાદિ સૂત્રે તથા છેદન, ભેદન, અને દહનાદિ સૂત્રનું કથન કરી રહ્યા છે પણ ચલન, છેદન આદિ એ બધું અતત્ત્વરૂપ છે. પ્રકૃત શાસ્ત્રમાં તેમને વિચાર કરો એટલે શાસ્ત્રની શાસ્ત્રતાને જ નાશ કરે એવું લાગે છે, કારણ કે તનું શાસન કરનારાં શાસ્ત્રોને જ સાચાં શાસ્ત્ર કહેવાય છે. આ બધું તત્ત્વરૂપ તે નથી જ-અતત્ત્વરૂપ છે. અતનું કથન કરનાર શાસ્ત્રોને પણ જે સાચાં શાસ્ત્રો માનવામાં આવે તે લૌકિક શાસ્ત્રોને પણ શાસ્ત્ર રૂપે માનવા જોઈએ. ઉત્તર-અનાદિ કાળથી પ્રવૃત્ત મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને ગેની સહાયતાને લીધે જીવદ્વારા અનંત ભથી ઉપાર્જિત જે કઠિન, કનિતર, અને કઠિનતમ અનંત કમંદલિક છે, જેમનુ અન્ય ઉપાય દ્વારા સમુછેદન થવું અશકય છે, તેમના છેદન આદિરૂપ તત્ત્વના વિચારમાં પ્રવૃત્ત થયેલ શાસ્ત્રમાં શાસ્ત્રતાને વ્યાઘાત થતું નથી. એટલે કે આ ચલનાદિરૂપ ધર્મ અતત્વ નથી પણ તત્વ જ છે. તેથી પ્રકૃત શાસ્ત્રમાં તેમને વિષે વિચાર કરવામાં શાસ્ત્રની શાસ્ત્રતા જતી રહેતી નથી. વળી–નિશ્ચય નયને આધાર લઈને વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરવાને પ્રારંભ થયો છે તેથી આ નય તે ચાલતી વસ્તુને ચાલી ચૂકી માને છે. પણ જે વ્યવહાર નય છે તે એવું માનતા નથી, તે તે ચલિતને જ ચલિત માને છે–જે વસ્તુ ચાલી ચૂકી છે તેને જ ચાલી ચૂકેલી માને છે. અને નિશ્ચયનય તે ચાલતી વસ્તુને પણ ચાલી ચૂકેલી માને છે. તેથી નિશ્ચય નયની અપેક્ષાએ ચાલતી વસ્તુને ચાલી ચૂકી કહેવામાં અતત્વ રૂપતા નથી. આ વિષયની વધારે માહિતી મેળવવા માટે બીજાં શાસ્ત્રો વાંચવા. સ. ૧૦ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૭૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy