SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાનું તાત્પર્ય એ છે કે પત્પત્તિના દૃષ્ટાંત અનુસાર નિર્જરાના પ્રથમ સમયમાં ક્ષય થતાં કર્મને ક્ષીણ થઈ ગયેલું માની લેવામાં આવે છે. તેથી “ત્તિનમાર્ગ નિ ” એવું કથન કરી શકાય છે (૯). શંકા–જેમણે સાક્ષાત્ ભગવાનના મુખે જ સમસ્ત વિષયનું જ્ઞાન મેળવ્યું છે, સમસ્ત વિષના જ્ઞાતા હોવાને કારણે જેમણે દ્વાદશાંગીની રચના કરી છે, તથા આ દ્વાદશાંગીની રચના કરવાને લીધે જેઓ સમસ્ત શ્રત વિષયના નાતા ગણાય છે, તથા વિવિધ લબ્ધિના ધારક, સર્વજ્ઞતુલ્ય નિરૂપક, તથા સર્વ સંશના ઉચછેદક હોવાથી જેઓ સર્વજ્ઞ સમાન ગણાય છે, એવા ગૌતમસ્વામીએ બાલ ની જેમ આ પ્રકારના સંદિગ્ધપદાર્થવિષયક પ્રશ્નો શા માટે પૂછયા? કહ્યું પણ છે ગૌતમસ્વામી કે નવ પ્રશ્ન કરને કા કારણ “સંરવા ૩ મ, ના બં ધા પ ા પુછેગા ___ण यत्राणं अणाइसेसी, वियाणई एस छउमस्थो॥१॥" જે છાસ્થ અતિશયજ્ઞાનયુક્ત હોય છે તે અન્ય દ્વારા પૂછવામાં આવે તે સંખ્યાતીત ભ કહી દે છે, કારણ કે તેનું જ્ઞાન તે ધરાવે છે. આ વચનાનુસાર છસ્થ હોવા છતાં પણ ગૌતમસ્વામીને સર્વજ્ઞકલ્પ માન્યા છે. તેથી સર્વજ્ઞક૫ ગૌતમ સ્વામી એવા પ્રશ્નો પૂછે તે એગ્ય લાગતું નથી. સમાધાન–ગૌતમ સ્વામીને સર્વજ્ઞ ક૫ માન્યા છે–સર્વજ્ઞ માન્યા નથી. તેથી ઉપરોક્ત ગુણ હોવા છતાં પણ છવસ્થ હેવાને કારણે તેમના જ્ઞાનમાં અનાગતાને (અપરિપૂર્ણતાને) સંભવ રહે છે. કહ્યું ણપ છે – " न हि नामानाभोगः, छमस्थस्येह कस्यचिनास्ति । यस्माज्ज्ञानावरण, ज्ञानावरणप्रकृतिकर्म ॥१॥" છસ્થમાં અનાગ–અપરિપૂર્ણતા હોતી નથી. એ વાત બરાબર નથી-છદ્મસ્થ માત્રમાં અનાગ (અપરિપૂર્ણતા) હોય છે જ. કારણ કે જ્ઞાન પર આવરણ કરનારા જ્ઞાનાવરણકર્મ તો તેમને હોય છે જ. આ રીતે જોતાં છઘમાં જ્યારે જ્ઞાનાવરણકર્મનું અસ્તિત્વ હોય છે. તે ગૌતમ પણ છદ્મસ્થ હતા. તેથી તેમનામાં પણ જ્ઞાનવરણકર્મનું અસ્તિત્વ હતું જ. તેથી તેમના જ્ઞાનમાં પરિપૂર્ણતા ન હતી. તેથી તેઓ સર્વજ્ઞ ભગવાનને આ પ્રકારના પ્રશ્નો પૂછે તેમાં કંઈ પણ અજુગતું લાગતું નથી. અથવા નિશ્ચિતરૂપે “માળે રgિ” ઈત્યાદિ સૂત્રને સમજવા છતાં પણ પિતાના જ્ઞાનમાં સંવાદક્તા સાધવાને માટે પણ પ્રશ્નો પૂછી શકે છે. અથવા જાણવા છતાં પણ ગૌતમસ્વામી એ આશયથી પ્રશ્નો પૂછે છે કે મારા પ્રશ્નોના ઉત્તર ભગવાન દેશે તેથી ભદ્ર પ્રકૃતિના ભવ્ય જીને પણ સરળતાથી બેધ મળશે. અથવા મેં જે વસ્ત મારા શિષ્યોને સમજાવી છે તે જ વસ્તુ જે ભગવાનના સ્વમુખે તેઓ સાંભળશે તે તેમને મારાં વચનેમાં અતૂટ શ્રદ્ધા જામશે, એ વિચાર કરીને પણ તેમણે સર્વજ્ઞ ભગવાનને એ પ્રશ્નો પૂછ્યા હશે. અથવા–“શિષ્ય પૂછે અને શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy