SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. આ ઉદીરણ દ્વારા પ્રથમ સમયમાં જ ઉદીર્યમાણ કર્મ ઉત્પદ્યમાન પટમાં ઉત્પન્નત્વની જેમ ઉદીરિત થાય છે. તેથી ઉદીર્યમાણુ કમને જ ઉદારિત રૂપે વ્યવહારમાં બેલાય છે. (૩) રકમ ” વેદ્યમાન કર્મને વેદિત કહેવું તે પણ બરાબર છે. કર્મજન્ય ફળને ભોગવવું–અનુભવન કરવું તેનું નામ વેદન છે. અબાધાકાળ પછી જ કર્મને ઉદય થાય છે એટલે કે કર્મ બંધ પડતાં જ કર્મ પિતાનું ફળ દેતું નથી. પણ અબાધકાળ પસાર થયા પછી જ કર્મ પિતાનું ફળ આપે છે, એવું સિ. દ્વાંતનું કથન છે. તેથી વિવક્ષિત કર્મના અબાધકાળની જેટલી સ્થિતિ પડી હોય તે સ્થિતિની સમાપ્તિ થતાં ઉદયાવસ્થામાં આવેલાં કર્મને અથવા ઉદીરણ દ્વારા ઉદયમાં લાવવામાં આવેલ કર્મને જે ફલાનુભવ થાય છે તેને વેદન કહે છે. તે વેદનનો કાળ અસંખ્યાત સમયને છે, તેથી આદ્ય (શરૂઆતના) સમયમાં વેમાન કર્મ–ભેગવાતું કમ-જોગવી લીધું, એમ વ્યવહાર થાય છે (૩) “ifહમાળ પીને પ્રહાયમાણ કર્મને પ્રહણ કહેવામાં પણ કેઈષ નથી. જીવ પ્રદેશની સાથે જકડાયેલાં કર્મનું તે પ્રદેશથી અલગ થવું તેનું નામ “પ્રહણ” છે. તે પ્રહણને કાળ પણ અસંખ્યાત સમયને છે. અસંખ્યાત સમય વાળા પ્રહણના પ્રથમ સમયમાં પ્રહાયમાન કર્મની કેટલેક અંશે પ્રહણતા થાય છે. તેથી અંશતઃ અહીયમાન કર્મને પ્રહણ કહેવામાં કઈ વાંધે નડતું નથી. એટલે કે જીવ પ્રદેશમાંથી અંશતઃ પણ જુદા પડી રહેલા કમને જુદા પડી ગયા, એમ કહેવામાં કઈ દેષ નથી.) છિન્નમાળે છિન્ને છેડાતાં કેમેને છેદાઈ ગયાં કહેવામાં પણ દેષ નથી. આઠ કરણામાંનું અપવર્તના નામનું જે ચોથું કરણ છે તેના દ્વારા કર્મની દીર્ઘકાળની સ્થિતિને ન્યૂન કરવી-ઓછા સમય વાળી કરવી તેનું નામ છેદન છે. આ કરણુમાં સ્થિતિ અને રસને કમ કરવાને (હાસ કરવાનો સ્વભાવ હોય છે, આ પ્રકારના અપવર્તનાકરણરૂપ છેદનની સ્થિતિ પણ અસંખ્યાત સમયની છે. એ છેદનના પ્રથમ સમયમાં છેદતાં કર્મને છિન્ન (છેદાઈ ગયું) કહેવામાં કઈ દેષ નથી, તે પૂર્વોક્ત પટના દૃષ્ટાંત દ્વારા સિદ્ધ થાય છે. તેથી છિદ્યમાન કર્મને છિન્ન કર્મ કહેવામાં આવે છે (૫). “મિષમાળે મિજો” ભેદતાં કમેને ભેદાઈ ગયાં કહેવામાં પણ દેષ નથી. ચિરકાલ સંચિત શુભ અને અશુભ કર્મના તીવ્ર રસને અપવર્તનો કરણ દ્વારા મંદ કરે તેનું નામ “મિલના” ભેદાવું છે. અથવા મંદ રસ વાળાં શુભ અને અશુભ કર્મોને ઉદ્વર્તનાકરણ દ્વારા તીવ્ર રસ દેનાર કરવું તેનું નામ મિના–ભેદાવું છે. (આઠ કરણેમાંના ત્રીજા કરણનું નામ ઉદ્વર્તનાકરણ છે). આ કરણમાં એ સ્વભાવ હોય છે કે તે કર્મની સ્થિતિ અને રસમાં વૃદ્ધિ કરે છે. આ ભેદનની સ્થિતિ પણ અસંખ્યાત સમયની હોય છે. પટના દૃષ્ટાંતમાં બતાવેલી યુક્તિ અનુસાર પ્રથમ સમયમાં ભેદાતા કર્મને “ભેદાઈ ગયું” કહેવામાં કઈ દેષ નથી (૬). શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy