SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ પણ આ પ્રમાણે વિચાર કરતાં આ દૃષ્ટાંત સિદ્ધ જ થતું નથી. દાર્ભ્રાન્તિક (જે સિદ્ધાંત સિદ્ધ કરવા માટે દૃષ્ટાંત અપાતું હોય) નું પ્રતિપાદન કરવામાં અસિદ્ધ દૃષ્ટાંત સાધક થતું નથી, એવા પ્રામાણિક પુરુષોને મત છે. ઉત્તર—એમ કહેવુ જોઇએ નહીં, કારણ કે તંતુપ્રવેશના પ્રથમસમયરૂપ ઉત્પત્તિક્રિયાકાળે જો પટને ઉત્પન્ન થયેલો ન માનવામાં આવે તો તે પ્રથમ ક્રિયા નિરથ ક (નિષ્ફળ) જ ગયેલી ગણવી જોઇએ. કાર્ટીની ઉત્પત્તિ કરવી એ તા ક્રિયાનું ફળ છે. જો તે પ્રથમ ક્રિયા ફળને ઉત્પન્ન કરતી ન હાય તા તે સફળ કેવી રીતે થઈ શકે ? જો પ્રથમ સમયમાં પટને ઉત્પન્ન થયેલેા ન માન વામાં આવે તે ઉત્તર (પાછળની) ક્ષણુપરમ્પરામાં પણ તે કેવી રીતે ઉત્પન્ન થઇ શકે છે ? એટલે કે ઉત્પન્ન થઇ શકે જ નહીં. પૂર્વીક્ષણ અને ઉત્તરક્ષણમાં એવી કઇ વિશેષતા તે નથી કે પૂર્વીક્ષણમાં અનુત્પન્ન પર ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થઈ જાય. પૂ॰ક્ષણ ક્રિયારૂપ છે અને ઉત્તરક્ષણુ પણ ક્રિયારૂપ છે. તેથી જે તે અન્નેમાં ક્રિયારૂપે વિશેષતા ન હાય-એટલે કે તે અન્ને ક્ષણ ક્રિયારૂપ જ હોયતેા એમ માનવુંજ પડે કે જો પ્રથમ ક્રિયાકાળમાં પટ ઉત્પન્ન થતે નહીં હોય તે તે ત્યાર પછીની ક્ષણુપરમ્પરામાં પણ ઉત્પન્ન થઈ શકતે નથી. જો ઉત્તર અન્તિમ ક્રિયા દ્વારા પટની ઉત્પત્તિ થાય છે એવું આપ માનતા હો તે એ પણ માનવું જ જોઇએ કે પ્રથમ ક્રિયાથી પણ પટની ઉત્પત્તિ થાય છે. જો પ્રથમ ક્રિયાથી પટ ઉત્પન્ન થતા ન હોય તે તે અન્તિમ ક્રિયાથી પણ ઉત્પન્ન થઇ શકતા નથી. આ રીતે માનવામાં આવે તેા પટનું ઉત્પાદન જ કઢી થઈ શકે નહીં. પણ એવું તેા લાગતું નથી કે અન્તિમ તંતુ પ્રવેશના સમયે પણ પટ ઉત્પન્ન થતા ન હોય. તેથી એ માનવું જ જોઈ એ કે પ્રથમ તતુ પ્રવેશના સમયે જ અવયવી પટના કેટલાક ભાગ તા ઉત્પન્ન થઇ જાય છે. બાકીના જે ભાગ ઉત્પન્ન થવાને બાકી રહે છે તે દ્વિતીય ક્રિયાથી ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે પટના જે જે વિભાગ આગલી ક્રિયાઓમાં ઉત્પન્ન થતા નથી તે તે ભાગ અન્તિમ કાળ સુધીની ક્રિયાઓ દ્વારા ક્રમશઃ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે અન્તિમત'તુપ્રવેશકાળે પટનું નિર્માણ થઇ ગયુ, એમ વ્યવહારમાં કહેવાય છે. ઉત્તરક્રિયાની સાર્થકતા (સફળતા) તે તેમાં જ છે કે તે પ્રથમ ક્ષણની ક્રિયાના કાર્યથી નિરપેક્ષ રહે. તેથી જેમ પ્રથમ સમયે જ ઉત્પદ્યમાન પટને ઉત્પન્ન થયા કહી દેવાય છે તેમ અસંખ્યાત સમયની પ્રમાણ વાળી ઉજીયાવલિકાના પ્રથમ સમયથી માંડીને ઉદયમાં આવેલાં કમ પુદ્ગલાને ચલિત’—યમાં આવી ચૂકયાં-એમ કહી દેવાય છે. કારણ કે ચલનેાન્મુખ થયેલ કમ ો ઉદયાલિકાના પ્રથમ સમયમાં ઉદયમાં ન આવે તે પ્રથમ સમયમાં કેમ પુદ્ગલાના ઉયરૂપ ચલનથી રહિત એવી તે ક્રિયાને ક્રિયા જ ન માની શકાય. તથા જો તે અે પુદૂગલ પ્રથમ સમયમાં ઉદયમાં ન આવે તે દ્વિતીય, તૃતીય આદિ સમયમાં પણ તે ઉદયમાં નહીં આવી શકે. કારણ કે કમ પુદ્ગલેના ઉયરૂપ ચલનથી રહિત તે પ્રથમ સમય કરતાં અન્ય દ્વિતીય આદિ સમયેામાં શી વિલક્ષણતા શ્રી ભગવતી સૂત્ર : ૧ ૫૯
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy