SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન આદિ સાધન મોક્ષપુરુષાર્થને માટે જ છે અન્યને માટે નથી. આ રીતે આ બને નિયમોને આ સૂત્ર નિશ્ચય કરાવે છે. તેથી તે સૂત્ર શાસ્ત્રસ્વરૂપ છે. પિતાના વિપક્ષના નાશથી જ મોક્ષપુરુષાર્થની જીવને પ્રાપ્તિ થાય છે. મેક્ષને વિપક્ષ બંધ ગણાય છે. કર્મની સાથેના જીવના સંબંધને જ બંધ કહે છે. તે કમેને ક્ષય બતાવવાને માટે જ “માણે ર”િ ઈત્યાદિ ઉપક્રમ કર્યો છે. શંકા–જે વસ્તુ વર્તમાન કિયાના વિષયરૂપ હોય તે શું. ભૂતકાળની કિયાના વિષયરૂપ વ્યપદેશને ગ્ય હોઈ શકે ખરી ? ન જ હોઈ શકે, કારણ કે વર્તમાનકાળ-સંબંધી ધર્મ અને ભૂતકાળ-સંબંધી ધર્મને વિરોધ છે. વિધી બે ધર્મોનું એક કાળમાં એકાધિકરણરૂપે અસ્તિત્વ સંભવી શકતું નથી. કારણ કે તેમની વચ્ચે સહાનવસ્થાનરૂપ-સાથે ન રહેવારૂપ વિરોધ છે. જેમ કે–ઘંટમાં (ઘડામાં) ઘટવધર્મ રહેલો હોય છે અને પટમાં (વસમાં) પટત્વગુણ રહેલા હોય છે. પણ તે બન્ને ગુણે એકજ જગ્યાએ રહી શક્તા નથી, કારણ કે તેમનામાં સહાનવસ્થાનરૂપ (સાથે ન રહેવારૂપ) વિરેજ હોય છે. એજ પ્રમાણે ભૂતકાળ અને વર્તમાનકાળમાં પણ સહાનવસ્થાનરૂપ વિરેાધ હોય છે. તે પછી “જમાને વસ્ટિ” સૂત્ર દ્વારા આપ તે બન્નેની એકત્ર અવસ્થિતિ (અસ્તિત્વ) નું પ્રતિપાદન કેવી રીતે કરે છે ? એ જ પ્રમાણે “વરિષમા વીgિ” સૂત્રમાં ઉદીર્યમાન ધર્મ વર્તમાનકાળ વિષયક છે અને ઉદીરિત ધર્મ ભૂતકાળ વિષયક છે. તેથી વર્તમાનકાળની તે ઉદીરણા શું અતીતકાળ (ભૂતકાળ) ની હોઈ શકે છે ? કદી પણ એવું બની ન શકે. એજ પ્રમાણે “ મળે છે” દિનના પીળે” છિન્નમાળે છિન્ન” fમ માળે મિજો” “વાક્ષમા ” મિકનના મ” “ળિકારિકઝમાળ િિા ” એ સૂત્રે વિષે પણ એમ જ જાણવું. “ રઢિણ” ઈત્યાદિ નવ પદેમાં “ શાન ” એ બે પ્રત્યય વર્તમાનકાળના બેધક છે એ નિયમ પ્રમાણે “જ્ઞાન” પ્રત્યય વર્તમાનકાળને બોધક છે અને ચલિત આદિ પદેમાં “વત” પ્રત્યય ભૂતકાળને બેધક છે. આરીતે વર્તમાનકાળવિષયક ચલત્ આદિકોમાં ભૂતકાલવિષયત્વ કેવી રીતે સંભવી શકે છે ? આ પ્રમાણે સંજોગે હેવાથી “રસ્ટના જસ્ટિ” એવું આપ કેવી રીતે કહો છો ? આ પ્રમાણે “માણે વણિ” ઈત્યાદિ નવ પ્રશ્નો ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછયો. તેને સ્વીકાર કરતા ભગવાને કહ્યું, “હું” “હંત પદ કેમળ આમંત્રણરૂપે આવે છે. અથવા “હે ગૌતમ ! તે જે પૂછયું છે તે એ પ્રમાણે જ છે એવી તે વિષયમાં પોતાની સ્વીકૃતિ આપવારૂપ છે. એટલે કે ભગવાન મહાવીર ગૌતમ ગણધરને કહે છે કે હે ગૌતમ ! “સ્ટમાળ વષ્ટિ' થી શરૂ કરીને “ળિકારિકનમાળે શિક્તિ” સુધીના જે પ્રશ્નો તમે પૂછયા તે એ પ્રમાણે જ છે તેમાં કઈ સંશય કરવા જેવું નથી) એ ભગવાનને અભિપ્રાય છે. હવે તે પ્રશ્નોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–રમાણે રસ્કિાર' એ પહેલું સૂત્ર કર્મવિવેચક છે તેથી જ સૂત્રકારે સૌથી પહેલું તેનું કથન કર્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૧ ૫૬
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy