SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સંશય થવાનું કારણ એ હતું કે ભગવાન મહાવીર સ્વામીએ “વરમાણે જણ” આ સૂત્રમાં વર્તમાન કાળમાં “ચાલતા અર્થને ભૂતકાળમાં “ચાલ્યા ગયા રૂપે ઉલ્લેખ કર્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વર્તમાનમાં ચલનકિયા રૂપે પરિણમી રહેલ છે એજ ભૂતકાળની ક્રિયારૂપે એજ સમયે પરિણમેલ કેવી રીતે માની શકાય. વર્તમાન કાળ અને ભૂતકાળ એ બન્ને કાળ એક બીજાથી વિરુદ્ધ હોય છે તો તેમનામાં યુગપ–એકીસાથે એકર્થવિષયતા કેવી રીતે આવી શકે છે. જ્યારે પ્રભુએ તેમને યુગપત–એકીસાથે એકાર્થવિષયતા કહી છે ત્યારે ઇન્દ્રભૂતિને તે બાબતમાં સંશય થાય તે સ્વાભાવિક છે, કારણ કે તે પ્રકારના કથનથી તે વર્તમાનકાળ અને ભૂતકાળમાં સમાનતા આવી જાય છે. “=ાચવોઝg” પદ એ બતાવે છે કે જ્યારે ઇન્દ્રભૂતિના મનમાં તે સંશય પેદા થયો ત્યારે તેમના ચિત્તમાં તે ઉત્સુકતા પણ વધી કે હું જ્યારે ભગવાનને આ પ્રશ્ન પૂછીશ ત્યારે ભગવાન તેને કેવો જવાબ આપશે. આ રીતે ઉત્તર સાંભળવાની ઉત્સુકતા–આતુરતા વધી ગઈ હતી. કુતૂહલને અર્થ અહીં ગમ્મત સમજવાનું નથી. પણ ઇચ્છા સમજવાનું છે. “ ” પદ દ્વારા સૂત્રકાર એમ દર્શાવે છે કે પહેલાં કદી પણ ન ઉત્પન્ન થઈ હોય એવી શ્રદ્ધા તેમનામાં ઉત્પન્ન થઈ ચુકી હતી. કદાચ કઈને શંકા થાય કે “વાતશ્રદ્ધ પદ દ્વારાજ “ઉત્પશ્રી અર્થ સમજી જવાય છે તે પછી અહીં તે કથનની પુનરૂક્તિ કરવાને શે આશય છે? તે તે શંકાને આ પ્રમાણે ઉત્તર છે – સૂત્રકારે છે એવું કથન કર્યું છે તેનું કારણ “દેતુ-તુમ-દ્વાવનું પ્રદર્શન કરાવાનો છે. જાતશ્રદ્ધનું તાત્પર્ય એ છે કે તેમની શ્રદ્ધા પ્રવૃત્તિમાં આવી ગઈ છે, પણ એ વાત વિચારવા જેવી છે કે જ્યાં સુધી શ્રદ્ધા ઉત્પન્ન જ થઈ ન હોય ત્યાં સુધી તે પ્રવૃત્તિશાલિની કેવી રીતે બની શકે ? ઉત્પન્ન થયા પછી જ પ્રવૃત્તિશાલી બની શકે. તેથી એ વાતને સમર્થન મળે છે કે ઉત્પન્ન શ્રદ્ધા, જાતશ્રદ્ધાને માટે હેતુરૂપ છે. અને જાતશ્રદ્ધા હેતુમતુ રૂપ છે. એ જ પ્રમાણે ઉત્પન્નસંશય અને જાતકૌતુહલને હેતુ – હેતુમભાવ ઘટાવી લેવું જોઈએ. એજ વાતને “શ્રદ્ધાયાઃ અન્નપજ રિત્વેિ કાર રચાર પર પ્રોટુમ્મરે તુ પદ્ધઃ ” દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. જ્યાં સુધી જીવમાં શ્રદ્ધાનું સ્વરૂપ તિરહિત (છૂપું) રહે છે ત્યાં સુધી તે જીવને “જાતશ્રદ્ધ” કહેવાય પણ તેનામાં શ્રદ્ધાના સ્વરૂપને જે પ્રાદુર્ભાવ થાય છે કે તરત જ તેને “ઉત્પન્નશ્રદ્ધ” કહેવામાં આવે છે. “સંગારશ્રદ્ધઃ સંનતરાયઃ, સંજ્ઞાતપુતૂહુર, સમુરાદ્ધ, સમુત્પન્નસંસાઃ અને સમુઘન્નg” એ છ પદોમાં જે “સમ” ઉપસર્ગ છે તે પ્રકર્ષ આદિને વાચક છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે-જેનામાં વિશેષતર પ્રમાણમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તેને “સંજાતશ્રદ્ધ” કહે છે. એ જ પ્રમાણે ‘સંજાતસંશય અને સંજાતકુતૂહલ’ શબ્દનો અર્થ પણ સમજીલે. સમુત્પન્નશ્રદ્ધને ભાવાર્થ આ પ્રમાણે છે જેને સર્વ પ્રકારે શ્રદ્ધા ઉત્પન્ન થઈ ચૂકી છે તેને “સમુત્પન્નશ્રદ્ધ' કહેવાય છે. એજ પ્રમાણે સમુત્પન્નસંશય અને સમુત્પન્નકુતૂહલને અર્થ પણ સમજી લે. શ્રદ્ધા આદિને અર્થતે કહી દેવામાં આવ્યો છે. આ વાતનું તાત્પર્ય એટલું જ છે કે પ્રશ્ન કરવાની ઈચ્છારૂપ શ્રદ્ધાને કારણે જ કુતૂહલ અને સંશય શ્રી ભગવતી સૂત્ર : ૧ પ૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy