SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવામાં આવ્યું છે એટલે કે તેમના શરીરની કાન્તિ કમનીય–અતિશય સુંદર હતી. ઉત્કૃષ્ટકાન્તિસંપન્ન હોવા છતાં પણ કેટલાક માણસો ચરિત્રહીન હોય છે. પણ ઇન્દ્રભૂતિ અણગાર એવા ન હતા તે બતાવવા માટે “ત” પદ મૂક્યું છે. એ પદ એમ બતાવે છે કે તેઓ ઉગ્ર તપ કરતા હતા. બીજા લેકે જે તપ કરવાની કલ્પના પણ ન કરી શકે તેવાં ઉગ્ર તપ તેઓ આચરતાં હતાં. કર્મરૂપી ગહન વનને જલાવવાને સમર્થ હોવાને કારણે તેમનું તપ હુતાશન –અગ્નિ-ના જેવું જાજવલ્યમાન હતું. તેથી તેમને દીસતપ વિશેષણ લગાડયું છે. “તસતપ પદ એ બતાવે છે કે તેમણે જે જે તપ આદર્યા હતાં તે બધાં શાસ્ત્ર મર્યાદા અનુસાર પાળ્યાં હતાં. તેમણે એવાં એવાં તપ કર્યા હતાં કે સામાન્ય માણસ તો એવાં તપ કદી પણ કરી ન શકે. “મફત” પદ એ બતાવે છે કે તેઓ ઈચછારૂપ દેષથી રહિત હોવાને કારણે પ્રશસ્ત તપ-આકરાં તપ કરતા હતા. “ઘોર પદ દ્વારા એ બતાવવામાં આવ્યું છે કે તેઓ જે જે તપ તપતા હતા, તે તે તપ ઘણાં જ ઘેર-કઠિન હતાં. વિશાલ તપશ્ચરણને કારણે તેઓ ઉદાર હતા. કાયર લેકેને માટે અશકય લાગે તેવાં તપે આચર. વાને લીધે તેઓ ભીમ હતા. અથવા તેઓ સ્વભાવે ઉદાર હતા અને પરીષહ, ઈન્દ્રિયના વિષય અને કષાયરૂપ શત્રુઓને વિનાશ કરવામાં કઠેર હતા. અથવા આત્મનિરપેક્ષ હોવાને કારણે તપસ્યામાં લીન હતા, અને તેથી તેમને “ઘર” કહેલ છે. તેમને ઘેરગુણયુક્ત કહેવાનું કારણ એ છે કે તેમના જે મૂલગુણાદિક હતા તે અન્ય પાસસ્થા આદિ દ્વારા જીવનમાં ઉતારી શકાય તેમ ન હતા. પાર કરતી વખતે વિવિધ અભિગ્રહો ધારણ કરતા હોવાથી તેઓ દુષ્કર તપસ્યા કરનારા હતા. અને તેથી જ તેમને ઘેરતપસ્વી કહ્યા છે. જે બ્રહ્મચર્ય વ્રત સામાન્ય જીવે ધારણ કરી શક્તા નથી તે દારુણ બ્રહ્મચર્યમાં વસવાને તેમને સ્વભાવ હતો, તેથી તેમને ઘેરબ્રહ્મચર્યવાસી કહેલ છે. તેઓ શારીરિક સંસ્કાર (જ્ઞાન, કેશની સફાઈ વગેરે)થી રહિત હતા. તેથી એમનું શરીર એવું લાગતું હતું કે જાણે તેમણે તે શરીરને છોડી દીધું જ હોય તેથી તેઓને “ઉછૂઢશરીર કહેલ છે. કહેવાને ભાવાર્થ એ છે કે તેઓ શરીરસંસ્કાર પ્રત્યે નિસ્પૃહ હતા. તેથી તેમણે શારીરિક સંસ્કાર કરવા છોડી દીધા હતા. અથવા શરીર પર તેમને બિલકુલ મમત્વ ન હતું. “સંક્ષિ-વિપુરા–તેનોસેફઃ” પર એ દર્શાવે છે કે વિશિષ્ટ તપસ્યાને પ્રભાવે તેમને તેલેશ્યાની પ્રાપ્તિ થઈ ગઈ હતી, જે તેજલેશ્યા અનેક જન પ્રમાણ ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને બાળી નાખવાની શક્તિ ધરાવતી હતી. છતાં પણ તેઓ તેને ઉપયોગ કરતા નહીં પણ તેને પિતાના શરીરની અંદરજ દબાવી રાખી હતી. તેઓ ચૌદ પૂર્વ અને ચાર જ્ઞાનના ધારક હતા, તથા તેઓ સક્ષરસંનીપાતી લબ્ધિથી યુક્ત હતા, અર્થાત્ સર્વ અક્ષરના નિર્ણયથી જે અર્થ થાય છે તે અર્થના જ્ઞાતા હતા “ર્થનાનુ' શબ્દને અર્થ ઉત્કટાસન થાય છે. એટલે કે ઇન્દ્રભૂતિ ઉત્કટાસને બેઠા હતા, તેમનું મુખ નીચે નમેલું હતું. આ સ્થિતિમાં તેમની નજર ઉપર પણ ન પડતી અને તિરછી શ્રી ભગવતી સૂત્ર : ૧ ૫૧.
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy