________________
પ્રભુના ચરણે તળભાગ (જુવકૃત્યાદ્રિ) લાલ કમળનાં પત્તાં જેવો અતિ કેમળ અને લાલ હતા.
(નાનાલ્યારિ) પ્રભુના ચરણમાં પર્વતનાં, નગરનાં, મકરનાં (મગરનાં) સાગરનાં અને ચકનાં ચિહ્નો હતાં. એ સિવાય સ્વસ્તિક આદિ શુભસૂચક અને માંગલિક ચિહ્નો પણ હતાં. પ્રભુનું રૂપ અતિશય સુંદર હતું. પ્રભુનું તેજ (દુધવચારિ) ધુમાડાથી રહિત પ્રજ્વલિત અગ્નિ જેવું, વારંવાર ચમકતી વિજળી જેવું અને તરુણ રવિ કિરણના જેવું હતું. પ્રભુ કર્મોના આસવથી રહિત હતા, મમતાથી રહિત હતા, પરિગ્રહની ગ્રંથિથી રહિત હતા, છિન્તસ્ત્રોત હતા—ભવપ્રવાહથી રહિત હતા, દ્રવ્યમાળ અને ભાવમળ, એ બન્ને પ્રકારના મળથી રહિત હતા. દ્રવ્યમાળની અપેક્ષાએ ભગવાનનું શરીર નિર્મળ હતું. અને ભાવમળની અપેક્ષાએ કર્મબંધના કારણરૂપ મળથી પ્રભુ રહિત હતા. એ જ વાતનું વધારે સ્પષ્ટીકરણ કરવાને માટે સૂત્રકાર કહે છે –
ભગવાન પ્રેમ ( આસક્તિ) થી, રાગથી ( વિષયમાં અનુરાગથી), દ્વેષ (અપ્રીતિ)થી, અને મેહથી તદ્દન રહિત હતા. પ્રભુ નિગ્રન્થ પ્રવચનના ઉપદેષ્ટા હતા. સુવર્ણ આદિ દ્રવ્યગ્રન્થથી અને મિથ્યાત્વ આદિ ભાવ ગ્રન્થથી જે રહિત હોય છે તેને નિગ્રન્થ કહે છે. અન્યના કલ્યાણને માટે જે સારી રીતે કહેવામાં આવે છે તેને પ્રવચન કહે છે. પ્રભુ એજ નિન્ય પ્રવચનના એટલે નિરારમ્ભ અને નિષ્પરિગ્રહ ધર્મના ઉપદેશક હતા. પ્રભુ સાર્થનાયક હતા, મેક્ષને માર્ગે પ્રયાણ કરતા ભવ્યસમૂહને સાર્થ કહે છે. એજ સાર્થના પ્રભુ નાયક હતા. મૃતચારિત્રરૂપ ધર્મના પ્રભુ સંસ્થાપક હતા. તપ, સ્વાધ્યાય આદિમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને કર્મની નિર્જરાને નિમિત્ત જેઓ શ્રમ ઉઠાવે છે તેમને શ્રમણ કહે છે. પ્રભુ તે શ્રમણના અધિપતિ હતા–એટલે કે પ્રભુ ચતુર્વિધ સંઘના અધિપતિ હતા. પ્રભુ ચારે પ્રકારના શ્રમણસંઘની વૃદ્ધિ કરનારા હતા. અથવા–અગ્રેસર હતા, તીર્થકર ભગવાનના જે ચેત્રીસ અતિશય ( વિશિષ્ટ પ્રભા) હોય છે તે અતિશયથી પ્રભુ વિરાજમાન હતા. કેશેનું ન વધવું, નખ ન વધવા, દાઢીમૂછના વાળ ન વધવા તે પહેલે અતિશય છે. બીજા જે અતિશય છે તેનું વર્ણન સમવાયાંગસૂત્રમાંથી વાંચી લેવું. પ્રભુ સત્યવચન સંબંધી પાંત્રીસ અતિશયેથી યુક્ત હતા–એટલે કે વાણુના પાંત્રીસ ગુણોથી યુક્ત હતા. વાણીના તે પાંત્રીસ ગુણો મારે લખેલી આચારાંગ સૂત્રની આચારચિન્તામણિ ટીકાના પહેલા અધ્યયનની અવતરણામાં વર્ણવેલ છે. ત્યાંથી જેઈ લેવા. અતિશયોને પ્રભાવે એટલે અતિશના પ્રભાવથી પ્રભુ આકાશગત ચક, આકાશગત છત્ર અને આકાશગત બે ચામરોથી યુક્ત હતા. આકાશમાં રહેલ પાદપીઠસહિતના સ્ફટિકનિર્મિત સિંહાસનથી અતિશયોને પ્રભાવે ઉપલક્ષિત-યુક્ત હતા. જેમની આગળ ધર્મધ્વજને દેવે ચલાવતા હતા, એવા ભગવાન પિતાના આજ્ઞાવર્તી ચૌદ હજાર શ્રમ અને છત્રીસહજાર આર્થિકાઓના પરિવારવાળા તીર્થકર પરિપાટી પ્રમાણે વિહાર કરતા થકા એક ગામથી બીજે ગામ વિચરતા “સંયમમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧
४७