SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તે કારણે જ ભગવાન મહાવીર પ્રભુને “ઉ ” કહેલ છે. રાગદ્વેષ આદિના વિજેતા હોવાથી તેઓ જિન હતા. કેવળજ્ઞાનવાળા હોવાથી તેઓ કેવલી હતા. તેમના શરીરની ઊંચાઈ સાત હાથની હતી. તેઓ સમચતુરસ સંસ્થાનવાળા હતા. જે સંસ્થાનમાં હાથ, પગ, ઉપર અને નીચેના ભાગે, એ ચારે વિભાગે સમર્થ્યને શુભ લક્ષણવાળા હોય છે. તે સંસ્થાનને સમચતુરન્સ સંસ્થાન કહે છે. સંસ્થાન એટલે આકાર. સમ એટલે બરાબર–સપ્રમાણ. ચતુરસ્ત્ર એટલે ચાર. “અસ” એટલે હાથ, પગ આદિ વિભાગ. પ્રભુનું સંહનન વાઝષભનારાચ હતું. ખીલવાના આકારના હાડકાનું નામ વજ છે. વજાના ઉપર વીંટળાયેલી પટ્ટી જેવા વિશિષ્ટ અસ્થિને નષભ કહે છે. બનેના મર્કટબંધને નારાચ કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે શરીરના વેષ્ટન-કીલે, (ખીલીનાં આકારનાં હાડકાં) અને અસ્થિ વજય હોય તેને “વજ8ષભનારા સંહાન કહે છે. પરિવેષ્ટિત બન્ને હાડકાઓ ઉપર અને ત્રણ હાડકાઓને મજબૂત કરવાને માટે ખીલીના આકારનું વજી નામનું હાડકું જે સંહનનમાં બેસાડેલું હોય છે તે સંહનને વજાઋષભનારાચ સંહનન કહે છે. અસ્થિબંધની વિશિષ્ટ રચનારૂપ સંહનન હોય છે. પ્રભુના શરીરની અંદર રહેલા વાયુને વેગ સદા તેમને અનુકૂળ રહ્યા કરે છે. તે વાયુનો પ્રકોપ કદી તેમને નડતો નથી. તેથી તેમને અનુકૂળ વાયુવેગવાળા કહ્યા છે. પ્રભુનું ગુદાશય કંકપક્ષીના ગુદાશય જેવું હોય છે. એજ વાત “કંકગ્રહ’ શબ્દ દ્વારા બતાવવામાં આવી છે. ‘વોચપરિણામે પદ એ વાત બતાવે છે કે પ્રભુને આહારપરિપાક કપાતના આહારપરિયાક જેવો હોય છે. એટલે કે-જેમ કબુતરની જઠરાગ્નિ પથ્થરનાં કણોને પણ પચાવી શકે છે. તેમ પ્રભુની જઠરાગ્નિ અન્ત, પ્રાન્ત આદિ સર્વ પ્રકારના આહારને પચાવી દે છે. શકુનિ એટલે પક્ષી. પક્ષીનું ગુદાશય મળના સંપર્કથી તદ્દન રહિત હોય છે. અને પૃષ્ટ ભાગ ઘણે સુંદર હોય છે. પાર્ધ ભાગ પણ મનહર હોય છે અને છાતીને ભાગ પણ સુરમ્ય હોય છે. એજ પ્રમાણે પ્રભુનાં અંગે પણ સુંદર હોય છે. પદ્મ-કમલ, ઉત્પલનીલકમલ, અથવા પદ્મ એટલે પદ્મક નામનું સુગંધિ દ્રવ્ય અને ઉત્પલ એટલે ઉત્પલકુષ્ટ નામનું સુગંધિ દ્રવ્યની જેવી સુધિ હોય છે તેવી સુગંધિથી યુક્ત વાયુ પ્રભુના શ્વાસેચ્છવાસમાંથી નીકળે છે, અને વાયુથી પ્રભુનું મુખ સદા સૌરભથી યુકત રહે છે. પ્રભુનું શરીર કાન્તિમય હોય છે. પ્રભુના શરીરના માંસપિંડ રેગરહિત, સર્વોત્તમ ગુણવાળા શ્વત અને અનુપમ હોય છે. પ્રભુનું શરીર જલ, મલ્લ, કલંક, સ્વેદ અને રજના દેષથી રહિત હોવાને લીધે સદા નિર્મળ રહે છે. હવે “જલૂ ” શ્રી ભગવતી સૂત્ર : ૧ ૪૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy