SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે રક્ષણસ્થાન. કર્મરૂપી શત્રુઓને અધીન થવાથી વ્યાકુળ બનેલા જીવોને પ્રભુએ પિતાની દિવ્ય દેશના દ્વારા મેક્ષરૂપ રક્ષણસ્થાન બતાવ્યું. તેથી તેમને શરણદય કહેવામાં આવ્યા છે. અથવા પ્રભુએ તે જીને પિતાની દિવ્ય દેશના દ્વારા કર્મોથી પિતાની રક્ષા કરવાને ઉપાય બતાવ્યું. તેથી પ્રભુને શરણદય કહે છે. “જીવ” શબ્દને અર્થ એ છે કે પ્રભુની સંકટમોચનરૂપ દયા કઈ અમુક જ પ્રાણીઓ પર રહી નથી પણ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના બધા જ પ્રત્યે એક સરખી રહી છે. તેથી પ્રભુને જીવદય કહ્યા છે. અથવા મુનિજન જેના દ્વારા જીવિત રહે છે તે જીવ છે. એ જીવ સંયમ છે. આ સંયમ જીવનને જે દે છે તેને જીવદય કહે છે. “વોહિ” જિનપ્રણીત ધર્મની મૂળભૂત જે તત્વાર્થ શ્રદ્ધાનરૂપ રુચિ છે તેને બોધિ કહે છે. તે બધિ દેનારા પ્રભુ હોવાથી તેમને “બધિદય’ કહ્યા છે. “ધર્મર” તીમાં પડતાં અને તેનાથી બચાવે છે તેનું નામ ધર્મ છે. એવા તે ધર્મને શ્રુતચારિત્રરૂપ કહે છે. પ્રભુની દેશના દ્વારા અને તે ધર્મની પ્રાપ્તિ થાય છે, તેથી પ્રભને ધર્મદય કહેલ છે. “ધર્મદેશક–પભુ એજ ધર્મને ઉપદેશ આપે છે, તેથી તેમને ધર્મદેશક કહેવામાં આવ્યા છે. તેઓ ધર્મના નેતા હોવાથી તેમને ધર્મનાયક અને ધર્મના સારથિ હોવાથી તેમને “ધર્મસારથિ, કહેલ છે. જેવી રીતે સારથિ રથમાં બેઠેલી વ્યક્તિઓને સુખપૂર્વક તેમને જવાને સ્થાને પહોંચાડે છે. અને રથ આડે માર્ગે ન ચડી જાય તેની પૂરેપૂરી કાળજી રાખે છે, એ જ પ્રમાણે ભગવાનરૂપી સારથિ પણે ધર્મારૂપી રથદ્વારા ભવ્યજનોને તેમના અભીષ્ટ સ્થાને મુકિતપુરમાં-પોંચાડે છે, અને કુવાદીઓ સામે ધર્મનું રક્ષણ કરે છે, તે કારણે તેમને “ધર્મસારથિ કહેલ છે. આ રીતે અહીં ભગવાનમાં સારથિત્વનું આરોપણ થવાથી ધર્મમાં રથત્વનું આરોપણ અભિવ્યકત થાય છે, તેની આ પરંપરિત રૂપક અલંકાર છે. “ધર્મવરવા તરવટ્ટી’–‘ધર્મવરચાતુરન્તચક્રવર્તીદાન, શીલ, તપ અને ભાવ એ ચારે દ્વારા જીવેની નરકાદિ ચાર ગતિ અને ચાર કષાને નાશ કરી નાખે છે, અથવા જેના સેવનથી ચાર કષાયે અને ચાર ગતિને નાશ થઈ જાય છે, અથવા દાન, શીલ, તપ અને ભાવ એ ચારેને લીધે જે શેભે છે, અથવા જેના દાનાદિક ચાર અવયવ છે, અથવા જેના દાનાદિક ચાર સ્વરૂપ છે, તેનું નામ ચાતુરન્ત છે. તેને સ્વાર્થિક “બ” પ્રત્યય લાગવાથી ચતુરન્તમાંથી ચાતુરન્ત બની જાય છે. આ ચાતુરન્ત જ જન્મ, જરા અને મરણનું ઉચ્છેદક હોવાથી તેને ચક સમાન માનેલ છે, વર શ્રેષ્ઠ જે ચાતુરન્તચક હોય છે તેને “વરચાતુરન્તચક કહે છે. “વર પદ દ્વારા તેમાં “રાજચકેના કરતાં શ્રેષ્ઠતા બતાવવામાં આવેલ છે, કારણ કે તે બન્ને લેકનું સાધક હોય છે. ધર્મ જ એવું “વરચાતુરન્તચક છે તેના જેવું બીજું કંઈ પણ હોતું નથી. “વર પદ દ્વારા સૌગતાદિ ધર્મનું નિરાકરણ થઈ જાય છે, કારણ કે તે સાચા ધર્મ નથી પણ ધર્મને અભાસ જ છે. તેમાં ધર્માભાસતા એ શ્રી ભગવતી સૂત્ર : ૧ ४०
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy