SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વાતને સમજાવવા માટે સૂત્રકારે પ્રદીપનું દૃષ્ટાંત આપ્યું છે. લેકપદથી અહીં સામાન્યલેક ગ્રહણ ન કરતાં ભવ્યલેક ગ્રહણ થયેલ છે. “જોતર” પદ એ વાત સિદ્ધ કરે છે કે પ્રભુ પિતાના જ્ઞાનથી લેક અને એલેકરૂપ સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરવાના સ્વભાવ વાળા હોય છે. “ઢોચતે રૂરિ ઢોવા!” આ વ્યક્તિ પ્રમાણે ‘લેક શબ્દથી અહીં લેક અને અલેક બનેને સમાવેશ કરાય છે. કારણ કે કેવળજ્ઞાન દ્વારા તે બન્નેના યથાર્થ સ્વરૂપને જોઈ શકાય છે. અભયદય પદ એ બતાવે છે કે પ્રભુ કેઈને પણ ભય પમાડતા નથી. પ્રભુ ઉપસર્ગ દેનારને અને પ્રાણોને નાશ કરવામાં આનંદ માનનાર છને પણ ભય પમાડતા નથી તેથી તેમને “અભયદય કહેવામાં આવ્યા છે. “મયાના જમાવોમસન્માક્ષ સાધવામાં ઉત્કૃષ્ટ ધર્યરૂપ જે અક્ષોભ લક્ષણની આવશ્યક્તા રહે છે તે પ્રભુ ભવ્યજનને આપે છે. એટલે કે ભવ્યજીવોને તેઓ એ ઉપદેશ આપે છે કે જેના પ્રભાવથી મુક્તિ સાધવાના કાર્યમાં કઈ પણ સંગમાં તેઓ ધિર્યથી વિચલિત થતા નથી. પ્રતિકૂલ સંગોમાં પણ તેઓ કદી ભુભિત થતા નથી. અથવા અભયા–સમસ્ત જીવને સંકટમાંથી છોડાવનારી દયા-અનકંપા હોય છે. તે અનુકંપા તેમનામાં હોવાથી તેમને “અભયદય’ કહેવામાં આવ્યા છે. ચક્ષુદય (ચક્ષુદાતા) પદ એ બતાવે છે કે-જેમ હરણાદિ જાનવરોથી વ્યાસ વનમાં લુંટારા દ્વારા લૂંટાઈને, આંખ પર પટ્ટી બાંધીને તથા હાથ પગ જકડી લઈને ખાડામાં હડસેલી દેવાયેલી વ્યક્તિની આંખ પરની પટ્ટી ખસેડી નાખીને તેને દેખતે કરીને માર્ગે ચડાવી દેનાર ઉપકારી માણસને જેવી રીતે ચક્ષુદાયી ગણવામાં આવે છે, એવી રીતે આ ભવાટવીમાં રાગદ્વેષ રૂપી લૂંટારા દ્વારા જે જીના આત્મગુણ રૂપી ધનને લૂંટી લેવામાં આવ્યું છે, અને દુરાગ્રહ રૂપી પટ્ટી વડે જેમની અન્તરંગ શ્રતજ્ઞાનરૂપ આંખે જકડી લેવામાં આવી છે તથા મિથ્યાત્વરૂપ ભયંકર ખાડામાં જેમને હડસેલી દેવામાં આવ્યા છે એવા જીવોની નિખિલ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને બતાવનારી (પ્રકાશક) જે શ્રુતજ્ઞાનરૂપ આંખે છે-જે આંખે પર દુરાગ્રહરૂપ પટ્ટી મજબૂત રીતે બાંધેલી છે, તે પટ્ટીને દૂર કરીને પ્રભુએ તેમને સાચા જ્ઞાનરૂપ ચક્ષુનું પ્રદાન કર્યું છે. અને મુક્તિને રાહ બતાવ્યું છે. તેથી ભગવાનને ચક્ષુદાયી કહ્યા છે. અહીં ચક્ષુ અને જ્ઞાનમાં સમસ્ત વસ્તુઓના વાસ્તવિક સ્વરૂપને બતાવવાની શક્તિ હોવાથી સમાનતા પ્રગટ કરવામાં આવી છે. તેથી ચક્ષુ શબ્દને અર્થ જ્ઞાન-શ્રુતજ્ઞાન લેવામાં (વટાવવામાં) આવ્યો છે. એજ વાતને સૂત્રકાર બીજી રીતે સમજાવે છે-“મા ” રત્નત્રયા ભક જે મોક્ષમાર્ગ છે તે અહીં “માર્ગ” શબ્દથી ગ્રહણ કરાયેલ છે. અથવા વિશિષ્ટ ગુણસ્થાનમાં પહોંચાડનાર જે ક્ષપશમ ભાવ છે તે “મા” શબ્દથી ગ્રહણ કરાયેલ છે. તે માર્ગદય-તે માર્ગદાતા–તે માર્ગે લઈ જનાર મૂળરૂપે તે પ્રભૂજ હોય છે. તેથી તેમને માર્ગદર્ય” કહેવામાં આવ્યા છે. “ફાળ–શરણ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૩૯
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy