SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શિરોધાર્ય બને છે, એ જ પ્રમાણે પ્રભુ પણ કર્મરૂપી પકમાંથી ઉત્પન્ન તે થયાં અને ભેગરૂપ જળથી વૃદ્ધિ પણ પામ્યાં, છતાં પણ તે બન્નેથી અલિપ્ત (દૂરજ) રહ્યા. તથા ગુણરૂપ સંપત્તિનું સ્થાન હોવાને કારણે કેવળજ્ઞાન આદિ ગુણોના પ્રભાવથી તેઓ સમસ્ત ભવ્યજને દ્વારા શિરોધાર્ય બન્યા. તેથી પ્રભુને “પુરુષવર ગંધહસ્તી” કહેવાનું કારણ એ છે કે તેઓ ગંધહસ્તીના જેવાં હતા. ગંધહસ્તીનાં નીચેનાં લક્ષણે કહ્યાં છે– यस्य गन्धं समाघ्राय, पलायन्ते परे गजाः। तं गन्धहस्तिनं विद्यान्नृपते विजयावहम् ॥ १॥ इति" । જેની ગંધથી બીજા બધા હાથીઓ ભાગી જાય છે તથા જે પિતાના રાજાને યુદ્ધમાં વિજય અપાવે છે તે હાથીને ગંધહસ્તી કહે છે. જેવી રીતે ગાંધહસ્તીની ગંધ આવતાં જ બીજા હાથીઓ આમ તેમ ભાગી જઈને કોઈ જગ્યાએ છૂપાઈ જાય છે એજ રીતે પ્રભુના અતિશને પ્રભાવ જ એ અદ્રભુત હોય છે કે તેઓ જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાંના ઉપદ્ર, લૂંટફાટ મરકી આદિ સઘળા ઉત્પાત શાન્ત પડી જાય છે. જેવી રીતે ગંધહસ્તીને આશ્રય કરનાર રાજા વિજયી નીવડે છે તેવી રીતે પ્રભુને આશ્રય લેનાર ભવ્ય ગણ સદા વિજયી જ બન્યા કરે છે. આ રીતે બનેમાં સમાનતા રહેલી છે. “દિનગરમાણપતજ્ઞાતઃ” ને અર્થ એ છે કે જેવી રીતે ગંધહસ્તીની સુગંધથી બીજા હાથીઓ ભાગી જાય છે એ જ રીતે પ્રભુના વિહારરૂપ પવનની સુગધથી ઇતિ (ખેતીને નાશ કરનાર ઉપદ્રવ), પવનનું તોફાન, રોગચાળ વગેરે ઉપદ્રવ રૂપી અન્ય હાથીઓ પણ બીજી દિશાઓમાં નાસી જાય છે. પ્રભુ ચોત્રીસ અતિશ અને વાણીના પાંત્રીસ ગુણ વડે વિરાજમાન હોવાથી ભવ્યલોકોમાં ઉત્તમ મનાય છે. તેથી જ તેમને લકત્તમ વિશેષણ લગાડયું છે. “લેકનાથ પદ એ બતાવે છે કે પ્રભુ ભવ્ય જનનું ગક્ષેમ કરનાર હોય છે. તેથી તેઓ તેમના નેતા હોય છે. “રોહિતઃ” પદ એ બતાવે છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જેટલા જીવે છે તેમની રક્ષા કરવાને ઉપાય પ્રભુ બતાવે છે. તે રીતે એકેન્દ્રિય આદિ સર્વ પ્રાણગણના હિતરૂપ રક્ષાને ઉપાય બતાવતા હોવાથી તેમને “લોકહિત” કહેલા છે... જે રીતે દીપક સમસ્ત જેને સરખે પ્રકાશ આપે છે, પણ તે પ્રકાશને લાભ આંધળે માણસ ઉઠાવી શકતો નથી-દેખતે માણસ જ તે પ્રકાશ જન્ય સુખને ભેગવી શકે છે. એ જ રીતે ભવ્ય જને જ ભગવાનના અનુભાવથી ઉન્ન થયેલ પરમાનંદને ભેગવી શકે છે. અભવ્ય છે જોગવી શકતા નથી. કારણ કે અભવ્ય જીના મનમાં અનાદિ કાળથી જે મિથ્યાત્વરૂપ અંધકારને થર જામે હોય છે તે પ્રભુની દેશનાથી દૂર થતો નથી. તેથી વિશિષ્ટ આત્મતત્વને પ્રકાશ તેમને મળી શકતો નથી. પણ ભવ્યજીની બાબતમાં એવું બનતું નથી. કારણ કે પ્રભુની દેશના દ્વારા તેમના અનાદિકાળના મિથ્યાત્વરૂપ અંધકારના થર દૂર થઈ જાય છે. તેથી તેમને વિશિષ્ટ આત્મતત્વનાં દર્શન થવા માંડે છે. આ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૩૮
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy