SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે. વીસમા તીર્થકર કે જેઓ આ અવસર્પિણી કાળમાં અંતિમ તીર્થકર થયા તેમનું નામ મહાવીર છે. “મહાવીર” નામ ગુણ પ્રમાણે છે. “મહાવીર » પદમાં જે “વીર શબ્દ છે તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. “વિશેષતઃ શિવ ફુર્તિ રતિ વિક” વિશેષ રૂપે જે શિવપદને પ્રાપ્ત કરે છે તેને વીર કહે છે. અથવા–વિચતિ રિપૂન રૂતિ વીરઃ” જે કર્મરૂપી શત્રુઓને નાશ કરે છે તેને વીર કહે છે. અથવા–“અનન્યાનુમતમાતાશ્રિયા વિદાસે તિ વીરઃ” અસાધારણ તપશ્રીથી જે શેભાયમાન હોય છે તેને વીર કહે છે. અથવા– “સત્તરોમાનિસ્ટનાથંમનત્તર વીર્ય ચાર રૂત્તિ-વીરઃ” આંતરિક શત્રુરૂપ મેહકર્મના મહાન બળને નાશ કરવાને માટે જે અનંત તપથી યુક્ત એવા પોતાના અનંત વીર્યનો ઉપયોગ કરે છે તે વીર છે. એવા વીર સામાન્ય જિનને મનાય છે. આ સામાન્ય જિનની અપેક્ષાએ જે મહાન વીર હોય તેમને મહાવીર કહે છે. મહાવીર પ્રભુમાં મહત્ત્વ ગુણથી યુકત વીરત્વ હતું તેનું પ્રતિપાદન આ રીતે થઈ શકે છે તેમાં વિવિધ પરિષહ અને ઉપસર્ગોની સામે પણ અડગ રહ્યા હતા. અને જન્મ સમયે તેમણે પોતાના અંગુઠા વડે સુમેરુ પર્વતને પણ કપાવ્યું હતું. ભગવાન મહાવીર પ્રભુને આદિકર કહેવાનું કારણ એ છે કે તેમણે પિતાના શાસનની અપેક્ષાએ પહેલેથી જ શ્રુતચારિત્ર રૂપ ધર્મનું પ્રરૂપણ કર્યું છે. સંસાર રૂપ મહાસાગર જેના દ્વારા પાર કરાય છે તેનું નામ તીર્થ છે. એવું તીર્થ પ્રવચન ગણાય છે. અથવા પ્રવચનને આધાર ચતુર્વિધ સંધ હોય છે તેથી ચતુર્વિધ સંઘને તીર્થ કહે છે. તે તીર્થની સ્થાપના કરવાને સ્વભાવ ભગવાનમાં હોય છે. તેથી તેમને તીર્થકર કહે છે. ભગવાનને “સ્વયં સંબુદ્ધ” કહેવાનું કારણ એ છે કે ભગવાનને સારામાં સારા બેધની જે પ્રાપ્તિ થાય છે તે કેઈના ઉપદેશથી તેમને પ્રાપ્ત થતી નથી. પણ તેઓ જાતે જ તે બેધ પ્રાપ્ત કરે છે. જ્ઞાનાદિક અનંત ગુણવાળા હોવાથી ભગવાન મહાવીરને પુરુષોત્તમ કહ્યા છે. ભગવાન મહાવીરને જે પુરુષ સિંહનું વિશેષણ આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તેઓ સમસ્ત પુરુષમાં સિંહ સમાન હતા. સિંહમાં સૌથી વધારે શૌર્યગુણ હોય છે. એ જ રીતે ભગવાન મહાવીરમાં પણ રાગદ્વેષ આદિ શત્રુઓને પરાજિત કરવાનું અદ્ભુત શૌર્ય રૂપ પરાક્રમ પ્રગટરૂપે વિદ્યમાન હતું. અથવા તેઓ સિંહના જેવા પુરુષ હોવાથી તેમને પુરુષસિંહ કહેવામાં આવ્યા છે. પ્રભુને “પુરુષવરપુંડરીક” કહેવાનું કારણ એ છે કે તેઓ વરપુડરીક–શ્રેષ્ઠ પુંડરીક જેવા પુરુષ હતા જે સર્વોત્તમ ધવલ કમળ થાય છે તેને વરપુંડરીક કહે છે. ભગવાનને વરપુંડરીકની ઉપમા આપવાનું કારણ એ છે કે તેઓ સમસ્ત પ્રકારના અશુભ મળથી રહિત હતા, તથા સમસ્ત શુભ અનુ ભાવોથી પરિશુદ્ધ હતા. અથવા–જેમ પુંડરીક કાદવમાંથી પેદા થાય છે, અને પાણીમાં રહીને જ પોતાને વિકાસ સાધે છે પણ તે તે બનેની સાથે સંબંધ રાખતું નથી. તેમનાથી અલિપ્ત જ રહે છે અને જળની ઉપર રમણીય દેખાય છે, અને પિતાના અનુપમ ગુણોને પ્રભાવે સુર, અસુર અને મનુષ્ય દ્વારા શ્રી ભગવતી સૂત્ર : ૧ ૩૭
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy