SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કે વિષયથી રહિત શાસ્ત્રનું નિર્માણ કરે તે “આ શાસ્ત્ર વિષયહીન છે” એવું સમજીને કેઈપણ પ્રેક્ષાવાન વ્યક્તિ તેમાં પ્રવૃત્તિશાળી જ નહીં થાય પણ તેના પ્રત્યે તેનામાં ઉપેક્ષા વૃત્તિજ જાગશે. આ રીતે જે શાસ્ત્રકાર શાસ્ત્ર લખવાનું પ્રયેાજન બતાવે નહીં તે કાકદન્તની પરીક્ષાની જેમ પ્રજન રહિત વસ્તુમાં કઈ પણ પ્રવૃત્ત થશે નહીં એટલે કે કાગડાને દાંત જ હતા નથી તે તેના દાંતની કસોટી કરવી તે નિરર્થક ગણાય છે, તેમ આ શાસ્ત્ર લખવાનું પ્રયોજન શરૂઆતમાં ન બતાવવામાં આવે તે લેક તેમાં પ્રવૃત્ત થાય નહીં. જ્યાં સુધી સંબંધ અને અધિકારી બતાવવામાં નહીં આવે ત્યાં સુધી કઈ પણ રીતે શ્રોતાજને તેમાં પ્રવૃત્ત થશે નહીં. તેથી વિષય આદિનું પ્રદર્શન અહીં આવશ્યક બને છે. પણ શાસ્ત્રકારે તે બતાવ્યું નથી તે મંગલાચરણને પ્રશસ્ત કેવી રીતે માની શકાય? ઉત્તર–શંકાકારનું આ કથન બરાબર નથી. તેણે આવું કહેવું જોઈએ નહીં. કારણ કે શાસ્ત્રકારે અનુબંધચતુષ્ટયનું પ્રદર્શન કરેલ છે જ, તે આ રીતેથયું છે– શાસ્ત્રકારે આ શાસ્ત્રનું જે “ વ્યાખ્યાપ્રજ્ઞયિ” નામ આપ્યું છે, તે નામ દ્વારા જ અભિધેયનું કથન થઈ જાય છે. આ રીતે વિષયરૂપ અભિધેયના કથનથી શ્રોતાજને તેમાં પ્રવૃત્ત થશે. તેથી તે અભિધેય રહિત નથી, એ વાત તે સિદ્ધ થઈ જાય છે. કહેવાને ભાવાર્થ એ છે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શબ્દ દ્વારા જ સૂત્રકારે તે વાત પ્રગટ કરી છે કે જીવ અજીવ આદિ પદાર્થોનું સ્વરૂપ કહેવાને નિમિત્તે આ શાસ્ત્ર રચાયું છે. એ જ તેનું અભિધેય છે. શ્રોતાજનેને તેના દ્વારા એ પદાર્થોને બંધ થવારૂપ સાક્ષાત્-ફળ મળે છે, અને પરમ્પરા ફળ મેક્ષ છે. આ પ્રકત શાસ્ત્ર આપ્તવાક્યરૂપ છે. અને આસ એવાં વાક્યનો જ પ્રયોગ કરે છે કે જે સાક્ષાતરૂપે અથવા તે પરમ્પરારૂપે મેક્ષનું પૂજક હોય છે. જે એ વાક્ય એવાં ન હોત તે રચ્યા-પુરૂષ (બજાર પુરુષોની જેમ આતત્વ જ સંભવી શકે નહીં. આ રીતે શાસ્ત્રનું અધ્યયન કરવાથી શ્રોતાજના (અધ્યયન કરનારના) જીવાદિક પદાર્થોને બંધ થવારૂપ સાક્ષાત પ્રજન, અને મેક્ષપ્રાપ્તિરૂપ પરમ્પરા પ્રયજન સિદ્ધ થાય છે. આ રીતે બન્ને પ્રકારના પ્રયજન સિદ્ધ થતાં હોવાથી શ્રી ભગવતી સૂત્ર : ૧ ૩૨
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy